શોધખોળ કરો

આ લોકોને સરકાર ભાડે આપશે મકાન, જાણો આ માટે કેવી રીતે અરજી કરી શકાશે?

House On Rent For Workers: ભારત સરકાર ફેક્ટરીમાં કામ કરતા મજૂરો અથવા અન્ય શહેરોમાંથી આવેલા અન્ય કામદારોને ભાડે ઘર પૂરું પાડશે. સંપૂર્ણ યોજના શું છે તે ચાલો તમને જણાવીએ.

House On Rent For Workers: જ્યારે કોઈ બીજા શહેરમાં સ્થળાંતર થાય છે, ત્યારે સૌ પ્રથમ તેમણે રહેવાની વ્યવસ્થા કરવી પડે છે. અને તે માટે તેઓ ભાડાનું ઘર શોધે છે. જો કોઈ નાના શહેરમાંથી મોટા શહેરમાં જાય છે, તો ભાડાનું ઘર શોધવું ખૂબ મુશ્કેલ કામ બની જાય છે. કારણ કે ત્યાં જે ઘરો મળે છે તે ખૂબ મોંઘા હોય છે. અને ખાસ કરીને જે મજૂર વર્ગ છે, જે લોકો કોઈ ફેક્ટરીમાં કામ કરે છે અથવા અન્યત્ર કામ કરે છે.

જે લોકો નાના શહેરોમાંથી મોટા શહેરોમાં રોજગારની શોધમાં જાય છે, તેવા લોકો માટે ભાડાનું ઘર લેવું ખૂબ મુશ્કેલ કામ હોય છે. કારણ કે તેમની આવકનો એક મોટો ભાગ તેમાં જતો રહે છે. તેથી જ હવે ભારત સરકાર ફેક્ટરીમાં કામ કરતા મજૂરો અથવા અન્ય શહેરોમાંથી આવેલા અન્ય કામદારોને ભાડે ઘર પૂરું પાડશે. સંપૂર્ણ યોજના શું છે તે ચાલો તમને જણાવીએ.

ફેક્ટરીની નજીક જ ઘર આપશે સરકાર

2024ના બજેટમાં ભારત સરકાર દ્વારા કામદાર મજૂરો જે નાના શહેરો છોડીને મોટા શહેરોની ફેક્ટરીઓમાં કામ કરવા જાય છે, તેમના માટે PPP મોડેલ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ ઓછી કિંમતે ભાડાના ઘરો ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં PPP મોડેલ હેઠળ શહેરોમાં કામ કરતા મજૂરોને ભાડે સસ્તા ઘર પૂરા પાડવાની જાહેરાત કરી.

આ ઘરો ડોર્મિટરીની જેમ બનાવવામાં આવશે અને તેમાં ખાનગી કંપનીઓની ભાગીદારી હશે. આ ઇમારતોનું નિર્માણ ખાસ કરીને ફેક્ટરી અને જ્યાં કામકાજ થશે ત્યાં કરવામાં આવશે. અને તેનું ભાડું સામાન્ય રીતે જે ભાડું લાગે છે તેના કરતાં ઘણું ઓછું હશે. આનાથી નાના શહેરોમાંથી આવેલા કામદાર મજૂરોને ખરાબ જગ્યાએ રહેવું નહીં પડે. અને તેમને રહેવા માટે વધારે પૈસા પણ આપવા નહીં પડે.

આ ઘરો ક્યાં બનાવવામાં આવશે?

સરકાર દ્વારા જાહેર કરાયેલા બજેટમાં મોટા શહેરોને વિકાસ કેન્દ્ર તરીકે બનાવવા અંગે જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને કામદાર લોકો માટે ઘર બનાવવાનું આયોજન કરશે. સરકાર દ્વારા 30 લાખથી વધુ વસ્તી ધરાવતા કુલ 14 શહેરોને આ યોજના હેઠળ નિશાન કરવામાં આવશે. અહીં આ ઇમારતોનું નિર્માણ કરવામાં આવશે. જોકે, આ યોજના હેઠળ મજૂરોને કેવી રીતે લાભ મળશે, તેઓ કેવી રીતે ઘર માટે અરજી કરી શકશે, હાલમાં આ અંગે માહિતી આપવામાં આવી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડSurat Stone Pelting Incident | સુરતના સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર!Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
Embed widget