શોધખોળ કરો

ગુજરાતના કઈ બે જગ્યાએ આભ ફાટ્યું? માત્ર 3 કલાકમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વિગત

મંગળવારે સાંજે અમરેલીના રાજુલામાં આભ ફાટ્યું હોય તેવી રીતે ફક્ત 3 કલાકમાં જ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજુલા અને તેની આસપાસના ગામમાં ભારે વરસાદને કારણ પાણી ભરાઈ ગયા હતાં.

અમરેલી: હવે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ હટી ગઈ છે ત્યારે મંગળવારે સાંજે અમરેલીના રાજુલામાં આભ ફાટ્યું હોય તેવી રીતે ફક્ત 3 કલાકમાં જ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજુલા અને તેની આસપાસના ગામમાં ભારે વરસાદને કારણ પાણી ભરાઈ ગયા હતાં. સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તર ગુજરાત પર થઈને આગળ વધી ગયું છે ત્યારે જતાં-જતાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પોણા આઠ ઈંચ સુધીને વરસાદ ખાબકી ગયો હતો. આ ઉપરાંત સોમવારે રાત્રે હળવદના કડિયાણામાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં 69 પશુ તણાતા મોત થયાં છે જ્યારે 21 પશુ લાપતા છે. મંગળવારે સાંજે રાજુલા પર મેઘરાજા જાણે કહેર વરસાવવા રીતસર તુટી પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. અહીં માત્ર ત્રણ કલાકના ગાળામાં જ જાણે આભ ફાટ્યું હોય તેમ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ રાજુલાની ધારનાથ સોસાયટીમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરેલા છે. પાલિકા તંત્ર દ્વારા સોસાયટીમાં પાણી નિકાલ માટે મોટર મુકેલી છે છતાં હજુ સોસાયટીના પાણી ઓસર્યા નથી ને ધારનાથ સોસાયટીના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘોઘામાં મેઘરાજાએ પરચો દેખાડ્યો હતો અને ઝંઝાવતી પવન સાથે દોઢ કલાકમાં સવા બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઘોઘાના ગામડાઓમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારે રાત્રે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સાબરકાંઠા વિસ્તારમાંથી પસાર થતાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 24 કલાકમાં હિંમતનગરમાં 8, ઈડરમાં 5 ઇંચ અને પ્રાંતિજમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ભારે પવનથી અસંખ્ય વૃક્ષો પડી જવા સહિત પશુ મોત થયા હતા. અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં સાડા સાત, ધનસુરા 3, મોડાસામાં 2.5 અને બાયડમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લામાં આવેલા વાવઝોડાને લીધે 92 મકાનો અને 180 વીજપોલ ધરાશાયી થયાં હતાં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget