શોધખોળ કરો

PM Kisan Samman Nidhi Scheme: પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશનના નિયમોમાં મોટો બદલાવ! હવે જમા કરવું પડશે આ ડૉક્યૂમેન્ટ

જે ખેડૂતોએ તેમનું ઈ-કેવાયસી કરાવ્યું નથી, તો તેઓએ તાત્કાલિક તેમનું કેવાયસી કરાવવું જોઈએ નહીંતર 13મા હપ્તાની રકમ બેંક ખાતામાં આવશે નહીં.

PM Kisan Samman Nidhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(pm kisan samman nidhi scheme)ના 13મા હપ્તાની રકમ ડિસેમ્બર 2022ના અંતિમ સપ્તાહમાં અથવા નવા વર્ષ 2023ના જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. પરંતુ જે ખેડૂતોએ તેમનું ઈ-કેવાયસી કરાવ્યું નથી, તો તેઓએ તાત્કાલિક તેમનું કેવાયસી કરાવવું જોઈએ નહીંતર 13મા હપ્તાની રકમ બેંક ખાતામાં આવશે નહીં.

નવી નોંધણી માટે રેશનકાર્ડ ફરજિયાત!

જે ખેડૂતોએ હજુ સુધી પીએમ કિસાન યોજના(pm kisan samman nidhi scheme) હેઠળ નોંધણી કરાવી નથી, તો આવા લોકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે રેશન કાર્ડની જરૂર પડશે. જે ખેડૂતો પાસે રેશનકાર્ડ નથી તેઓને તાત્કાલિક રેશનકાર્ડ બનાવી લેવા જોઈએ. પીએમ કિસાન યોજનામાં નોંધણી માટે સરકારે રેશન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. આવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા જેઓ તેનો લાભ લેવા લાયક ન હતા. આ છેતરપિંડીથી બચવા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે રેશન કાર્ડની કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. PM કિસાન સન્માન નિધિના રૂ. 2,000 નો હપ્તો પોર્ટલ પર રેશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી જ ઉપલબ્ધ થશે. પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે, નોંધણી દરમિયાન, ફરજિયાત રેશન કાર્ડની સાથે દસ્તાવેજોની સોફ્ટ કોપીઓ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

KYC જરૂરી છે

પીએમ કિસાન યોજના(pm kisan samman nidhi scheme)નો લાભ લેવા માટે સરકારે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. 12મા હપ્તાના પૈસા એવા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેમણે તેમનું KYC કરાવ્યું છે. જો તમે અત્યાર સુધી KYC નથી કર્યું તો તમારા ખાતામાં 13મા હપ્તાના પૈસા નહીં આવે. ઇ-કેવાયસી વિના તમારો 13મો હપ્તો અટકી જશે. KYC પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે.

PM કિસાન યોજના શું છે ?

પીએમ કિસાન સન્માન નિધિ યોજના (pm kisan samman nidhi scheme)હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દર ચાર મહિને હપ્તા આવે છે એટલે કે વર્ષમાં ત્રણ વાર, યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ નાણાં સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના 12 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Embed widget