![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gandhinagar News: ચૂંટણી આચારસંહિતા દૂર થતા જ બઢતી બદલીનો દોર શરૂ, સચિવાલયના 19 સેક્શન અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
Gandhinagar: 19 સેક્શન અધિકારીની બદલી કરવામાં આવી છે, જ્યારે 31 નાયબ સેક્શન અધિકારીને સેક્શન અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.
![Gandhinagar News: ચૂંટણી આચારસંહિતા દૂર થતા જ બઢતી બદલીનો દોર શરૂ, સચિવાલયના 19 સેક્શન અધિકારીની બદલી, જુઓ લિસ્ટ Gandhinagar News As soon as the election code of conduct is removed the series of promotion transfer starts transfer of 19 section officers of the secretariat see list Gandhinagar News: ચૂંટણી આચારસંહિતા દૂર થતા જ બઢતી બદલીનો દોર શરૂ, સચિવાલયના 19 સેક્શન અધિકારીની બદલી, જુઓ લિસ્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/0d7a5bb037b6f9d92ed9333c76c7dd4c171820013206176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gandhinagar News: ચૂંટણીની આચારસંહિતા ( Election Code of Conduct remove) દૂર થતાં જ રાજ્યમાં બઢતી-બદલીનો (transfer) દોર શરૂ થયો છે. સચિવાલયના (Gandhinagar Sachivalay) 19 સેક્શન અધિકારીની (Section officer) બદલી કરવામાં આવી છે, જ્યારે 31 નાયબ સેક્શન અધિકારીને (Deputy section officer) સેક્શન અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.
નિલોફરબાનુ ગુલામહુસેન સિપાઈની અન્ન, નાગરિકા પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગથી વન અને પર્યાવરણ વિભાગ, શ્રીમતી મેધના અશોક કાયદા વિભાગની પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં, શ્રી આશિષકુમાર બાબુભાઇ પટેલની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાંથી નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં, રૂકસાના અલારખભાઇ સંધીની ગૃહ વિભાગમાંથી નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં, ઉર્મિલાબેન નાથાભાઈ ઝણકાટની ગૃહ વિભાગમાંથી નાણા વિભાગમાં, ધર્મેશ કાન્તીલાલ પરીખની ગૃહ વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગ, દિલીપકુમાર હમીરભાઈ ચૌધરીની ગૃહ વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં બદલી કરવામાં આવી છે.
આ સિવાય ગોપાલદાન વિજયદાન ગઢવીની નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાંથી કાયદા વિભાગમાં, શ્રીમતી અ પરમારની નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં, દિલીપકુમાર ઉમેદભાઇ નાઇની નાણા વિભાગમાંથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં, આશુતોષ લક્ષ્મણભાઈ દેવડાની પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં, જનકકુમાર મનુભાઈ ભાલોડિયાની પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાંથી આદિજાતિ વિકાસ વિભાગમાં, રાહુલકુમાર કાંતિલાલ સર્વાકરની માર્ગ અને મકાન વિભાગમાંથી ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગ, મહેન્દ્ર શંભુદાન ગઢવીની માર્ગ અને મકાન વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાહમાં, જીગરકુમાર મહેશકુમાર સોનીની વન અને પર્યાવરણ વિભાગમાંથી મહેસૂલ વિભાગમાં, તુષારભાઈ હીરાભાઈ ભાભોરની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ગૃહ વિભાગમાં, કિરણકુમાર બચુભાઈ પટણીની શિક્ષણ વિભાગમાંથી નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં, ભાવેશકુમાર સુમનભાઈ પટેલની શિક્ષણ વિભાગમાંથી માર્ગ અને મકાન વિભાગમાં, કનુભાઈ રામજીભાઈ પટેલની શિક્ષણ વિભાગમાંથી ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ
આગામી કેટલાક મહિના સુધી પ્રદેશ ભાજપ અધ્યક્ષની જવાબદારી સી આર પાટીલ પાસે જ રહેશે, જાણો શું છે કારણ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)