પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Petrol Diesel: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી.

petrol diesel: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. તમામને પેટ્રોલ-ડીઝલ મળતું રહેશે. કોઈને તકલીફ ન પડે તેવું આયોજન સરકાર કરી રહી છે. ગેસની પણ કોઈ અછત નથી.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે પરિપત્ર જાહેર કર્યો હતો. પેટ્રોલ-ડીઝલને લઈ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાને લઈ પરિપત્ર જાહેર કરાયો હતો. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક હોવાની વાત કરાઈ હતી. પેટ્રોલ પંપ પર નિયમિત જથ્થો પહોંચાડાઈ રહ્યો છે. વાહનો સિવાય અન્ય બોટલ કે બેરલમાં પેટ્રોલ અપાશે નહીં. સંગ્રહખોરી કરનાર સામે કાર્યવાહી કરાશે.
પેટ્રોલ-ડીઝલની સ્થિતિને લઈને રાજ્યના નાગરિકોને ગભરાવવાની કોઈ જરૂર નથી. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતો છે. રાજ્યના નાગરિકોને આશ્વાસન આપતા અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધરે અપીલ કરી કે પેટ્રોલ ડીઝલની સ્થિતિને લઈને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય પાસે પૂરતો સ્ટોક છે. તો આ તરફ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાથી દૂર રહેવાની અને સત્તાવાર માહિતી વગરના મેસેજ ફોરવર્ડ ન કરવાની નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને સલાહ આપી હતી. રાજ્ય સરકાર સતત પેટ્રોલ-ડીઝલની સ્થિતિનું મોનિટરિંગ કરી રહી છે. મુખ્યમંત્રી ખુદ દર બે દિવસે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની બાબતોનો રિવ્યૂ કરી રહ્યા છે.
ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની જાહેર જનતાને મહત્વની ખાતરી આપવામાં આવી છે. આ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં પૂરતો ઇંધણનો 'બફર સ્ટોક' પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. અમુક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચાર માત્ર અફવા છે. આ ઉપરાંત જો કોઈ ડીલર પાસે જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરશે તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.





















