શોધખોળ કરો

Banaskantha: દિવના દરિયામાં ડૂબી જવાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું મોત, સ્કુલનો પ્રવાસ છેલ્લો પ્રવાસ બન્યો

બનાસકાંઠા: લાખણીના જસરાની શાળાનો વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે.  દિવ ફરવા ગયેલો વિદ્યાર્થી નાગવા બીચ દરિયામાં ડૂબી ગયો હતો. અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિધાર્થીઓ જસરાથી દિવ પ્રવાસે ગયા હતા.

બનાસકાંઠા: લાખણીના જસરાની શાળાનો વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે.  દિવ ફરવા ગયેલો વિદ્યાર્થી નાગવા બીચ દરિયામાં ડૂબી ગયો હતો. અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિધાર્થીઓ જસરાથી દિવ પ્રવાસે ગયા હતા. 10માં ધોરણમાં અભ્યાસ કરતા ગર્વ ત્રિવેદીનું ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અચાનક દરિયામાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. હાલમાં વિદ્યાર્થીના મૃતદેહને વતન લાવવામાં આવ્યો છે. વિદ્યાથીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજતા અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો

ભાવનગર  શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરને કારણે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નીપજ્યું છે. ભાવનગરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા  પરેશ નારણભાઇ વાઘેલા નામના આધેડનું આજે મોત નિપજ્યું છે. પોતાના ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે  તેમને અડફેટે લીધા હતા. મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અનેક લોકોના રખડતા ઢોરને કારણે મોત થયા છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો હતો. તેમ છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

અમદાવાદની આ ફેક્ટરીમાં ઓઈલ ટેન્કર સાફ કરવા ઉતેરલા 3 મજૂરોના મોત

દિવાળીના તહેવારો પર ચાંગોદરની એક ફેકટરીમાં ગોજારી ઘટના સામે આવી છે. આજે ફેક્ટરીમાં 3 મજુરોના મોત થતા ખળભળાટ મચી જવા પામી છે.  આ બપોરે દોઢ કલાકે આ ઘટના બની હતી. ચાંગોદરની સહારા પેટ્રોલિયમ કંપનીમાં 3 મજુરોના મોતની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ઓઈલ ટેન્કર સાફ કરવા ઉતરેલા 3 મજુરોના મોત થયા છે. ટેન્કરમાં ગુંગળામણથી મોત થયાનુ પ્રાથમિક તારણ છે. આ ઘટના બાદ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયરના જવાનોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા.

મૃતકો

  • મિતેષ રામ મોહન (21 વર્ષ)
  • રામ નરેશ (47 વર્ષ)
  • સંદીપ (21 વર્ષ)

 છેલ્લી ઘડીએ બસનું રિઝર્વશન કેન્સલ થતાં મુસાફર બગડ્યા

ગુજરાતમાં દિવાળીના તહેવારને પગલે લોકો વતન ભણી જઈ રહ્યા છે. જેને કારણે એસટી બસ અને પ્રાઇવેટ બસોમાં ભારે ભીડ જોવા મળી છે. દિવાળીમાં વતન જઈ રહેલા મુસાફરો સાથે એબીપી અસ્મિતાએ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એસટી બસનું રિઝર્વેશન છેલ્લી ઘડીએ કેન્સલ થઈ જતાં કેટલાક મુસાફરોએ બળાપો કાઢ્યો હતો. એક મુસાફરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર જવા માટે અમારી બસનો ટાઇમ 8.45નો હતો. 10 વાગ્યે બસ આવી. અમે એક્સ્ટ્રા બસનું ન્યુઝમાં જોયું હતું. કોઈ એક બસ મળી નથી. રિઝર્વેશ હતા એ પણ કેન્સલ થઈ ગયા છે. એટલે અમે તો સખત કંટાળી ગયા છીએ આ ભાજપથી હવે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget