શોધખોળ કરો

કોરોના વાયરસને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય: 31 માર્ચ સુધી આખું ગુજરાત લોકડાઉન, તમે જે જાણવા માંગો છે તે

હવે કોરોના વાયરસને લઇને ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી 31 માર્ચ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું છે.

અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધીના કોરોનાના 30 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ત્યારે અગાઉ જે જિલ્લામાંથી કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં તે જિલ્લાઓમાં લોકડાઉનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે ત્યારે હવે કોરોના વાયરસને લઇને ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી 31 માર્ચ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું છે. આ નિર્ણય ગુજરાતના ડીપીજી દ્વારા લેવામાં આવ્યો હતો. ડીજીપી શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સના મહત્વના અંશો પર એક નજર કરો. સોમવાર રાતે 12 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવે છે. આ આદેશનું રાત્રે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી ચુસ્ત અમલીકરણ કરવામાં આવશે. આ માટેનું વિગતવારનું અધિકૃત જાહેરનામું ગૃહ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ છે. આવા લોકડાઉનમાં રાજ્યની અન્ય રાજ્યો સાથેની તમામ આંતરરાજ્ય બોર્ડરો સીલ કરવામાં આવનાર છે. આગળ જણાવ્યા પ્રમાણેની આવશ્યક બાબતો સિવાયની તમામ અવર જવર બંધ કરવામાં આવશે . તમામ પ્રકારના માલવાહક વાહનો Transport / Goods Vehicle (કાર્ગો સહિત ) રાબેતા મુજબ ચાલુ રહેશે જેથી તમામ જીવન જરૂરીયાતની વસ્તુઓની અછત ન પડે. જે સેવાઓ-વ્યક્તિઓને આ લોકડાઉન લાગુ નહીં પડે તે નીચે પ્રમાણે છે. જે મેડીકલ સ્ટોર છે કરિયાણાની દુકાનો , દુધ - શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જ જરૂરી સરકારી સેવાઓ વિગેરે જેવી આવશ્યક સેવાઓ ચાલુ નિયમિત રીતે ચાલુ રહેશે . આ સેવાઓના કેન્દ્રો અથવા દુકાનોને કોઇ અસર નહીં થાય અને આ સેવાઓ માટે Transportની વ્યવસ્થા પણ ચાલુ રહેશે. ટેક્ષી, કેબ, રીક્ષા, લકઝરી બસ, પબ્લિક ટ્રાન્સપોટેશન બંધ રહેશે. ખાનગી વાહનો ટુ વ્હીલર્સ-ફોર વ્હીલર્સની અવરજવર ઓછી કરવાના હેતુથી ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં માત્ર બે વ્યકિત જ મુસાફરી કરી શકશે. આ નિર્ણય જનતાના હીતમાં લેવામાં આવે્યો છે. જેથી આ નિર્ણયનો અમલ કરાવવા માટે પોલીસને તમામ પ્રકારે સહયોગ આપવા આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે . સ્થાનિક કક્ષાએથી દરેક પોલીસ સ્ટેશન દ્વારા પણ આ લોકડાઉનનો અમલ કરાવવા માટે પણ પગલાં લેવામાં આવશે જેને પણસહયોગ આપવો. જે લોકો દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે અથવા પોલીસને સહયોગ કરવામાં નહીં આવે તેની સામે ગુનો દાખલ કરવા સહિતના કાયદેસરના પગલાં લેવામાં આવશે. લોકડાઉનના અસરકારક અમલીકરણ કરવા માટે અલગથી જે ફોર્સ ફાળવવામાં આવેલ છે , તે નીચે પ્રમાણે છે. રાજ્ય ભરમાં SRPFની કુલ ૬ કંપનીઓ ફાળવવામાં આવેલ છે. ઉપરાંત RAFની 4 કંપની ફાળવવા પણ આયોજન કરવામાં આવેલ છે. લોકડાઉનાQuarantine સંદર્ભે હાલ સુધી લેવાયેલ કાયદેસરના પગલાંની વિગત - ક . 188 ના જાહેરનામાના ભંગ બદલ ગુના - 62 દાખલ કરવામાં આવેલ છે. કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદાના ભંગ બદલ ગુના - 18 દાખલ કરવામાં આવેલ છે . ( IPC - 269 , 270 , 271 )
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget