શોધખોળ કરો

2000 Rupees Note : છેલ્લે ક્યારે છાપવામાં આવી હતી રૂપિયા 2000ની નોટ?

રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવા કહ્યું છે.

RBI to Withdraw 2000 Rupees Notes : 2000 રૂપિયાની નોટને લઈને લાંબા સમયથી ચાલી રહેલી આશંકા આજે ત્યારે સાચી સાબિત થઈ જ્યારે ભારતીય રિઝર્વ બેંકે અચાનક 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય જાહેર કરી દીધો છે. આજે આરબીઆઈએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવા કહ્યું છે.

શું 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી છે?

જો કે, એવું કહી શકાય નહીં કે રૂ. 2000ની નોટો બંધ કરવામાં આવી છે. કારણ કે હવે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર એટલે કે માન્ય ચલણ રહેશે. RBIએ કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટો માન્ય ચલણ (સર્ક્યુલેશન) રહેશે. જેમની પાસે હાલમાં રૂ. 2000ની નોટ છે તેમણે તેને બેંકમાંથી બદલી આપવી પડશે.

ગયા વર્ષે  જ નવેમ્બરમાં એક RTI દ્વારા માહિતી મળી હતી કે, RBIએ બે વર્ષથી વધુ સમયથી રૂ. 2,000ની નોટો છાપી નથી. ઈકોનોમિક ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટ પ્રિન્ટિંગે RTIના જવાબમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2016-17માં 2 હજાર રૂપિયાની 354 કરોડ રૂપિયાની નોટો છાપવામાં આવી હતી. ત્યાર બાદ તેનું પ્રિન્ટિંગ ઝડપથી ઘટતું ગયું હતું. આગલા વર્ષે માત્ર 11 કરોડ રૂપિયા અને પછીના વર્ષે એટલે કે 2018-19માં માત્ર 4.5 કરોડ રૂપિયાની નોટો જ છપાઈ હતી. આ પછી 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું.

છેલ્લી વખત 2000 રૂપિયાની નોટ ક્યારે છાપવામાં આવી હતી?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે વર્ષ 2018-19માં જ બે હજાર રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.

2000 રૂપિયાની નોટ વિશે જે મહત્વની બાબતો આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવી છે તે નીચે મુજબ છે-

આરબીઆઈએ કહ્યું હતું કે, માર્ચ 2017માં 2000ની 89 ટકા નોટો જારી કરવામાં આવી હતી.

31 માર્ચ, 2023 સુધીમાં 2000 રૂપિયાની નોટોની કિંમત લગભગ 3.62 લાખ કરોડ રૂપિયા હતી.

3.62 લાખ કરોડ રૂપિયામાંથી માત્ર 10.8 ટકા નોટો જ ચલણમાં હતી.

2000 Notes : બેંકમાં રૂ. 2000ની નોટ બદલવા માટે RBIએ કરી ખાસ વ્યવસ્થા

ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. RBIએ 2016 ના નોટબંધી પછી જારી કરાયેલ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જો કે હાલ બજારમાં હાલની 2000ની નોટો ચલણમાં રહેશે.

બેંકમાં નોટો બદલવા માટે ખાસ વિન્ડો

આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે અલગથી વિશેષ વિન્ડો હશે. જ્યાં તમે 2000ની નોટ સરળતાથી બદલી શકશો. એક અનુમાન મુજબ હાલમાં 3 લાખ 62 હજાર કરોડ 2000ની નોટ ચલણમાં છે. હવે જોવાનું રહેશે કે કેટલી નોટો બેંકમાં પાછી આવે છે.

ઉલ્લેખનીય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આ કરન્સીના સ્થાને રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી. રિઝર્વ બેંકનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર મુકાયેલી નોટોના મૂલ્યની સરળતાથી ભરપાઈ કરશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલની શક્યતા, આ 10 કારણો ભજવશે મહત્વનો રોલ
આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલની શક્યતા, આ 10 કારણો ભજવશે મહત્વનો રોલ
‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો
‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો
Tech Layoffs: 5 મહિનામાં 1 લાખની છટણી, જાણો કઈ કંપનીઓએ કર્મચારીઓને આપ્યો ઝટકો?
Tech Layoffs: 5 મહિનામાં 1 લાખની છટણી, જાણો કઈ કંપનીઓએ કર્મચારીઓને આપ્યો ઝટકો?
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget