શોધખોળ કરો

Bhavnagar: ભાવનગરની આ ખ્યાતનામ વિદ્યાપીઠનાં ભોજનમાં નિકળી જીવાત,જાણો સંસ્થાએ શું આપ્યો જવાબ

ભાવનગર: દેશની નામાંકિત ભાવનગર સણોસરા લોક વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ભોજનમાં નીકળતી જીવાતો અને દેડકાને લઇ abp asmita ની ટીમ સંસ્થાની મુલાકાતે પહોંચી હતી.

ભાવનગર: દેશની નામાંકિત ભાવનગર સણોસરા લોક વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ભોજનમાં નીકળતી જીવાતો અને દેડકાને લઇ abp asmita ની ટીમ સંસ્થાની મુલાકાતે પહોંચી હતી. સંસ્થા પોતાનો બચાવ કરીને જણાવી રહી છે કે ભારે વરસાદના કારણે અનાજનો જે ભંડાર હોય છે તેમાં થોડી ભૂલ રહી હશે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પ્રમાણે અવારનવાર ભોજનની અંદર જીવ જંતું નીકળતા હોય છે. સંસ્થાને આ બાબતે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ આમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે શા માટે ચેડા કરવામાં આવે છે.


Bhavnagar:  ભાવનગરની આ ખ્યાતનામ વિદ્યાપીઠનાં ભોજનમાં નિકળી જીવાત,જાણો સંસ્થાએ શું આપ્યો જવાબ

ભાવનગરના સણોસરા ગામે આવેલ લોક વિદ્યાપીઠની 1953માં સ્થાપના થઈ હતી. આ સંસ્થામાં દેશના ખ્યાતનામો પણ જોડાયેલા છે. આ સંસ્થામાં 650 જેટલા વિદ્યાર્થી છાત્રાઓ અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા હોય છે પરંતુ જે પ્રમાણે વિદ્યાર્થીઓને મેનુ પ્લેટમાં ભોજન પીરસવામાં આવે છે તેને લઇ વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રભુ કે ઉઠ્યો છે. આ સંસ્થામાં જે એજન્સીને ભોજન પીરસવાનું કામ સોંપવામાં આવ્યું છે તેની વારંવાર બેદરકારીઓ સામે આવી છે. જો કે સંસ્થાએ પોતાનો બચાવ કરીને વરસાદનું કારણ આગળ કરી દીધું હતું પરંતુ વિદ્યાર્થીઓનો રોષ કાંક અલગ જ જોવા મળી રહ્યો છે. જીવજંતુઓ સિવાય કાનખજૂરો પણ ભોજનમાં નીકળ્યો હતો તેવું પણ વિદ્યાર્થીઓનું કહેવું છે

છેલ્લા એક અઠવાડિયામાં પૌષ્ટિક ભોજનને લઇ અનેક ગંભીર ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાને કરવામાં આવી છે હાલ જે પ્રમાણે ફોટા અને વિડિયો વાયરલ થયા છે તેમાં ભોજનની અંદર પીરસવામાં આવતી દાળ અને ભાતમાં જીવજંતુ અને વાળ જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે થતા ચેડાને લઈ લોકભારતી સંસ્થા ભારે ચર્ચામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓ સંસ્થાની બીકના કારણે કશું જણાવવા માટે તૈયાર નથી પરંતુ અન્ય વિદ્યાર્થીનીઓએ abp asmita સાથે ખોલીને વાત કરી હતી તેમને ખૂબ ગંભીર આક્ષેપો ભોજનને લઇ કર્યા હતા. આ બાબતોની બેદરકારી વિદ્યાર્થીઓ માટે ભારે પડી શકે છે. જોકે સંસ્થા દ્વારા માત્ર એક જ રટણ કરવામાં આવ્યું હતું કે ભોજન પીરસ્તી એજન્સીને કડક સુચના આપી દેશુ પરંતુ સવાલ એ વાતનો છે કે વારંવાર થતી ભૂલોના કારણે શા માટે સંસ્થા ભોજન બનાવતી એજન્સીનો બચાવ કરે છે તે પણ મોટો સવાલ છે.


Bhavnagar:  ભાવનગરની આ ખ્યાતનામ વિદ્યાપીઠનાં ભોજનમાં નિકળી જીવાત,જાણો સંસ્થાએ શું આપ્યો જવાબ

હાલ તાજેતરમાં જ લોકભારતી સણોસરા વિદ્યાપીઠને ખાનગી યુનિવર્સિટીની માન્યતા મળી છે. અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને એક સેમેસ્ટરના 80,000 રૂપિયા જેવી તગડી રકમ ચૂકવીને પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે પરંતુ સંસ્થાની ઢીલી નીતિ અને ભોજન પીરસ્તી ખાનગી એજન્સીની બેદરકારી વારંવાર છતી થાય છે. વિદ્યાર્થીઓએ ગઈકાલે સંસ્થા સામે ઉગ્ર વિરોધ કરીને ભોજન ગ્રહણ કર્યું ન હતું. વિદ્યાર્થીઓની માંગ છે કે પૌષ્ટિક આહાર આપવામાં આવે જે પ્રમાણે વિદ્યાર્થીઓની રજૂઆત છે તેને લઇ લોકપારથી વિદ્યાપીઠની નામાંકિત સંસ્થા પર અનેક ગંભીર સવાલો થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ ત્વરિત આદેશ કરીને વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તા વાળુ ભોજન પીરસવામાં આવે તેવી માંગ છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓના વાલી પણ આ બાબતને લઇ સંસ્થાને રજૂઆત કરવા માટે પહોંચવાના છે.


Bhavnagar:  ભાવનગરની આ ખ્યાતનામ વિદ્યાપીઠનાં ભોજનમાં નિકળી જીવાત,જાણો સંસ્થાએ શું આપ્યો જવાબ

જોકે લોકભારતી વિદ્યાપીઠની અંદર જે એજન્સીને પૌષ્ટિક આહાર માટેની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ ખુલ્લામાં અનાજનો ભંડાર રહેતો હોય તે માટે આ પ્રકારનો બનાવ સામે આવ્યો હોય તેવું કારણ આગળ કરી દીધો હતો. તેમને જણાવ્યું હતું કે સંસ્થાની પણ જવાબદારી છે કે ખુલ્લામાં આ પ્રકારે અનાજનો ભંડાર ન રહે વારંવાર આ બાબતે સંસ્થાનું ધ્યાન દોર્યું છે પરંતુ બેદરકારીને લઇ કોઈ પ્રકારના પગલા લેવામાં આવતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget