શોધખોળ કરો

Latent View Analytics listing: 197 રૂપિયાનો શેર 530 રૂપિયા પર લિસ્ટ થયો, આ કંપનીએ Paytm ની નિરાશા દૂર કરી

કંપનીનો IPO 10 નવેમ્બરે ખુલ્યો હતો અને 12 નવેમ્બરે બંધ થયો હતો. તે 326.49 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

ડેટા એનાલિટિક્સ સર્વિસ પ્રોવાઈડર લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સે આજે શેરબજારમાં જોરદાર એન્ટ્રી કરી છે. કંપનીનો સ્ટોક 169 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. તે BSE પર રૂ. 530 અને NSE પર રૂ. 512.20 પર 160 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. તેની ઈશ્યુ કિંમત 197 રૂપિયા હતી. લેટન્ટ વ્યૂ એનાલિટિક્સનાં વિસ્ફોટક લિસ્ટિંગે શેરબજારની Paytmની નિરાશાજનક લિસ્ટિંગની નિરાશા દૂર કરી છે.

લેટન્ટ વ્યૂ એનાલિટિક્સ માટે બમ્પર લિસ્ટિંગ અપેક્ષિત હતું કારણ કે તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 147 અને 152 ટકા વચ્ચે ટ્રેડ થઈ રહ્યું હતું. નિષ્ણાંતોનું કહેવું છે કે, “આ એવો સ્ટોક છે જેને લાંબા ગાળાના લાભ માટે પોર્ટફોલિયોમાં રાખી શકાય છે. આનું કારણ એ છે કે કંપનીની ક્ષમતા વિશાળ છે. જો લિસ્ટિંગ પર મજબૂત વળતર મળે તો પણ 50 ટકા શેર વેચવાની ભલામણ છે. બાકીના શેર લાંબા ગાળાના લાભ માટે રાખવા જોઈએ.”

326.49 ગણું સબ્સ્ક્રિપ્શન

કંપનીનો IPO 10 નવેમ્બરે ખુલ્યો હતો અને 12 નવેમ્બરે બંધ થયો હતો. તે 326.49 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. તમામ કેટેગરીના રોકાણકારોએ કંપનીના IPO માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. NSE ડેટા મુજબ, રૂ. 600 કરોડના લેટન્ટ વ્યૂના 1,75,25,703 શેરના IPOને 5,72,18,82,528 શેર માટે બિડ મળી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારો સેગમેન્ટ 850.66 વખત અને પાત્ર સંસ્થાકીય ખરીદદારો (QIBs) સેગમેન્ટ 145.48 વખત સબસ્ક્રાઇબ થયું હતું. રિટેલ રોકાણકારો માટે આરક્ષિત શેરને 119.44 ગણી બિડ મળી હતી.

LatentView Analytics અમેરિકા, યુરોપ (નેધરલેન્ડ, જર્મની, યુકે) અને એશિયા (સિંગાપોર)માં તેની પેટાકંપનીઓ દ્વારા ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરે છે. તેની વેચાણ કચેરીઓ સેન જોસ, લંડન અને સિંગાપોરમાં આવેલી છે.

કંપનીની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો, છેલ્લા ત્રણ વર્ષમાં તેનો ચોખ્ખો નફો (કર પછીનો નફો) સતત વધ્યો છે. નાણાકીય વર્ષ 2019માં તેનો ચોખ્ખો નફો રૂ. 59.67 કરોડ હતો, જ્યારે નાણાકીય વર્ષ 2020માં રૂ. 72.84 કરોડ અને નાણાકીય વર્ષ 2021માં રૂ. 91.46 કરોડનો નફો થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget