શોધખોળ કરો

મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રીએ ખોલ્યો ખજાનો, 710 કરોડની કરી ફાળવણી, જાણો કોને કેટલા રૂપિયા મળશે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરી જનસુખાકારી માટે ભંડોળની ફાળવણી

Bhupendra Patel urban development news: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 208 કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ 710 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીનો આ નિર્ણય સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિ માટે નાણાં ફાળવવાનો એક સ્તુત્ય અભિગમ છે.

નવરચિત આણંદ મહાનગરપાલિકાને રૂ. 45 કરોડ, મોરબીને રૂ. 80 કરોડ, નડિયાદને રૂ. 21.90 કરોડ, વાપીને રૂ. 21.50 કરોડ, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકા પ્રત્યેકને રૂ. 20-20 કરોડ મળશે.

આ ઉપરાંત, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાઓ તથા પાટણ, સિદ્ધપુર, વડગનર અને કડી નગરપાલિકાને આગવી ઓળખના કામો, આંતરમાળખાકીય સુવિધાના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો સહિતના વિકાસ કામો માટે રૂ. 502 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી મહાનગરપાલિકાઓને ત્વરાએ સક્ષમતાથી જન સેવા કામો માટે કાર્યરત થવા પુરતું માનવ સંસાધન પણ પૂરું પાડ્યું છે.

હવે, આ નવરચિત મહાનગરપાલિકાઓ નગરજનોની જન સુખાકારી માટેના કામો પણ ફુલ ફ્લેજ્ડ હાથ ધરી શકે તે માટે વહીવટી ક્ષમતાવર્ધન અને સાધન સામગ્રી સહિતની આંતરમાળખાકીય સુવિધા માટે છ મહાનગરપાલિકાઓ માટે 208 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ ફાળવણી અંતર્ગત, આણંદ મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 10 કરોડ, વહીવટી ક્ષમતામાં વધારો કરવાના કામો માટે રૂ. 10 કરોડ અને નવા ટાઉનહોલના નિર્માણ માટે રૂ. 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મોરબી મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 12.20 કરોડ, મચ્છુ-2 સિંચાઈ યોજનાની નહેરને કોંક્રિટમાં ફેરવવા માટે રૂ. 55.80 કરોડ અને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 12 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

નડિયાદ મહાનગરપાલિકામાં વિવિધ સુવિધાઓ સભર સિટી બસ સ્ટેન્ડના નિર્માણ માટે રૂ. 1.89 કરોડ, સિટી બ્યુટિફિકેશન માટે રૂ. 10 કરોડ અને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

વાપી, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકામાં વહીવટી ક્ષમતાવર્ધન માટે પ્રત્યેકને રૂ. 10-10 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત વાપીમાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 11.50 કરોડ, નવસારીને રૂ. 10 કરોડ અને ગાંધીધામને રૂ. 10 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકાઓને પણ આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો માટે નાણાં ફાળવણી કરી છે.

વડોદરા મહાનગરપાલિકાને વિવિધ કામો માટે રૂ. 26.42 કરોડ, સુરતને રૂ. 147.57 કરોડ, જામનગરને રૂ. 133.22 કરોડ અને રાજકોટને રૂ. 161 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, સિદ્ધપુર નગરપાલિકાને રૂ. 50.79 કરોડ, પાટણ નગરપાલિકાને રૂ. 16.98 કરોડ, વડનગર નગરપાલિકાને રૂ. 1.27 કરોડ અને કડી નગરપાલિકાને રૂ. 39.65 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો-નગરોમાં વસવાટ કરતા નાગરિકોના જીવનધોરણમાં સુધારો થાય તેવો અભિગમ રાખીને આ નાણાં ફાળવણી કરી છે.

આ પણ વાંચો....

દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
YouTube પર AI વીડિયોની હવે નહીં ચાલે ચાલાકી, ખુદ બતાવી દેશે કઇ કન્ટેન્ટ છે નકલી
YouTube પર AI વીડિયોની હવે નહીં ચાલે ચાલાકી, ખુદ બતાવી દેશે કઇ કન્ટેન્ટ છે નકલી
રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જનજીવન પ્રભાવિત, દાહોદમાં હોર્ડિગ્સ પડતાં એકનું મૃત્યુ
રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જનજીવન પ્રભાવિત, દાહોદમાં હોર્ડિગ્સ પડતાં એકનું મૃત્યુ
Embed widget