શોધખોળ કરો

મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રીએ ખોલ્યો ખજાનો, 710 કરોડની કરી ફાળવણી, જાણો કોને કેટલા રૂપિયા મળશે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરી જનસુખાકારી માટે ભંડોળની ફાળવણી

Bhupendra Patel urban development news: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 208 કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ 710 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીનો આ નિર્ણય સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિ માટે નાણાં ફાળવવાનો એક સ્તુત્ય અભિગમ છે.

નવરચિત આણંદ મહાનગરપાલિકાને રૂ. 45 કરોડ, મોરબીને રૂ. 80 કરોડ, નડિયાદને રૂ. 21.90 કરોડ, વાપીને રૂ. 21.50 કરોડ, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકા પ્રત્યેકને રૂ. 20-20 કરોડ મળશે.

આ ઉપરાંત, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાઓ તથા પાટણ, સિદ્ધપુર, વડગનર અને કડી નગરપાલિકાને આગવી ઓળખના કામો, આંતરમાળખાકીય સુવિધાના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો સહિતના વિકાસ કામો માટે રૂ. 502 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી મહાનગરપાલિકાઓને ત્વરાએ સક્ષમતાથી જન સેવા કામો માટે કાર્યરત થવા પુરતું માનવ સંસાધન પણ પૂરું પાડ્યું છે.

હવે, આ નવરચિત મહાનગરપાલિકાઓ નગરજનોની જન સુખાકારી માટેના કામો પણ ફુલ ફ્લેજ્ડ હાથ ધરી શકે તે માટે વહીવટી ક્ષમતાવર્ધન અને સાધન સામગ્રી સહિતની આંતરમાળખાકીય સુવિધા માટે છ મહાનગરપાલિકાઓ માટે 208 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ ફાળવણી અંતર્ગત, આણંદ મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 10 કરોડ, વહીવટી ક્ષમતામાં વધારો કરવાના કામો માટે રૂ. 10 કરોડ અને નવા ટાઉનહોલના નિર્માણ માટે રૂ. 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મોરબી મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 12.20 કરોડ, મચ્છુ-2 સિંચાઈ યોજનાની નહેરને કોંક્રિટમાં ફેરવવા માટે રૂ. 55.80 કરોડ અને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 12 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

નડિયાદ મહાનગરપાલિકામાં વિવિધ સુવિધાઓ સભર સિટી બસ સ્ટેન્ડના નિર્માણ માટે રૂ. 1.89 કરોડ, સિટી બ્યુટિફિકેશન માટે રૂ. 10 કરોડ અને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

વાપી, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકામાં વહીવટી ક્ષમતાવર્ધન માટે પ્રત્યેકને રૂ. 10-10 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત વાપીમાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 11.50 કરોડ, નવસારીને રૂ. 10 કરોડ અને ગાંધીધામને રૂ. 10 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકાઓને પણ આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો માટે નાણાં ફાળવણી કરી છે.

વડોદરા મહાનગરપાલિકાને વિવિધ કામો માટે રૂ. 26.42 કરોડ, સુરતને રૂ. 147.57 કરોડ, જામનગરને રૂ. 133.22 કરોડ અને રાજકોટને રૂ. 161 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, સિદ્ધપુર નગરપાલિકાને રૂ. 50.79 કરોડ, પાટણ નગરપાલિકાને રૂ. 16.98 કરોડ, વડનગર નગરપાલિકાને રૂ. 1.27 કરોડ અને કડી નગરપાલિકાને રૂ. 39.65 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો-નગરોમાં વસવાટ કરતા નાગરિકોના જીવનધોરણમાં સુધારો થાય તેવો અભિગમ રાખીને આ નાણાં ફાળવણી કરી છે.

આ પણ વાંચો....

દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, યલો એલર્ટ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, યલો એલર્ટ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Pardi News: પારડીમાં રસ્તાં પર ગટરનું ઢાંકણુ તૂટતા યુવક ગટરમાં ખાબક્યો, સ્થાનિકોએ કર્યું રેસ્ક્યૂ
Pardi News: પારડીમાં રસ્તાં પર ગટરનું ઢાંકણુ તૂટતા યુવક ગટરમાં ખાબક્યો, સ્થાનિકોએ કર્યું રેસ્ક્યૂ
સમાજ સેવા અને રાજકીય નિષ્ઠાનો સંગમ: જનક રમણલાલ જોશીનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ
સમાજ સેવા અને રાજકીય નિષ્ઠાનો સંગમ: જનક રમણલાલ જોશીનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી

વિડિઓઝ

Kumar Kanani: સુરત મનપાની ચૂંટણીમાં AAPનું પ્રભુત્વ ઘટાડવા કાનાણી મેદાને, કાર્યકર્તાઓને શું કરી અપીલ?
Bhushan Bhatt Statement: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, યલો એલર્ટ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, યલો એલર્ટ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
EPFO ઉપાડના નિયમો બદલાયા, જાણો હવે તમે કેટલી રકમ ઉપાડી શકો? ATM સુવિધા ક્યારથી શરુ થશે
EPFO ઉપાડના નિયમો બદલાયા, જાણો હવે તમે કેટલી રકમ ઉપાડી શકો? ATM સુવિધા ક્યારથી શરુ થશે
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Gold Silver Rate: આજે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ 
Gold Silver Rate: આજે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ 
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત, જાણો અહીં  
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત, જાણો અહીં  
SBI માં 36 મહિના માટે ₹3,60,000 ની FD કરાવવા પર કેટલું મળશે રિટર્ન? સમજો કેલક્યુલેશન 
SBI માં 36 મહિના માટે ₹3,60,000 ની FD કરાવવા પર કેટલું મળશે રિટર્ન? સમજો કેલક્યુલેશન 
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Embed widget