શોધખોળ કરો

Amreli: પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ, લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા અને....

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.  મહેશ રાઠોડ નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ 376 મુજબ ગુન્હો નોંધાયો છે.

અમરેલી:  અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.  મહેશ રાઠોડ નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ 376 મુજબ ગુન્હો નોંધાયો છે. લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. 

ભોગબનાર મહિલા સાથે પોલીસ કર્મચારીએ અવાર-નવાર શારીરિક સબંધો બાંધ્યા હતા. મહિલા સાથે શારીરિક સબંધો બાંધી લગ્નની લાલચ આપતો હતો.  મહેશ રાઠોડ હાલ ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે. ગુન્હો નોંધાતા મહેશ રાઠોડ હાલ તો ફરાર થઈ ગયો છે.  

સમગ્ર અહેવાલ અનુસાર, મહિલાને પતિ સાથે મનદુખ થતા અંદાજે ચાર વર્ષ પહેલા વિસાવદર કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો.ન્યાય માટે અવાર નવાર ધારી પોલીસ મથકે જતી ત્યારે ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મહેશ રાઠોડના સંપર્કમાં આવી હતી. પોતે પણ પોતાની પત્નીથી દુ:ખી હોવાનું જણાવી પોતે પોલીસમાં છે અને મદદ કરશે તેમ કહી મહિલાને પ્રેમ ઝાળમાં ફસાવી હતી.  

અમરેલી કૂવામાંથી મળેલ મૃતદેહ મુદ્દે મોટો ખુલાસો

અમરેલીના લાલાવદરની સીમામાં આવેલા ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો છે. અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરી ને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આજે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.

ગત તારીખ 12 જાન્યુઆરીની સવારે અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમા એક દંપતિ અને એક આઠ વર્ષની કિશોરી ના મૃતદેહો હતા. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના આધારે ત્રણેય મૃતદેહ ને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર મોકલાયા હતા. જેમા ત્રણેયની હત્યા થઈ હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આજે (15 જાન્યુઆરી)ના રોજ હત્યાના ચાર આરોપીઓ પૈકી ત્રણ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે.

હત્યા કરવા પાછળનું ચોકાવનારૂ કારણ બહાર આવ્યું છે. થોડા મહિનાઓ પહેલા આ હત્યાકાંડનાં મુખ્ય આરોપી ભુરા મોહન બામનીયાની દિકરી નુ બીમારી સબબ અવસાન થયું હતું. પરંતુ ભુરા મોહનને મનમાં એવી શંકા હતી કે તેમની દીકરી પર મૃતક દંપતિ એ તાંત્રિક વિધિ કરી હતી જેના કારણે મૃત્યુ થયું હતું. બસ આ વાતની અદાવત રાખીને તેમણે આ દંપતીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો  અને ગત દસ તારીખ ની રાત્રે ચાર લોકો (1) બબલુ ઉર્ફે પ્યાર સિંહ ભુરસિંહ વસુનીયા, (2) મેર સિંહ તીનચીયા પારદીયા, (3) ઈન્દ્ર કિશન વસુનીયા, અને (4) ભુરા મોહન બામનીયા લાલાવદરની સીમમાં પહોંચ્યા હતા અને દંપતિનું ગળુ દબાવી ને હત્યા કરી હતી. જોકે ત્યા હાજર રહેલી એક આઠ વર્ષ ની કિશોરી એ આ હત્યા તેમની નજર સામે જોઈ હતી અને હત્યારાઓને ઓળખી જતા તેમની પણ હત્યા કરી અને ત્રણેય લાશોને કુવામાં ફેંકી દીધી હતી.

નોંધનીય છે કે, અમરેલીના લાલવદર ગામે આવેલ દકુભાઈ ધાનાણી નામના ખેડૂત સવારે વાડીએ આવતાં તેમને આ બનાવ અંગે જાણ થઈ હતી. ખેડૂતો આ અંગે પોલીસને જાણ કરી હતી. અમરેલી તાલુકા પોલીસ, અમરેલી ફાયર ફાયટરની ટીમ સાથે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાંસદ સહિતના લોકો કુવામાંથી મૃતદેહને બહાર કાઢવા કામે લાગ્યા હતા. વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા જાનુબેન અંતુરભાઈ દેવરખીયા નામની બે મહિલા સહિત 3 પરપ્રાંતિય વ્યક્તિની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી. બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ત્રણેયે બે દિવસ પહેલા કુવામાં ઝંપલાવ્યું હતું. કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે એ કારણ જાણવા સહિતની વિગતો મેળવા તજવીજ હાથ ધરી છે.

 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! 18 થી 20 માર્ચ વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! 18 થી 20 માર્ચ વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાત માટે સારા સમાચાર: કુપોષણ સામેની જંગમાં મોટી જીત, એક જ વર્ષમાં દરમાં 9.1% નો જંગી ઘટાડો!
ગુજરાત માટે સારા સમાચાર: કુપોષણ સામેની જંગમાં મોટી જીત, એક જ વર્ષમાં દરમાં 9.1% નો જંગી ઘટાડો!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
Embed widget