શોધખોળ કરો

ધર્મસભામાં નીતિન પટેલના નિવેદન બાદ અર્જુન મોઢવાડિયાનો પ્રહાર, કહ્યુ- રાજકીય સ્વાર્થ સાધવા ભાજપના નેતાઓ નફરતની ભાષાનો કરે છે ઉપયોગ

નીતિન પટેલના નિવેદન પર પ્રહાર કરતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે રાજકીય સ્વાર્થ સાધવા ભાજપ નેતાઓ નફરતની ભાષા બોલે છે. અંગત રાજકીય સ્વાર્થને સાધવા માટે ભાજપના નેતાઓ નફરતની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે

ગાંધીનગરઃ ગાંધીનગરમાં યોજાયેલી ધર્મ સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલા નિવેદન મામલે કોગ્રેસે પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલના નિવેદન પર કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દેશને વિભાજીત કરવાની માનસિકતા સાથે નિવેદન દુખદ કહેવાય. રાજકીય સ્વાર્થ માટે ભાજપના નેતા નફરતની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. નફરતની રાજનીતિનો પ્રયત્ન કરનાર લોકોને જનતાએ હંમેશા નકારી છે.

નીતિન પટેલના નિવેદન પર પ્રહાર કરતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે રાજકીય સ્વાર્થ સાધવા ભાજપ નેતાઓ નફરતની ભાષા બોલે છે. આવી રાજનીતિ નિમ્ન કક્ષાની છે.અંગત રાજકીય સ્વાર્થને સાધવા માટે ભાજપના નેતાઓ નફરતની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ-સંઘ મુસ્લિમ લીગ સાથે મળી એકવાર દેશના ભાગલા પડાવી ચુક્યા છે અને ફરી એ જ માર્ગ ઉપર છે.બીજી તરફ નીતિન પટેલ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા. તેમણે કહ્યું કે, હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો બિનસાંપ્રદાયિક છે.હિંદુઓની સંખ્યા ઘટશે તો કશુ નહીં રહે. બંધારણ પણ બિનસાંપ્રદાયિક નહીં રહે, બધુ જતું રહેશે.

નોંધનીય છે કે ગાંધીનગરમાં યોજાયેલી ધર્મ સભામાં નીતિન પટેલે કહ્યું હતુ કે, જ્યાં સુધી દેશમાં હિન્દુ વસ્તીની બહુમતી છે ત્યાં સુધી બંધારણ-દેશ-કાયદા-કાનૂન બધું જ સુરક્ષિત છે. ન કરે નારાયણ જ્યારે દેશમાં હિન્દુ વસ્તી ઘટી અને એમની વસ્તી વધી તો બધું જ નષ્ટ થઈ જશે. કાયદા કાનૂન બધું દફનાવી દેશે. હું બધા ની વાત નથી કરતો ઘણા મુસ્લિમો દેશ ભક્ત છે. તેમણે જણાવ્યું હતું કે, લવ જેહાદ અમે નામ નથી આપ્યુ લોકોએ કહ્યું છે. કાયદામાં અમે જોગવાઈ કરી છે. કહેવાતા લોકો હાઇકોર્ટમાં લવ જેહાદ સામે રીટ દાખલ કરે છે. મારે એમને પૂછવું છે કે જો તમારી દીકરી સામે આવું થાય તો પછી તમે રીટ દાખલ કરશો.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધર્મસભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દુનિયાભરના રાક્ષસો, ગઝનવી, ખીલજી કે અંગ્રેજો હોય તેમના સેંકડો આક્રમણોને પૂર્વજોએ સહન કર્યું, જે અત્યાચાર થયા છે તેને આપણે જાણીએ છીએ. આતંકીઓ અને રાક્ષસો ના આક્રમણ છતાં રીત રિવાજો ધર્મ ને બદલી ન શક્યા. દુનિયામાં ખ્રિસ્તી દેશો પર આતંક મચાવે છે, હુમલા કરે તો રોકી શકતા નથી. આતંકીઓ જે કામ કરી રહ્યા છે તેનો ભૂતકાળ જોયેલો છે. રાક્ષસો રાક્ષસો ને મારી રહ્યા છે, અફઘાનિસ્તાનમાં થયેલા હુમલા સંદર્ભે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
Embed widget