![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં થયો વધારો, આ શહેરમાં નોંધાયા 16 નવા કેસ
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા હતા.
![Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં થયો વધારો, આ શહેરમાં નોંધાયા 16 નવા કેસ Gujarat Corona Cases: Corona cases have increased in the last 24 hours in the state Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં થયો વધારો, આ શહેરમાં નોંધાયા 16 નવા કેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/09/4144be0f6fe383dd6a64a6b1fa26e0ec_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 36 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,521 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,09,727 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 16, સુરત કોર્પોરેશનમાં 5, વલસાડમાં પાંચ, વડોદરા કોર્પોરેશનમાં ચાર, જૂનાગઢમાં બે, મોરબીમાં બે, રાજકોટ કોર્પોરેશનમાં બે, આણંદમાં એક, ભરૂચમાં એક, ગીર સોમનાથમાં એક, જામગર કોર્પોરેશનમાં એક, કચ્છમાં એક, અને તાપીમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 215 કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 207 નાગરિકો સ્ટેબલ છે. 8,16,521 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 8 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1316 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8621 નાગરિકોને રસીનો પ્રથમ અને 96,528 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26,975 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,76,279 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,09,727 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,28,73,785 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)