શોધખોળ કરો

યુવરાજ સિંહ જાડેજાની પોલીસે કરી અટકાયત, જાણો વધુ વિગતો

આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાની  ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે.  પોલીસ સાથે ઝપાઝપી કરતા યુવરાજસિંહની  અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગાંધીનગર:   આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાની  ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે.  પોલીસ સાથે ઝપાઝપી કરતા યુવરાજસિંહની  અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાસહાયકોની ભરતીના ચાલી રહેલા વિવાદ મુદ્દે યુવરાજસિંહની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. 

ગાંધીનગરમાં સતત બીજા દિવસે વિદ્યાસહાયક ઉમેદવારોએ વિરોધ કર્યો છે.   આજે સચિવાલયના ગેટ નંબર 4 આગળ વિદ્યાસહાયક ઉમેદવારો રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. જ્યારબાદ પોલીસે તમામની અટકાયત કરી છે. આ સમયે એક મહિલા ઉમેદવાર બેભાન થઈ ગયા હતા.  ગઈકાલે પણ વિદ્યાસહાયક ઉમેદવારોએ સચિવાલયના ગેટ નંબર 1 પર વિરોધ નોંધાવ્યો હતો.  વિદ્યાસહાયક ઉમેદવારોની માંગ છે કે, ફક્ત 3 હજાર 300 જગ્યા પર ભરતી નહીં  પરંતુ મહેકમ પ્રમાણે 12500 જગ્યા પર ભરતી કરવામાં આવે. 

ભરતીને લઈ વિદ્યા સહાયક ઉમેદવારોમાં આક્રોશ યથાવત

ભરતીને લઈ વિદ્યા સહાયક ઉમેદવારોમાં આક્રોશ યથાવત છે.  મોટી સંખ્યામાં વિદ્યાસહાયક ઉમેદવારો સોમવારે પાટનગર ગાંધીનગર પહોંચ્યા હતા. સચિવાલય બહાર ધરણાં પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા.  તેમની માંગ હતી કે ફક્ત 3 હજાર 300 જગ્યા પર ભરતી નહીં પરંતુ  મહેકમ પ્રમાણે સાડા બાર હજાર જગ્યા પર ભરતી કરવામાં આવે. ધરણાં પર બેઠી વિદ્યાસહાયક મહિલા ઉમેદવારોની પોલીસે જ્યારે અટકાયત કરી  તો તે ભાવૂક થઈ ગઈ. આ તરફ કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે પ્રાથમિક શાળામાં 20 હજાર શિક્ષકોની ઘટ છે. તેમ છતાં સરકાર ભરતી નથી કરતી.

વિદ્યાસહાયકોની ભરતી અંગે કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સોમવારે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 20 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે તેમ છતા માત્ર 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે.   RTEનો અમલ કરવામાં આવે તો 30 હજાર શિક્ષકોની ઘટ છે.  4 વર્ષથી ભરતી કરવામાં નથી આવી, લાંબી લડાઈ પછી માત્ર 3300 જગ્યા ભરવાની સરકારે જાહેરાત કરી છે.  700 શાળાઓ 1 શિક્ષકથી ચાલે છે. જ્યારે  47 હજારથી વધારે ટેટ ટાટ પાસ ઉમેદવારો બેરોજગાર છે.  10 હજાર વિદ્યાસહકોની ભરતી કરવા કોંગ્રેસની માંગ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
Bhupender Yadav: કેન્દ્રીય મંત્રી ભૂપેંદર યાદવે ગાંધીનગરમાં લીધી 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'ની મુલાકાત
Bhupender Yadav: કેન્દ્રીય મંત્રી ભૂપેંદર યાદવે ગાંધીનગરમાં લીધી 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'ની મુલાકાત
Gujarat Cabinet: ગુજરાત સરકારે જાહેર કરી નવી ઔદ્યોગિક નીતિ, 3,000થી વધુ APMC કર્મચારીઓને મળશે બોનસ
Gujarat Cabinet: ગુજરાત સરકારે જાહેર કરી નવી ઔદ્યોગિક નીતિ, 3,000થી વધુ APMC કર્મચારીઓને મળશે બોનસ
NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, IGP મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત
NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, IGP મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
Embed widget