શોધખોળ કરો

Gujarat Election 2022: પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી લડવાને લઈને આપ્યું મોટું નિવેદન

વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ મેદાન જનસભાઓ ગજવી રહી છે. તો બીજી તરફ ઘણા નેતાઓ પાર્ટી પણ બદલી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ મેદાન જનસભાઓ ગજવી રહી છે. તો બીજી તરફ ઘણા નેતાઓ પાર્ટી પણ બદલી રહ્યા છે. આ કડીમાં ગુજરાતમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર ફરી કોંગ્રેસમાં જોડાયા છે. જો કે, વાત તો એવી પણ સામે આવી રહી છે તે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

આ બધી અટકળો વચ્ચે બનાસકાંઠા લાખણીમાં ઘાણા ગામમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 27 વર્ષથી ચાલતું એકધારું સાશન જે અતિ કહેવાય એ નકામું છે. ગુજરાતની જનતા આ સરકારને દૂર કરો. ભાજપે પ્રજાને છેતરવા સિવાય કંઈ જ કર્યું નથી. કોંગ્રેસના મિત્રોને રિપીટ કરો જે ન હોય ત્યાં નવા મોકલી આપો અને સારી સરકાર બનાવો. કોંગ્રેસના ઉમેદવારોને ભરપૂર મત આપો. 

કોંગ્રેસમાં જોડાવું કે ન જોડાવું એ અલગ બાબત છે, પણ આ જૂઠી સરકારને હટાવવી જરૂરી છે. આ વખતે મતોનું વિભાજન ન થાય તે માટે કોંગ્રેસ કોંગ્રેસ અને કોંગ્રેસ. યુનિફોર્મ સિવિલ કોડ બધા નાટક છે, શું તમે 27 વર્ષથી ભજીયા ખાતા હતા. હું કોઈ એક વિધાનસભાથી ચૂંટણી નથી લડવાનો. હું 182 વિધાનસભાથી લડવાનો નથી. જરૂરી નથી કે તમે એક વિધાનસભાથી લડું. ભાજપ માટે મારા મોઢા માંથી કોઈ સારા શબ્દો નીકળતા નથી. જે પાર્ટીને ખભે બેસાડીને ગુજરાતમાં બેસાડી હોય તેનો મને વસવસો છે કે ખોટા લોકોના હાથમાં સતા આવી ગઈ.

અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાગનગરના ગારિયાધારમાં આયોજીત કાર્યક્રમમાં અલ્પેશ સત્તાવાર રીતે આપ પાર્ટીમાં જોડાયા હતા. ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

અલ્પેશ કથિરીયા વરાછા બેઠક પરથી તો ઓલપાડ બેઠક પરથી ધાર્મિક વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. આપમાં જોડાયા બાદ અલ્પેશે કહ્યું હતું કે રાજનીતિના મંચ પર જઇને કંઇક કરવાનો અમે નિર્ણય કર્યો છે. અલ્પેશ કથિરીયાએ પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા 14 લોકોને યાદ કર્યા હતા. અલ્પેશે કહ્યું કે 14 મહિનાથી વધારે જેલવાસ ભોગવ્યો છે. અનેક કેસો થયા છે. પરિવર્તનની લહેરમાં ખભે ખભો મેળવી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં ગરીબી, બેરોજગારી ઓછી થાય  અને શિક્ષણ સારુ મળે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.

યુનિફોર્મ સિવિલ કોડ બને-કેજરીવાલ

ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના પ્રશ્ન પર મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના ભાવનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાના પ્રસ્તાવ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે. આ સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમનો ઈરાદો ખરાબ છે. બંધારણની કલમ 44 સ્પષ્ટપણે જણાવે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી સરકારની છે, તો સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ. તેને એવો બનાવવો જોઇએ જેમાં તમામ સમુદાયોની સહમતિ હોય. તેમણે કહ્યું કે તમામ સમુદાયોને સાથે લઈને યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતની 53 હજાર આંગણવાડી બહેનો થશે હાઈટેક: CM ભૂપેન્દ્ર પટેલ આપશે મોટી ભેટ, જાણો કોને-ક્યારે મળશે લાભ
ગુજરાતની 53 હજાર આંગણવાડી બહેનો થશે હાઈટેક: CM ભૂપેન્દ્ર પટેલ આપશે મોટી ભેટ, જાણો કોને-ક્યારે મળશે લાભ
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?
Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG કટોકટી વચ્ચે પાછું આવ્યું કેરોસીન: હવે પેટ્રોલ પંપ પરથી મળશે, સરકારે 60 દિવસ માટે નિયમો હળવા કર્યા
LPG કટોકટી વચ્ચે પાછું આવ્યું કેરોસીન: હવે પેટ્રોલ પંપ પરથી મળશે, સરકારે 60 દિવસ માટે નિયમો હળવા કર્યા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
Embed widget