શોધખોળ કરો

જામનગરમાં કેટલા દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો લેવાયો નિર્ણય ? તમામ વેપારી સંગઠનો રાખશે દુકાનો બંધ

જામનગરમાં કોરોનાના કેસ વધતા વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસનુ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપાર અને ઉધોગ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. શહેરીજનોને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા તેમજ સહકારની અપીલ કરી છે. 

જામનગરઃ ગુજરાતમાં કોરોના(Corona)એ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે તેમજ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન(Lockdown)ની માંગ ઉઠી છે. બીજી તરફ અનેક શહેર-ગામો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન (self lockdown) આપવામાં આવી રહ્યું છે. 

જામનગર(Jamnagar)માં કોરોનાના કેસ વધતા વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસનુ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપાર અને ઉધોગ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. શહેરીજનોને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા તેમજ સહકારની અપીલ કરી છે. 

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર વેપારી મહામંડળ, જામનગર ફેકટરી ઓનસ એસોસિએશન અને ધી સિડ ઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસિએશનની સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરાઈ છે.

ભાવનગર (Bhavnagar)ના  મહુવા (Mahua)માં પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે. 

 

મહુવામાં બુધવાર રાત્રેથી પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. મહુવા ચેમ્બર ઓફ કોમર્સ અને મહુવા નગર પાલિકા સંયુક્ત સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે જે
તા 14/4/21 બુધવાર રાત્રેથી સતત પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે, તેમાં આવશ્યક વસ્તુ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

 

કોરોના સંક્રમણની ચેઈનને તોડવા 15 દિવસના લોકડાઉનની જરૂર છે. આ માગ કરી છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ કિરીટ ગઢવીએ. રાજ્યમાં કોરોના સંક્રમણ તેની સર્વોચ્ય સપાટીએ છે. દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે એબીપી અસ્મિતા સાથેની વાતમાં કિરીટ ગઢવીએ કહ્યુ કે, ત્રણ ચાર દિવસના લોકડાઉનથી કોઈ મતલબ નથી. કેમ કે ત્રણ ચાર દિવસ બાદ ફરી લોકોના ટોળા થાય છે. એટલે જો સંક્રમણની ચેઈન તોડવી હોય તો 15 દિવસના લોકડાઉનની જરૂર છે.

 

 

 

રાજ્યમાં કોરોનાની ગતિ બેફામ બની છે. દરરોજ સામે આવતા કેસ અને મોતના આંકડાઓ ભયાનક છે. દરરોજ સામે આવતા આંકડાઓ પાછલા તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. મંગળવારે કોરોનોના કેસ અને કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો હચમચાવી દે તેવો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

 

 

 

રાજ્યમાં ગઈકાલે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ
આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ
ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?
ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ!
Hun To Bolish : હું તો બોલીશ : માનવ જિંદગી મહત્વની
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
Petrol Price Hike : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો, વાહનચાલકોમાં ભારે રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Playoff Scenario 2026: MIના હાથમાં PBKS, KKR અને CSKનું નસીબ, RR માટે જીત જરૂરી, જાણો પ્લેઓફનું ગણિત
IPL Playoff Scenario 2026: MIના હાથમાં PBKS, KKR અને CSKનું નસીબ, RR માટે જીત જરૂરી, જાણો પ્લેઓફનું ગણિત
આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ
આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ
Heatwave : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર
Heatwave : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર
Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ
Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ
PM Modi: PM મોદી અને ટ્રમ્પની આગામી મહિને થઈ શકે છે મુલાકાત, જાણો ક્યાં દેશમાં મળશે?
PM Modi: PM મોદી અને ટ્રમ્પની આગામી મહિને થઈ શકે છે મુલાકાત, જાણો ક્યાં દેશમાં મળશે?
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
RR vs LSG: સૂર્યવંશીના તોફાનમાં ઉડી લખનઉની ટીમ, રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત
RR vs LSG: સૂર્યવંશીના તોફાનમાં ઉડી લખનઉની ટીમ, રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત
Embed widget