શોધખોળ કરો

2000 રૂપિયાની નોટ પર આવ્યું મોટુ અપડેટ, હજુ પણ લોકો પાસે છે 7117 કરોડ રૂપિયા

દેશમાં 2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યાને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે

દેશમાં 2000 રૂપિયાની નોટો (2000 Rupee Note)  પર પ્રતિબંધ મૂક્યાને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ લોકો પાસે હજુ પણ 7000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની આ ચલણી નોટો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓક્ટોબરના પ્રથમ દિવસે આ ચલણી નોટોને લઈને એક મોટું અપડેટ આપ્યું હતું અને કહ્યું હતું કે બે હજાર રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદથી કુલ 98 ટકા નોટો પરત આવી ગઈ છે.

હજુ પણ 2 ટકા નોટ પરત આવી નથી

મંગળવાર 1 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્રીય બેન્ક આરબીઆઈએ ચલણમાંથી બહાર કરવામાં આવેલી 2000 રૂપિયાની નોટ પરત કરવાના ડેટા શેર કરતી વખતે કહ્યું કે આ મૂલ્યની 98 ટકા નોટો બેન્કોને પરત કરવામાં આવી છે. પીટીઆઈ અનુસાર, રિઝર્વ બેન્કે કહ્યું છે કે લોકો પાસે હજુ પણ 7,117 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટ છે. આ નોટને ચલણમાંથી બહાર કાઢ્યા પછી શરૂઆતમાં તે ઝડપી ગતિએ પાછી આવી હતી પરંતુ હવે તે ખૂબ જ ધીમી ગતિએ પાછી આવી રહી છે.

જૂલાઈથી અત્યાર સુધીમાં કેટલી નોટો પાછી આવી?

1 જુલાઈ, 2024ના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, બજારમાં 7581 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો છે. જ્યારે 1 સપ્ટેમ્બર સુધીમાં પણ આ આંકડો 7000 કરોડ રૂપિયાથી નીચે આવ્યો નથી. આ બે મહિનામાં માત્ર 320 કરોડ રૂપિયાની નોટો જ પરત આવી શકી છે. હવે ઑક્ટોબરના ડેટાને જોતાં નોટો જમા કરવાની ધીમી ગતિનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. જ્યારે ગયા વર્ષે મે 2023માં જ્યારે આ નોટો બંધ કરવામાં આવી ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો હતી અને 29 ડિસેમ્બર 2023 સુધીમાં આ આંકડો ઘટીને 9,330 કરોડ રૂપિયા પર આવી ગયો હતો.

2000 રૂપિયાની નોટો ક્યારે અને શા માટે બંધ કરવામાં આવી?

RBIએ 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની 2000 રૂપિયાની નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી કેન્દ્રીય બેન્કે સ્થાનિક બેન્કો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટો પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે, ત્યારબાદ આ સમયમર્યાદા સતત લંબાતી રહી હતી.

તમે હજુ પણ 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો

આ નોટો હજુ પણ બદલી શકાય છે. જોકે સ્થાનિક બેન્કોમાં આ કામ શક્ય નહીં બને. સેન્ટ્રલ બેન્કે પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ નોટો 19 આરબીઆઈ ઓફિસમાં જમા કરવામાં આવશે, જે અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ જવા ઉપરાંત લોકો આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જમા કરાવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
Video: ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા
Video: ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા
Cyclone Senyar Alert: આ તારીખ નોંધી લો! ભારત પર ત્રાટકશે ભયંકર વાવાઝોડું 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદનું IMD નું મોટું એલર્ટ
Cyclone Senyar Alert: આ તારીખ નોંધી લો! ભારત પર ત્રાટકશે ભયંકર વાવાઝોડું 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદનું IMD નું મોટું એલર્ટ
Embed widget