શોધખોળ કરો

Morbi Cable Bridge Collapses Live: મોરબી સિવિલમાં મૃત્યુઆંક 80 પર પહોચ્યો, મોતનો આંકડો વધી શકે છે

Morbi Cable Bridge Collapses: મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું કે, 60 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે.

Key Events
Gujarat Morbi Cable Bridge collapses Many People Missing Rescue operation Continue Morbi Cable Bridge Collapses Live: મોરબી સિવિલમાં મૃત્યુઆંક 80 પર પહોચ્યો, મોતનો આંકડો વધી શકે છે
સોર્સ - AAP ગુજરાત ટ્વીટર

Background

Morbi Cable Bridge Collapses: મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુર પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા છે. તમને જણાવી દઈએ કે,નવા વર્ષના દિવસે પુલ શરૂ થયો હતો. હાલમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક ભાજપ નેતા કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે, આ અકસ્માતમાં 60 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે.

દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતી. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હાલમાં એક બાદ એક એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી રહી છે. હજૂ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા. 

સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું

મોરબીની આ દૂર્ઘટના પર સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

પીએમ મોદીએ શું કહ્યું?

આ સમગ્ર ઘટના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલાય તરફથી ટ્વીટ કરીને આપવામાં આવેલી જાણકારી મુજબ, પ્રધાનમંત્રી મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સંબંધીત અધિકારીઓ સાથે વાતચીત કરીને તમામ ટીમોને તાત્કાલીક રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે કહ્યું છે. મોરબીમાં થયેલી આ દુર્ઘટનાની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવા માટે અને અસરગ્રસ્ત થયેલા લોકોને તમામ મદદ કરવા માટે પણ પીએમ મોદીએ સુચના આપી છે.

જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કર્યુંઃ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કરીને મોરબી બ્રીજ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ખુલ્લા મુકાયેલા ઝૂલતા પુલના તૂટી પડવાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો. 400થી વધુ લોકો ઘટનાનો ભોગ બન્યા મોરબી અને આજુબાજુના વિસ્તારના સૌ કોંગ્રેસના કાર્યકર અને આગેવાનોને નમ્ર વિનંતી કે તેઓ જલ્દીથી રાહત કાર્યમાં જોડાય લોકોની મદદ કરે. ઘટનામાં મૃતકોના પરિવારો માટે મારી સંવેદનાઓ.

23:38 PM (IST)  •  30 Oct 2022

પોલેન્ડના વિદેશ મંત્રીએ શોક વ્યક્ત કર્યો.

પોલેન્ડના વિદેશ મંત્રીએ મોરબી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

23:36 PM (IST)  •  30 Oct 2022

30 ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ મોરબી રવાના

મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે બચાવ રાહત કાર્ય માટે ભુજ અને જામનગરના ૬૦ તથા નેવીના ૫૦ જવાનો, ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન તથા રાજકોટ મેડિકલ કોલેજ અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના ૩૦  ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ રવાના થયો છે. આજરોજ સર્જાયેલી મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે ઘાયલ થયેલા નાગરિકોની બચાવ- રાહત કામગીરીના હેતુસર ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટ, જામનગરના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ચંદ્રશેખર તથા ભુજના ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ભાવેશ દુબે કુલ ૬૦ જવાનોના સ્ટાફ સાથે રાજકોટ ખાતે ઘાયલોની મદદ કરવા ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યા છે. 

જામનગર નેવીના કેપ્ટન શ્રીકાંત ૫૦ માણસો અને બચાવ સાધનો સાથે મોરબી જવા રવાના થઈ ચૂક્યા છે. તદુપરાંત, રાજકોટ મેડિકલ કોલેજ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારના 30થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપવા પહોંચી ગયા છે. ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક યુદ્ધના ધોરણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
Embed widget