શોધખોળ કરો

તમારું PAN કાર્ડ ગમે ત્યારે થઈ જશે બ્લોક! જો તમે હજુ સુધી આ કામ નથી કર્યું તો મુશ્કેલી થશે

PAN card inoperative date: આધાર એનરોલમેન્ટ આઈડીથી પાન કાર્ડ મેળવનારાઓ માટે ચેતવણી, 31 ડિસેમ્બર સુધીમાં કરો આ કામ.

PAN Aadhaar linking deadline: કેન્દ્ર સરકારે પાન કાર્ડ ધારકો માટે એક નવી ચેતવણી જાહેર કરી છે. જો તમે આધાર એનરોલમેન્ટ આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું છે, તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબર સાથે બદલવું પડશે. અન્યથા તમારું PAN કાર્ડ 31 ડિસેમ્બર, 2025 થી કામ કરવાનું બંધ કરી શકે છે.

સરકારનું માનવું છે કે જે લોકોએ આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને પાન કાર્ડ મેળવ્યું છે, તેઓએ હવે તેમના મૂળ આધાર કાર્ડ નંબર સાથે તેને અપડેટ કરવું જોઈએ. આ નિયમ તમામ આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે, જેમાં પાન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર, 2025 સુધીમાં આધાર નંબર સાથે તેમના પાન કાર્ડની ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સરકારી સૂચના અનુસાર, એવા તમામ પાન કાર્ડ ધારકો જેમણે 1 ઓક્ટોબર, 2024 પહેલાં આધાર માટે અરજી કરી હતી અને એનરોલમેન્ટ આઈડી સાથે પાન કાર્ડ મેળવ્યું છે, તેમણે હવે તેમનો આધાર નંબર આવકવેરા વિભાગને જણાવવો પડશે. 3 એપ્રિલ 2025ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ આવા તમામ પાન કાર્ડ ધારકોએ 31 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની માહિતી અપડેટ કરવાની રહેશે.

પાન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવા માટે, હાલની પાન-આધાર લિંકિંગની પ્રક્રિયાનો જ ઉપયોગ કરવામાં આવશે. પાન કાર્ડ ધારકે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને પાન-આધાર લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે PAN આધાર લિંક કરવાની છેલ્લી સમયમર્યાદા 30 જૂન 2023 હતી અને હવે આમ કરવા બદલ તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે. પરંતુ જે લોકોએ એનરોલમેન્ટ આઈડી દ્વારા પાન કાર્ડ મેળવ્યું હતું, તેમની પાસે તે સમયે આધાર નંબર ઉપલબ્ધ નહોતો. તેથી, આવા પાન કાર્ડ ધારકો 2023ની સમયમર્યાદામાં લિંકિંગ કરી શક્યા નહોતા અને શક્ય છે કે તેમને આ દંડમાંથી મુક્તિ મળી શકે.

જો તમે PAN કાર્ડ ધારક છો અને 31 ડિસેમ્બર 2025 સુધીમાં PANને આધાર નંબર સાથે લિંક નહીં કરો, તો સંભવ છે કે તમારું PAN 1 જાન્યુઆરી 2026થી નિષ્ક્રિય થઈ જશે. જો કે આ અંગેની સંપૂર્ણ માહિતી આવકવેરા વિભાગ પાસેથી મેળવી શકાય છે. સામાન્ય રીતે, સરકાર દ્વારા PAN અને આધારને લિંક ન કરવામાં આવે તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. તેથી, જો તમે આધાર એનરોલમેન્ટ આઈડીથી પાન કાર્ડ મેળવ્યું હોય તો નિર્ધારિત સમયમર્યાદામાં તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાનું ભૂલશો નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget