શોધખોળ કરો

Crime News: વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, માતા અને ભાઇએ ધર્મ પરિવર્તન કરતા પિતાએ ભર્યું આ પગલું

બનાસકાંઠામાં ડીસાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાના આત્મહત્યાના પ્રયાસના કેસમાં તપાસ શરૂ કરી છે

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ડીસાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાના આત્મહત્યાના પ્રયાસના કેસમાં તપાસ શરૂ કરી છે. મળતી જાણકારી અનુસાર, જપુર ગવાડીના યુવક એઝાઝ શેખે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહી યુવતી, તેની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બાદમાં યુવકે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરાવી ત્રણેય લોકોને અલગ રહેવા લઈ ગયો હતો.

આ મામલે પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી એઝાઝ શેખ અને સત્તાર હાજીની અટકાયત કરી હતી. જો કે હજુ પણ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિતાની પણ હાલત ગંભીર છે. પિતાએ યુવકને તેમની પુત્રી, પત્ની અને પુત્રને પરત મોકલી દેવા કહ્યુ હતું. પરંતુ યુવકે 25 લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપતા પિતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાંથી બેની અટકાયત કરવામાં આવી છે.

Surat: મુસ્લિમ પત્નીએ યુવકને ખવડાવ્યુ ગૌમાંસ, ફેસબુક પર સુસાઇડ નોટ પોસ્ટ કરી યુવકની આત્મહત્યા

સુરતઃ સુરતના ઉધનામાં યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં યુવક રોહિતને મુસ્લિમ પત્ની સોનમ અને તેના ભાઇ મુક્તાર અલીએ ગૌમાંસ ખવડાવી દેતાં આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. રોહિતે બે મહિના અગાઉ આપઘાત કર્યો હતો પરંતુ સુસાઇડ  નોટના આધારે આ અંગેનો ખુલાસો થયો હતો.

પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે રોહિતને મિલમાં સાથે કામ કરતી વખતે મુસ્લિમ યુવતી સોનમે રોહિતને ફસાવ્યો હતો. સોનમે રોહિતને પોતાના વશમાં કરીને પરિવારથી પણ અલગ કરી દીધો હતો.

યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારી પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગાયનું માંસ ખવડાવી દીધું હતું, જેને કારણે આ પગલું ભર્યું છે. યુવકની માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેના ભાઈ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ કહ્યું હતું કે સોનમ મુસ્લિમ હતી અને તેના અગાઉ લગ્ન થયા હોવાની અમે રોહિતને લગ્ન ન કરવા માટે ના પાડી હતી પરંતુ રોહિત અમારી વાત માન્યો નહોતો અને સોનમ સાથે પ્રેમ લગ્ન કરી છેલ્લા એક વર્ષથી અલગ રહેતો હતો અને તેણે અમારી સાથે કોઈ સંબંધ પણ રાખ્યો ન હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget