શોધખોળ કરો

બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ

Dhasa News: આ ઘટનાનો વીડિયો સામે આવતાં વિદ્યાર્થિનીના વાલીએ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • ગામલોકોએ રસ્તા પર આવી ચક્કાજામ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
  • આક્રોશિત લોકોએ શિક્ષક સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.
  • ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરીને સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું.
  • લોકોની માગણી છે કે આરોપી શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

Botad News: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ઢસા પ્રાથમિક શાળાના એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાં કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, ઢસા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આનંદકુમાર જાની નામના શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવતાં વિદ્યાર્થિનીના વાલીએ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી શિક્ષકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકો દ્વારા હવસખોર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આનંદકુમાર જાની 2019થી આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.

સમાજના આગેવાનો અને શિક્ષણવિદોએ શિક્ષણ વિભાગને જાગૃત થવા અને આવા શિક્ષકો સામે કડક પગલાં લેવા અપીલ કરી છે. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ પર કલંક લગાવનાર આવા શિક્ષકોને યોગ્ય પાઠ ભણાવવાની માંગ ઉઠી છે.

આ ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. બોટાદ જિલ્લાના ઢસા ગામમાં એક શિક્ષકની કથિત કરતૂત સામે ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા પર આવી શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી હતી.

સ્થાનિક પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી પણ આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ ન્યાયિક તપાસ બાદ યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે.

 

રાજ્ય સરકારમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટના નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ એક શરમજનક ઘટના છે. શિક્ષક સામે દાખલારૂપ કાર્યવાહી કરાશે. મેં એસપી સાથે વાત કરી છે.

આ પણ વાંચોઃ

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Embed widget