શોધખોળ કરો

ગુજરાતના આ ધાર્મિક સ્થળે જતાં પહેલા વાંચો આ સમાચાર, 400 રિક્ષાચાલકો હડતાળ પર, યાત્રાળુઓ અટવાયા

Rickshaw drivers protest: રિક્ષાચાલકોના જણાવ્યા અનુસાર, પાલીતાણા ટાઉન પોલીસ તળેટી વિસ્તારમાં વન વે નિયમનો અમલ કરાવવાના નામે તેમને હેરાન કરી રહી છે.

Palitana rickshaw driver strike: 25 જુલાઈના રોજ પાલીતાણા તાલુકામાં પોલીસની કથિત કનડગતના વિરોધમાં લગભગ 400 રિક્ષાચાલકોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. આ પગલાંથી જૈન તીર્થસ્થળ તરીકે જાણીતા આ શહેરમાં આવેલા અનેક શ્રદ્ધાળુઓ અટવાયા હતા.

રિક્ષાચાલકોના જણાવ્યા અનુસાર, પાલીતાણા ટાઉન પોલીસ તળેટી વિસ્તારમાં વન વે નિયમનો અમલ કરાવવાના નામે તેમને હેરાન કરી રહી છે. આ ઉપરાંત, જ્યારે તેઓ તળેટી વિસ્તારમાં મુસાફરો ઉતારે છે, ત્યારે પણ તેમને દંડ ફટકારવામાં આવે છે.

રિક્ષાચાલકોનું કહેવું છે કે, અમે રોજના 300-400 રૂપિયા કમાઈએ છીએ, પરંતુ પોલીસની સતત હેરાનગતિને કારણે અમારા પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની ગયું છે.

રિક્ષાચાલકોના આગેવાનોએ જણાવ્યું કે આવતીકાલે તેઓ પાલીતાણાના ડીવાયએસપી મિહિર બારૈયાને મળીને આ મુદ્દે રજૂઆત કરશે. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ ઉકેલ નહીં આવે તો હડતાલને લંબાવવામાં આવશે.

આ ઘટના પાલીતાણા શહેર અને સ્થાનિક વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે તે શહેરની પરિવહન વ્યવસ્થા અને પ્રવાસન ઉદ્યોગને અસર કરી શકે છે. સ્થાનિક અધિકારીઓ પાસેથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી.

આ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં વધુ વિકાસ થવાની અપેક્ષા છે.

અમદાવાદમાં પણ રિક્ષા ચાલકોની હડતાલ

છેલ્લા દોઢ વર્ષથી અમદાવાદ શહેરના ઓટોરિક્ષા ચાલકો દ્વારા ઓનલાઇન એપ્લિકેશનથી ચાલતા સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ વ્હીલર બંધ કરાવવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં લગભગ અઢી લાખ કરતા પણ વધુ ઓટોરિક્ષા તથા 80,000થી વધુ ટેક્સી શહેરના રસ્તા ઉપર ફરે છે અને મુસાફરોને એક સ્થળથી બીજા સ્થળ પહોંચાડે છે.  બુધવારે સવારના 6 વાગ્યાથી આ તમામ વાહનોના પૈડા થંભી જશે. કારણ કે છેલ્લા દોઢ વર્ષથી સતત પ્રયાસો કર્યા હોવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી રહ્યું નથી. તેથી હવે ઓટોરિક્ષા ચાલક અને ટેક્સી ચાલકો દ્વારા ગાંધીજી માર્ગે આંદોલન ઉચ્ચારવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરના તમામ રિક્ષાચાલક યુનિયન તથા ટેક્સી ચાલક યુનિયન સાથે મળીને "રોજી-રોટી બચાવ આંદોલન"માં સહભાગી થયા છે.

અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર ઓટોરિક્ષા અને ટેક્સી દોડતી રહેતી હોય છે, પરંતુ તેમની માંગણી સંતોષાઈ ન હતી. આંદોલનની શરૂઆત કરવામાં આવી છે તથા ઓટોરિક્ષા અને ટેક્સી યુનિયનના પ્રમુખો દ્વારા આવતીકાલ સાંજ સુધીમાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ ઉત્તર નહીં આપવામાં આવે તો આ આંદોલન લંબાઇ શકે છે. ઓટોરિક્ષા ચાલક યુનિયન દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ આકસ્મિક સંજોગમાં મેડિકલ ઈમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ અથવા 108નો સંપર્ક કરી શકો છો તથા અન્ય શહેરમાંથી આવતા મુસાફરોને બુધવારે ઓટોરિક્ષા અથવા ટેક્સી નહીં મળે તેથી આ મુસાફરો એ જાતે જ પોતાની વ્યવસ્થા કરવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Embed widget