શોધખોળ કરો

અમદાવાદમાં ગરીબ પરિવારોની સંખ્યા વધી, સરખેજના રોજાની પ્રવાસન સ્થળમાંથી બાદબાકી

દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેર/જિલ્લામાં પ્રવાસન સ્‍થળોના વિકાસ માટે ફાળવેલ રકમ અંગે પ્રશ્ન પૂછી માહિતી માંગી.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા કોંગ્રેસના સહપ્રવક્‍તા અને અમદાવાદના દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેર/જિલ્લામાં પ્રવાસન સ્‍થળોના વિકાસ માટે ફાળવેલ રકમ અંગે પ્રશ્ન પૂછી માહિતી માંગી હતી. જેના લેખિત જવાબમાં રાજ્‍ય સરકારના પ્રવાસન મંત્રીએ જણાવ્‍યું કે, અમદાવાદ શહેર/જિલ્લામાં આવેલ પ્રવાસન સ્‍થળોમાં ધોળકા તાલુકાનું ગણેશપુરા મંદિર અને પરપોટિયા મહાદેવ મંદિર, અમદાવાદ શહેરમાં આવેલ સાબરમતી આશ્રમ, હરિજન આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ખાદીગ્રામ ઉદ્યોગ અને સાબરમતી ગૌ શાળા અને વિકાસની કામગીરી, કોચરબ આશ્રમના વિકાસ માટે રૂ. ૨૫૧૦.૪૨ લાખની રકમ ફાળવી છે. જ્‍યારે અમદાવાદ શહેરમાં આવેલ ઐતિહાસિક સ્‍થળો જેવા કે સરખેજ રોજા, શાહેઆલમ દરગાહ, જામા મસ્‍જીદ જેવા પ્રવાસન સ્થળોનો સમાવેશ કરાયો નથી. શેખે સ્થળોનો પ્રવાસન સ્થળમાં સામેલ કરવાની માંગણી કરી હતી. અમદાવાદમાં  બે વર્ષમાં કેટલા BPL પરિવાર વધ્યા ? અન્‍ય એક પ્રશ્નમાં ખુદ સરકારે જ કબુલ કર્યું કે, અમદાવાદ શહેરમાં ગરીબ બી.પી.એલ. પરિવારોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો છે. વાયબ્રન્‍ટ ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ૪૯૭ બી.પી.એલ. પરિવારોનો વધારો થયો છે. રાજ્ય સરકારે ST નિગમને કેટલું બસ ભાડું ચૂકવવાનું છે બાકી ? ગ્‍યાસુદ્દીન શેખના બીજા એક પ્રશ્નના જવાબમાં વાહનવ્‍યવહાર વિભાગે જણાવ્‍યું કે, રાજ્‍ય સરકારે સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલ એસ.ટી. નિગમની બસોના ભાડા પેટે રૂ. એક કરોડથી વધારેની માતબર રકમ ચૂકવવાની બાકી છે. આ બાકી રકમ તાત્‍કાલિક એસ.ટી. નિગમને ચૂકવવા પણ શેખે માંગણી કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget