શોધખોળ કરો

ખોડલધામમાં નરેશ પટેલ સાથેની બેઠક બાદ હાર્દિક પટેલે કહ્યું - "મને કોંગ્રેસે કશું નથી આપ્યું"

ખોડલધામમાં બપોરે 2 વાગ્યે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે પાટીદાર નેતાઓ સાથે 45 મિનીટ સુધી બેઠક કરી હતી. ખોડલધામમાં બપોરે 2 વાગ્યે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદા નરેશ પટેલ અને હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી.

રાજકારણમાં જોડાવા મુદ્દે થઈ ચર્ચાઃ
પહેલાં નરેશ પટેલે બેઠકમાં થયેલા ચર્ચા મુદ્દે વાતચીત કરતાં કહ્યું કે, "ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ, યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવા, મારા રાજકીય પ્રવેશ, હાર્દિક પટેલના રાજકારણ વગેરે મહત્વના મુદ્દે ચર્ચા થઈ છે." આ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું કે, "મારે રાજકારણમાં જવું કે નહિ અને કયા પક્ષમાં જોડાવું તે આગામી દિવસોસોમાં વધુ ચર્ચા બાદ જાહેર કરીશ. હાર્દક એટલો મેચ્યોર છે જે મને સમજાવી શકે છે." હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના વિવાદ અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે પુછાયેલા પ્રશ્ન અંગે નરેશ પટેલે કહ્યું કે, "હાર્દિકનો સ્વતંત્ર નિર્ણય છે કે તેને ક્યાં પક્ષમાં જવું ક્યાં પક્ષમાં ન જવું"

કોંગ્રેસ સાથેની નારાજગીનો સ્વીકારઃ
નરેશ પટેલ બાદ હાર્દિક પટેલે મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન હાર્દિકે પોતાના કોંગ્રેસ સાથેના નારાજગીનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું કે, હું કોંગ્રેસની નારાજ છું. ઉદેપુરમાં ચાલી રહેલી ચિંતન શિબીરમાં કેમ ના ગયા તે અંગે પુછેલા પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યું કે, જો હું ઉદેપુર ગયો હોત તો મારા ઈડર અને સુરેન્દ્રનગરના એક સામાજિક પ્રસંગમાં ના જઈ શક્યો હતો. આ સાથે હાર્દિકે કહ્યું કે, જ્યાં સુધી મારા મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી કોંગ્રેસના કાર્યક્રમમાં જવાનો કોઈ મતલબ નથી. 

મને કોંગ્રેસે કશું નથી આપ્યુંઃ હાર્દિક
કોંગ્રેસ સાથેના વિવાદ અંગે હાર્દિકે વધુમાં કહ્યું કે, અમે કોંગ્રેસને આપ્યું છે કોંગ્રેસ પાસેથી કશું લીધું નથી. ભૂતકાળની ચૂંટણીઓમાં અમે કોંગ્રેસને ઘણું આપ્યું છે. અમે પદની આશા નથી રાખી. હાર્દિકે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે "નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થઈ જશે કારણ કે, મારે પછી તેમની સાથે જ ચર્ચા કરવાની રહેશે. નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે તેમની વાતચીત થઈ છે. ત્યાંથી નિર્ણય આવી જાય તો સારું છે."

નરેશ પટેલે હાર્દિકને પુછ્યો મહત્વનો સવાલઃ
ખોડલધામની આજની બેઠકના સૌથી મોટા સમાચાર એ રહ્યા કે, આ દરમિયાન નરેશ પટેલે હાર્દિક પટેલને મહત્વનો સવાલ પુછ્યો હતો. હાર્દિક પટેલની કોંગ્રેસની નારાજગીના સમાચારો વચ્ચે નરેશ પટેલે હાર્દિક પટેલને પૂછ્યું કે તારું સ્ટેન્ડ શું રહેશે? 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
Embed widget