શોધખોળ કરો

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ: ભાજપ નેતાએ અધિકારીઓ અને વચેટિયાઓને ઘેર્યા

હલકી ગુણવત્તાવાળી મગફળી વેચાઈ હોવાનો આક્ષેપ, ખોટા ૭ ૧૨ રજૂ કરાયા, કૌભાંડથી ખરીદી આંકડો વધ્યો: ભરત કાનાબાર.

Groundnut Purchase Corruption: ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ ભાજપના નેતા ભરત કાનાબારે લગાવ્યો છે. કાનાબારે આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓની સાંઠગાંઠથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં બજારમાંથી ખરીદાયેલી હલકી ગુણવત્તાવાળી મગફળી સરકારને વેચવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ડૉ. ભરત કાનાબારે આ બાબતે અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ ગોલમાલ થઈ છે, જેમાં વેપારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓએ મિલીભગત કરીને ફાયદો ઉઠાવ્યો છે.  કાનાબારે દિલીપ સંઘાણીના ખેડૂતો માટેના પ્રામાણિક પ્રયાસોની પ્રશંસા કરી હતી, પરંતુ સાથે જ સરકારમાં હલકી ગુણવત્તાવાળી મગફળી પધરાવવાનું કારસ્તાન ચાલતું હોવાનો દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે સરકારનો ખેડૂતોને ફાયદો કરાવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે MSP યોજના પણ ચલાવવામાં આવે છે, પરંતુ સરકારી યોજનાઓમાં ગેરરીતિ કરવાનો અધિકારીઓ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે.

તો બીજી તરફ, મનહર પટેલે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારનો ઈરાદો ભ્રષ્ટાચારીઓ પર લગામ લગાવવાનો નથી. મનહર પટેલે ભ્રષ્ટ અધિકારીઓ પર સરકાર લગામ લગાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે ખેડૂતો પણ પરેશાન હોવાની વાત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે "ભાજપની ચંડાળ ચોકડી જ ભ્રષ્ટાચાર કરે છે" અને સરકારી તંત્રનો મિજાજ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો નથી.  મનહર પટેલે ડાંગર કૌભાંડના આરોપી કેટલા દિવસમાં પકડાયો તે સવાલ ઉઠાવીને સરકારની કામગીરી પર પ્રશ્નચિહ્ન મૂક્યું હતું અને કટાક્ષમાં કહ્યું હતું કે "દાદાની સરકાર બપોરના સમયે ઊંઘી જાય છે".

દિલીપ સખિયાએ આ ઘટનામાં નૈતિક્તાનો અભાવ હોવાનું જણાવ્યું હતું અને ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનું કહ્યું હતું. તેમણે સરકારને નક્કર પોલિસી લાવવા અને ખેડૂતોનું પાણીપત્ર ઓનલાઈન ભરવાની તથા ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું છે કે કેમ તેની જાણકારી હોવી જરૂરી હોવાનું સૂચન કર્યું હતું.

કગથરાએ પણ મગફળીની ખરીદીમાં અગાઉ પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવીને ભ્રષ્ટ અધિકારીઓ ખેડૂતો પાસેથી ૭ ૧૨ ઉઘરાવતા હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે મગફળીના ટેકાના ભાવ અને બજાર કિંમતમાં ઘણો તફાવત હોવાની વાત કરીને ભાજપના નેતાઓને ખેડૂતોની મજાક કરવાનું બંધ કરવા જણાવ્યું હતું અને ભાજપ સરકારમાં અનેક મોટા કૌભાંડ થયા હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો....

બાધવા તૈયાર રહેજો...' દેવાયત ખવડની ડાયરાના આયોજકેનો ખુલ્લી ચેતવણી, કહ્યું - હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર છું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Banaskantha: મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને, ત્રણ તાલુકા સિવાયના ખેડૂતો બાકાત રખાતા આંદોલનની ચીમકી
Banaskantha: મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને, ત્રણ તાલુકા સિવાયના ખેડૂતો બાકાત રખાતા આંદોલનની ચીમકી
Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી જામશે ચોમાસું
Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી જામશે ચોમાસું
Morbi Accident: હળવદમાં નશામાં ધૂત બુલેટચાલકે 4 વિદ્યાર્થિનીઓને કચડી, 11 વર્ષીય રોશનીનું મોત
Morbi Accident: હળવદમાં નશામાં ધૂત બુલેટચાલકે 4 વિદ્યાર્થિનીઓને કચડી, 11 વર્ષીય રોશનીનું મોત
Rain: ચોમાસાની તોફાની એન્ટ્રી, આજે રાજ્યના આ 14 જિલ્લા અને સંઘપ્રદેશમાં ભારે વરસાદની આગાહી
Rain: ચોમાસાની તોફાની એન્ટ્રી, આજે રાજ્યના આ 14 જિલ્લા અને સંઘપ્રદેશમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Morbi Accident News: મોરબીના હળવદ નજીક વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત
વેનેઝુએલામાં વિનાશકારી ભૂકંપ, રાજધાની કારાકાસમાં વ્યાપક નુકસાન
Rajkot | જસદણનું આલ્ફા ટ્રેનિંગ સેન્ટર આવ્યું વિવાદમાં, બેદરકારીના કારણે 9 વર્ષની બાળકીના મોતનો આરોપ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
Embed widget