શોધખોળ કરો

Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે

MNP Regulations: આવતા મહિનાની શરૂઆતથી મોબાઇલ નંબર સાથે સંબંધિત ઘણા નિયમો બદલાવાના છે. સરકારે ગુનાખોરી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે નિયમો કડક કર્યા છે...

આવતા મહિનાની પહેલી તારીખથી મોબાઇલ નંબર સહિત દૂરસંચારના નિયમો બદલાવાના છે. સરકારે છેતરપિંડી જેવા કેસો પર અંકુશ લગાવવા માટે દૂરસંચારના નિયમોમાં સુધારો કરીને તેને કડક બનાવ્યા છે. સુધારેલો કાયદો 1 જુલાઈ 2024થી અમલમાં આવવાનો છે.

આ અંગે સંચાર મંત્રાલયે શુક્રવારે જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ટેલિકોમ્યુનિકેશન મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (નવમો સુધારો) નિયમન, 2024 1 જુલાઈથી લાગુ થવાનું છે. નિવેદન અનુસાર, ભારતીય દૂરસંચાર નિયમનકારી પ્રાધિકરણ એટલે કે ટ્રાઈએ નવો કાયદો 14 માર્ચ 2024ના રોજ જારી કર્યો હતો. હવે તે અમલમાં આવવા જઈ રહ્યો છે.

મંત્રાલયનું કહેવું છે કે કાયદામાં કરવામાં આવેલો સુધારો ગુનાખોર તત્વો દ્વારા સિમ સ્વેપ અથવા સિમ રિપ્લેસમેન્ટનો ઉપયોગ કરીને મોબાઇલ નંબર પોર્ટ કરવાના કિસ્સાઓ પર અંકુશ લગાવવા માટે છે. આ સુધારેલા કાયદા હેઠળ એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જે મોબાઇલ નંબર પોર્ટ કરવા માટે માંગવામાં આવતા યુનિક પોર્ટિંગ કોડ એટલે કે યુપીસીને લગતી છે.

આવી રિક્વેટ રિજેક્ટ થશે

મંત્રાલયે જણાવ્યું છે કે નવા કાયદાએ યુનિક પોર્ટિંગ કોડની વિનંતીને નકારવાનો અધિકાર આપ્યો છે. ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં યુનિક પોર્ટિંગ કોડની વિનંતીને નકારી શકાય છે, જેમાં સિમ સ્વેપ અથવા રિપ્લેસ કર્યાના 7 દિવસની અંદર પોર્ટ કોડની વિનંતી મોકલવામાં આવી હોય. આનો અર્થ એ થયો કે સિમ સ્વેપ અથવા સિમ રિપ્લેસમેન્ટ પછી ઓછામાં ઓછા 7 દિવસ પસાર થયા પછી જ મોબાઇલ નંબર પોર્ટ કરવું શક્ય બનશે.

સરકારે છેતરપિંડી પર અંકુશ લગાવવા માટે ઘણા ફેરફારો કર્યા છે, જે 1 જુલાઈથી અમલમાં આવી રહ્યા છે. 1 જુલાઈથી થનારા કેટલાક મુખ્ય ફેરફારો આ પ્રમાણે છે...

હવે એક આઈડી પર માત્ર 9 સિમ કાર્ડ લઈ શકાય છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વીય રાજ્યોના કિસ્સામાં આ મર્યાદા 6 સિમ કાર્ડની છે.

મર્યાદાથી વધુ સિમ કાર્ડ લેવા પર ભારે દંડ લાગશે. પ્રથમ વખત ઉલ્લંઘન પર 50 હજાર રૂપિયાનો અને બીજી વખત ઉલ્લંઘન પર 2 લાખ રૂપિયાનો દંડ લાગશે.

ખોટી રીતે કોઈ અન્ય વ્યક્તિની આઈડી પર સિમ કાર્ડ લેવા પર 3 વર્ષની જેલ અને 50 લાખના દંડ જેવી ભારે સજા થઈ શકે છે.

યુઝરની સંમતિ વિના કંપનીઓ કમર્શિયલ મેસેજ મોકલી શકશે નહીં. નિયમ તોડવા પર 2 લાખ સુધીનો દંડ ચૂકવવો પડશે.

કટોકટીની સ્થિતિમાં સરકાર સમગ્ર ટેલિકોમ્યુનિકેશન નેટવર્કને પોતાના હાથમાં લઈ શકશે. સરકાર કૉલ અને મેસેજને ઇન્ટરસેપ્ટ પણ કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget