આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી લેતા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઈસુદાન ગઢવી એક કાર્યકર પર નોંધાયેલી ફરિયાદ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોતાના કાર્યકર પર નોંધાયેલી ખોટી ફરિયાદ મામલે રજૂઆત કરવા ગયેલા ઈસુદાન ગઢવી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મામલો બિચકતાં પોલીસે તમામની 2 કલાક સુધી અટકાયત કરી લીધી.

- આપ નેતા ઈસુદાન ગઢવી સહિત 50 કાર્યકરોની અટકાયત.
- કાર્યકર પર ખોટી રીતે લૂંટની કલમ લગાવાયાનો આરોપ.
- પોલીસ સ્ટેશનમાં વીડિયો ઉતારવા બાબતે ઉગ્ર બોલાચાલી.
- આપે સરકાર અને પોલીસની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા.
દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આજે ભારે હોબાળો મચી ગયો હતો. આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી મુજબ, ઈસુદાન ગઢવી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને આશરે 50 જેટલા કાર્યકરો સાથે પોતાના એક કાર્યકર પર નોંધાયેલી ફરિયાદ બાબતે રજૂઆત કરવા માટે ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વચ્ચે કોઈક બાબતે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી, જેના પગલે પોલીસે કાર્યવાહી કરતા ઈસુદાન ગઢવી સહિત 50 કાર્યકરોને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખીને તેમની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ સરકાર અને પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે.
શું હતો સમગ્ર વિવાદ? શા માટે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન?
આ સમગ્ર બબાલની શરૂઆત બિહારથી આવેલા આમ આદમી પાર્ટીના એક કાર્યકર દીપક કુમાર સિંગ પર નોંધાયેલી ફરિયાદથી થઈ હતી. ઈસુદાન ગઢવીનો સીધો આરોપ છે કે દીપક કુમાર પર પોલીસે ખોટી રીતે લૂંટની કલમ લગાવી દીધી છે. આ બાબતનો વિરોધ કરવા અને યોગ્ય તપાસની માંગ સાથે તેઓ પોતાના 50 જેટલા સમર્થકો સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા હતા. ત્યાં પહોંચતા જ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવતા ઈસુદાન ગઢવી અને ખંભાળિયાના પીઆઈ વચ્ચે માથાકૂટ શરૂ થઈ ગઈ, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
AAP कार्यकर्ता की गैर क़ानूनी गिरफ्तारी के खिलाफ पुलिस स्टेशन गए AAP के प्रदेश अध्यक्ष @isudan_gadhvi जी को ही भाजपा की पुलिस ने गिरफ्तार कर लिया।
— AAP (@AamAadmiParty) April 1, 2026
गुजरात में AAP की बढ़ती लोकप्रियता से डर रही है भाजपा।
#BJPFearsAAPInGujarat pic.twitter.com/dTi9B3omJQ
વીડિયો ઉતારવા બાબતે થઈ બબાલ અને પોલીસ કાફલો દોડી આવ્યો
પોલીસ સ્ટેશનની અંદર જ્યારે આ માથાકૂટ ચાલી રહી હતી, ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો પોતાના મોબાઈલ કેમેરાથી આ આખી ઘટનાનો વીડિયો ઉતારવા લાગ્યા હતા. પોલીસે તેમને પોલીસ મથકમાં વીડિયો ઉતારવાની ના પાડીને અટકાવ્યા, જેથી કાર્યકરો વધુ રોષે ભરાયા અને પોલીસ સ્ટેશનમાં જ ભારે હોબાળો મચાવી દીધો. પરિસ્થિતિ હાથમાંથી સરકતી જોઈને તાત્કાલિક DYSP, LCB અને SOG સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહામહેનતે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
AAP ગુજરાતે સોશિયલ મીડિયા પર સરકારની ઝાટકણી કાઢી
આ સમગ્ર ઘટના બાદ 'આપ' ગુજરાતે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, "ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ કે ગુંડાઓની ફરિયાદો લેવાય કે ન લેવાય, પણ જો કોઈ સામાન્ય જનતા માટે રજૂઆત કરવા જાય તો તેની વાત સાંભળવામાં આવતી નથી." વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતભરમાં AAP ના નેતાઓ અને કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આજે જ્યારે ઈસુદાનભાઈ રજૂઆત કરવા ગયા તો તેમને સાંભળવાના બદલે પોલીસ દ્વારા તેમની જ અટકાયત કરી લેવામાં આવી.
Frequently Asked Questions
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં શા માટે હોબાળો મચી ગયો હતો?
ઈસુદાન ગઢવી અને કાર્યકરો પોલીસ સ્ટેશન શા માટે ગયા હતા?
એક બિહારી કાર્યકર દીપક કુમાર સિંગ પર ખોટી રીતે લૂંટની કલમ લગાવી દેવાઈ હોવાનો આરોપ હતો. આ બાબતનો વિરોધ કરવા અને યોગ્ય તપાસની માંગ સાથે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં વીડિયો ઉતારવા બાબતે શું થયું?
જ્યારે ઈસુદાન ગઢવી અને પોલીસ વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી, ત્યારે AAP ના કાર્યકરો વીડિયો ઉતારવા લાગ્યા. પોલીસે તેમને રોકતા કાર્યકરો વધુ રોષે ભરાયા અને હોબાળો મચાવી દીધો.
આ ઘટના બાદ AAP ગુજરાત દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી?
AAP ગુજરાતે સોશિયલ મીડિયા પર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સામાન્ય જનતા માટે રજૂઆત કરનારાઓની વાત સાંભળવામાં આવતી નથી અને AAP ના નેતાઓને ખોટા કેસોમાં ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.






















