શોધખોળ કરો

Gujarat Politics : કોગ્રેસ છોડનાર વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાઇ શકે છે, સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત

વિશ્વનાથસિંહ વાઘેલાએ અનુરાગ ઠાકુર અને પ્રદીપસિંહ વાઘેલા સાથે પણ મુલાકાત કરી હતી

ગાંધીનગરઃ ગુજરાત યુથ કોગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા ભાજપમાં જોડાઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત યુથ કોગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા ભાજપમાં જોડાઇ શકે છે. તેઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત વિશ્વનાથ સિંહ વાઘેલાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરી હતી. મહત્વનું છે કે એક દિવસ અગાઉ જ વિશ્વનાથસિંહ વાઘેલાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતુ.

વિશ્વનાથસિંહ વાઘેલાએ અનુરાગ ઠાકુર અને પ્રદીપસિંહ વાઘેલા સાથે પણ મુલાકાત કરી હતી. મહત્વનું છે કે ગઈકાલે યૂથ કૉંગ્રેસના પ્રમુખપદેથી વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા કૉંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. પાર્ટી છોડતાની સાથે જ વિશ્વનાથસિંહે કૉંગ્રેસ પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોગ્રેસ એક જ પરિવારની ભક્તિમાં લીન છે. મારા જેવા અનેક યુવાઓ કૉંગ્રેસમાં પોતાનો સમય વેડફે છે. તેમણે સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે મને પ્રમુખ બનાવવા કૉંગ્રેસે મારી પાસેથી દોઢ કરોડ રૂપિયા દીધા હતા. પરંતુ હવે વિશ્વનાથસિંહ વાઘેલાનું ભાજપમાં જોડાવવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

 

Teachers Day 2022: પૂણેની આ અનોખી શાળામાં 365 દિવસ અભ્યાસ ચાલે છે, 20 વર્ષથી એક પણ દિવસ રજા નથી પડી

Teachers Day 2022: પૂણેથી લગભગ 60 કિમી પૂર્વમાં, એક એવી સરકારી શાળા છે જે છેલ્લા 20 વર્ષથી બંધ નથી. આ શાળામાં 365 દિવસ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ પ્રાથમિક શાળા એક નાનકડા ગામ કર્દેલવાડીમાં આવેલી છે જે વર્ષના દરેક દિવસે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી રહે છે અને 2001 થી રજા પાડી નથી. શાળા વર્ષમાં 365 દિવસ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની ટીમે આ વર્ષે બે વાર શાળાની મુલાકાત લીધી છે.

શિક્ષીકાને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મળ્યો છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સરકારી શાળાનું સંચાલન એક શિક્ષક દંપતી દત્તાત્રેય અને બેબીનંદ સકટ દ્વારા કરવામાં આવે છે, બંને જિલ્લા પરિષદના શિક્ષકો છે. આ બંનેની નિમણૂક વર્ષ 2001માં શાળામાં થઈ હતી. ત્યારથી આ શાળા છેલ્લા 20 વર્ષમાં ક્યારેય વિદ્યાર્થીઓ માટે એક દિવસ માટે પણ બંધ થઈ નથી. ઉપરાંત, દત્તાત્રેય અને બેબીનંદ સાકટે ત્યારથી ક્યારેય રજા લીધી નથી. શાળામાં ક્યારેય રજા ન હોય તેની ખાતરી કરવા માટે, આ શિક્ષકો લગ્ન અને અંતિમ સંસ્કારથી સંપૂર્ણપણે દૂર રહે છે. આ શિક્ષકોના પ્રયાસો માટે શાળાને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. આ શાળાને જિલ્લા પરિષદ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ મળી છે. આ સાથે બેબીનંદાને રાષ્ટ્રપતિ તરફથી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પણ મળ્યો છે.

વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ, નેટ સર્ફિંગ અને સંગીત વગેરે શીખે છે

આ શાળા વિશે શિક્ષક દત્તાત્રેયે જણાવ્યું હતું કે, "મારી અન્ય શાળામાં 11 વર્ષ સેવા આપ્યા પછી અહીં બદલી કરવામાં આવી હતી. હું શાળામાં આવ્યો હતો, ચાર ઓરડાઓવાળી જૂની એક માળની ઇમારત. તે દરમિયાન આ શાળામાં ઓછા વિદ્યાર્થીઓ હતા. શાળાની હાલત પણ ખરાબ હતી. અમે બાગકામ, દિવાલો પર ચિત્રકામ, માટીમાંથી રમકડાં બનાવવા, શાળાના દેખાવ અને વાતાવરણને જીવંત બનાવવા જેવી નાની-નાની બાબતોથી શરૂઆત કરી. ત્યાર બાદ અમે જોયું કે બાળકો પ્રવૃત્તિઓમાં રસ લે છે. અમે તેમને અભ્યાસક્રમ સાથે અન્ય પ્રવૃત્તિઓ શીખવવાનું નક્કી કર્યું.

સાકત દંપતીએ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું શરૂ કર્યું. આ શાળામાં વિદ્યાર્થીઓ રંગકામ કરે છે, સ્કેચ બનાવે છે, ફિલ્મો કે નાટકો જુએ છે, માટીની વસ્તુઓ બનાવે છે. આ ઉપરાંત આ શાળામાં ઈન્ટરનેટ સર્ફિંગની સાથે સંગીત પણ શીખવવામાં આવે છે. સાથે જ શિક્ષક બેબીનંદાએ કહ્યું કે અહીં માત્ર ઔપચારિક શિક્ષણ જ ઉપલબ્ધ નથી. અમે વિદ્યાર્થીઓને બાલભારતી પાઠ્ય પુસ્તક મુજબ અભ્યાસક્રમ શીખવીએ છીએ. જો કે તે મરાઠી માધ્યમની શાળા છે. અમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવીએ છીએ અને CBSE, ICSE પાઠ્ય પુસ્તકો પણ શીખવવામાં આવે છે.

મળતી માહિતી મુજબ, કેટલાક ગ્રામજનોએ શાળાને જૂના કોમ્પ્યુટર, એલસીડી સ્ક્રીન અને એર કંડિશનર દાનમાં આપ્યા છે. શિક્ષક દંપતીએ એક રૂમને પ્રયોગશાળામાં રૂપાંતરિત કર્યો, જ્યાં વિદ્યાર્થીઓ કાં તો રમતો રમે છે અથવા હવે શિક્ષકો દ્વારા પસંદ કરેલા વિષયો પર ઇન્ટરેક્ટિવ લેક્ચર આપવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા પરિપત્રથી ખેડૂતો નારાજ: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોટા વધારવા અંગે શું મોટો દાવો કર્યો?
નવા પરિપત્રથી ખેડૂતો નારાજ: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોટા વધારવા અંગે શું મોટો દાવો કર્યો?
ગુજરાતમાં હવામાન પલટાયું: મેઘરાજાની તોફાની એન્ટ્રી! ગુજરાતના આ 3 જિલ્લાઓમાં કરા સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં હવામાન પલટાયું: મેઘરાજાની તોફાની એન્ટ્રી! ગુજરાતના આ 3 જિલ્લાઓમાં કરા સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget