![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગાંધીનગરમાંથી અમૂલ બ્રાન્ડનું નકલી ઘી ઝડપાયું, ૭૦,૦૦૦ની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત
અહીંથી કુલ ચાર નમૂના લેવામાં આવ્યા. જ્યારે બાકીનો ૨૦૭ કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૭૦,૦૦૦ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
![ગાંધીનગરમાંથી અમૂલ બ્રાન્ડનું નકલી ઘી ઝડપાયું, ૭૦,૦૦૦ની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત rs 70000 fake amul ghee seized Gandhinagar ગાંધીનગરમાંથી અમૂલ બ્રાન્ડનું નકલી ઘી ઝડપાયું, ૭૦,૦૦૦ની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/5c39cbea360b345f8676c7490bcff11b171772760770275_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Fake Amul Ghee: ગાંધીનગરમાંથી અમૂલ બ્રાન્ડનું નકલી ઘી ઝડપાયું છે. પાયલ ટ્રેડર્સ, સેક્ટર ૨૬, જી.આઈ.ડી.સી, ગાંધીનગર ખાતે અમલૂ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી વેચાતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં અમૂલ બ્રાન્ડનાં ૧૫ કિ.ગ્રા. અને ૫૦૦ એમ. એલ. પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માખણ મિશ્રી ગાયના ઘીનો જથ્થો હતો.
અહીંથી કુલ ચાર નમૂના લેવામાં આવ્યા. જ્યારે બાકીનો ૨૦૭ કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૭૦,૦૦૦ છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.
તપાસમાં અમૂલ બ્રાંડના ૧૫ કિ.ગ્રા.ના જથ્થાનો જાતે જ પેક કરતા હોવાનું જાણવા મળ્યું હતું.. વધુમાં અમૂલ બ્રાંડ ના ૫૦ મિ.લી. પાઉચ તેઓ અજાણી વ્યક્તિ પાસેથી ટેલીફોનીક સંપર્ક દ્વારા વગર બિલે ખરીદતા હોવાનું કબુલાત કર્યું છે જે બાબતે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોવાથી તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, ભેળસેળવાળુ ઘી ખૂબ જ સસ્તામાં તૈયાર થાય છે. જેના કારણે તેને અન્ય કરતા ઓછા ભાવે વેચીને પણ નફો મેળવી શકાય છે. આવી સ્થિતિમાં, લોકો વિચાર્યા વિના સસ્તામાં ઘીનો અમૂલ્ય લાભ મેળવવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ ભેળસેળવાળું ઘી શરીરને કોઈ ફાયદો નથી પહોંચાડતું, ઊલટું નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં, નકલી ઘી ઓળખવા માટે અમે તમારી સાથે ખૂબ જ સરળ ઉપાયો શેર કરી રહ્યા છીએ.
ઘીમાં ભેળસેળ કરવા માટે વનસ્પતિ તેલ, ઓગાળેલા માખણ, ડાલ્ડા અને હાઇડ્રોજનયુક્ત તેલ જેવા સસ્તા અને નબળી ગુણવત્તાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તેમાં છૂંદેલા બટાકા અને શક્કરિયા પણ મિક્સ કરવામાં આવે છે.
મીઠું મિનિટોમાં ઘીની શુદ્ધતા ઓળખી શકે છે. આ માટે એક વાસણમાં બે ચમચી ઘી મૂકો. આ વાસણમાં એક કે બે ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ 1/2 ચમચી મીઠું ભેળવીને મિશ્રણ તૈયાર કરો. હવે લગભગ 20 મિનિટ સુધી ઘી છોડ્યા પછી તેનો રંગ ચેક કરો. જો ઘી લાલ કે અન્ય કોઈ રંગનું દેખાય તો તે ભેળસેળવાળું છે.
ઘીમાં ભેળસેળ છે કે નહીં તે ઓળખવા માટે પહેલા એક ગ્લાસમાં પાણી ભરો. પછી એક ચમચીમાં ઘી કાઢીને તેમાં નાખો. જો ઘી પાણીમાં તરતા લાગે તો તે શુદ્ધ છે. ઊલટું જો ઘી પાણીમાં ડૂબી જાય તો તેમાં ભેળસેળ થાય છે.
ઘી અસલી છે કે નકલી તે ઓળખવા માટે તમારી હથેળી પર એક ચમચી ઘી લો અને તેને સારી રીતે ઘસો. લગભગ 10-12 મિનિટ સુધી આમ કર્યા પછી તેને સૂંઘી લો. જો ઘીમાં ગંધ ન હોય તો તે ભેળસેળયુક્ત છે. કારણ કે શુદ્ધ ઘીમાં એક અલગ જ મજબૂત સુગંધ હોય છે.
ઘી શુદ્ધ છે કે નહીં તે ઓળખવા માટે તમે તેને ઉકાળીને ચકાસી શકો છો. આ માટે એક વાસણમાં 3-4 ચમચી ઘી ઉકાળો અને તેને 24 કલાક માટે તે જ વાસણમાં ઠંડુ થવા માટે છોડી દો. સમય પૂરો થયા પછી ઘી ચેક કરો. જો ઘીનો રંગ હજી પણ પીળો હોય, તે સંપૂર્ણ રીતે જામ્યો ન હોય, અને તેની ગંધ પહેલાની જેમ જ મજબૂત રહે તો તે શુદ્ધ ઘી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)