શોધખોળ કરો

વાવાઝોડુ હવે ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે, જાણો આ સમયે પવનની કેટલી રહે છે ગતિ, હવામાન વિભાગે શું કરી આગાહી

ચક્રવાત બિપરજોય હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તે આજે બપોર સુધીમાં રાજસ્થાનમાં ત્રાટકી શકે છે. હવે આ વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. જાણીએ ડીપ ડિપ્રેશનમાં પવનની કેટલી સ્પીડ હોય છે.

Biparjoy Cyclone:ચક્રવાત બિપરજોય હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તે આજે બપોર સુધીમાં રાજસ્થાનમાં ત્રાટકી શકે છે.  હવે આ વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. જાણીએ ડીપ ડિપ્રેશનમાં  પવનની કેટલી સ્પીડ હોય છે.

જાણો ડીપ ડિપ્રેશન શું છે?

જ્યારે પવનની ગતિ 31-50 કિમી/કલાકની આસપાસ હોય ત્યારે તેને ડિપ્રેશન કહેવામાં આવે છે. બીજી તરફ, જ્યારે પવનની ગતિ 51-62 કિમી/કલાકની વચ્ચે હોય ત્યારે તેને ડીપ ડિપ્રેશન કહેવામાં આવે છે. આ ગતિ પછી, ડિપ્રેશન તોફાન બની જાય છે. સુપર સાયક્લોનિક તોફાન: 220 કિમી/કલાકથી વધુની ઝડપે આગળ વધે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છથી વાવાઝોડુ પસાર થઇ ગયું છે પરંતુ હજું પણ તેની અસર હવામાનમાં જોવા મળી રહી છે.  જો કે કચ્છમાં હાલ  75થી 95 કિ.મીની ઝડપે પવન ફુકાઇ રહ્યો છે, વાવાઝોડાની અસરના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ છૂટછવાયો વરસાદ થઇ શકે છે. રાજ્યમાં હજું પણ તમામ બંદરો પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ મૂકવામાં આવ્યું છે.

હાલ વાવાઝોડાની આઈ દેખાઈ નથી રહી. જ્યારે આઈ દેખાતી હતી ત્યારે તે 50 કિલોમીટરમાં ફેલાયેલી હતી. આજે પૂરું વાવાઝોડું પૂર્ણ નહીં થાય. પરંતુ સાંજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શકયતા છે. સૌથી વધુ ગાંધીધામમાં 67 cm વરસાદ નોંધાયો છે.

ભારતના હવામાન વિભાગ (IMD) ના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ વાવાઝોડું બિપરજોય સંબંધિત નવીનતમ માહિતી આપી છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું.

બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 22 કલાકના એટલે કે 15 તારીખ સવારે 6 થી 16 તારીખ સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે.

છેલ્લા 22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

  • કચ્છના ગાંધીધામમાં 6.6 ઇંચ વરસાદ
  • કચ્છના મુંદ્રામાં 3.7 ઇંચ વરસાદ
  • દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ વરસાદ
  • કચ્છના અંજારમાં 3.5 ઇંચ વરસાદ
  • જામનગરના જામજોધપુરમાં 3.5 ઇંચ વરસાદ
  • બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ
  • કચ્છના ભચાઉમાં 2.5 ઇંચ વરસાદ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget