શોધખોળ કરો

જામનગરઃ પરિવારે જેમને મૃત માનીને અંતિમ સંસ્કાર કરી નાંખ્યા એ વૃધ્ધ બીજા દિવસે ઘરે આવ્યા ને..........

જામનગરના કાલાવડ નાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજી રાઠોડ બે દિવસ પૂર્વે ગુમ થયા હતા.  તેમના પરીવારજનોએ પોતાના પરિવારના સભ્ય ગુમ થવા બાબતે એ ડીવીઝન પોલીસમથકમાં જાણ કરી હતી.

જામનગરઃ જામનગરમાં બનેલી એક અજીબોગરીબ અને આશ્ચર્ય પમાડે તેવી ઘટનામાં પરિવારે જેમને મૃત માનીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા એ વૃધ્ધ જીવિત ઘરે પાછા આવતાં સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા. પરિવારે તપાસ કરતાં જેમના અંતિમ સંસ્કાર કરી દેવાય એ અન્ય વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામનગરના કાલાવડ નાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજી રાઠોડ બે દિવસ પૂર્વે ગુમ થયા હતા.  તેમના પરીવારજનોએ પોતાના પરિવારના સભ્ય ગુમ થવા બાબતે એ ડીવીઝન પોલીસમથકમાં જાણ કરી હતી. બીજી તરફ  છૂટક મજુરી કામ કરતા અન્ય એક વૃદ્ધ કેશુભાઈ બાબુભાઈ મકવાણા પણ ગુમ થયા હતા. શાકમાર્કેટ નજીક વસવાટ કરતા કેશુભાઈ પણ પરિવારના સભ્યોને ના મળતા પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસે કેશુભાઈ મકવાણાનો મૃતદેહ શાકમાર્કેટ નજીકથી મળી આવ્યો હોવાની જાણ તેમના પરિવારજનોને કરી હતી.

  મૃતદેહનો પોલીસે કબજો સંભાળી અને હોસ્પિટલ ખાતે લઇ ગઈ હતી. આ મૃતદેહ કેશુભાઈના પરિવારને અપાતાં  પરિવારજનોએ તેમને કેશુભાઈ મકવાણા સમજી તેમના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

આ ઘટનામાં પરિવારે ખરેખર જેમને પોતાના સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે કેશુ મકવાણા જીવિત હતા અને દયાળજી રાઠોડ ગુજરી ગયા હતા. કેશુભાઈ મકવાણા  અંતિમ સંસ્કાર બાદ પોતાના ઘરે બીજા દિવસે પહોચતાં પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો, કે આમના તો ગઈકાલે અંતિમ સંસ્કાર કર્યા તો જીવિત કેમ ?

પરિવારે આ મામલે પોલીસને જાણ કરી તો સમગ્ર બાબત અલગ દિશામાં લઇ જનારી નીકળી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે,  ખરેખર કાલાવડનાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજી રાઠોડ ગુમ થયા હતા અને તેનો મૃતદેહ શાક માર્કેટ નજીકથી મળી આવ્યો હતો. આ મૃતદેહની ખરાઈ કર્યા વિના જ કેશુ મકવાણાના પરિવારે પોતાના વડીલ સનતીને દયાળજી રાઠોડના અંતિમ સંસ્કર કેશુ બાબુ મકવાણા માનીને કરી નાખ્યા હતા. ખરેખર જે મૃતદેહ મળી આવ્યો હતો તે કેશુભાઈ મકવાણાનો હતો જ નહિ અને તે મૃતદેહ દયાળજીભાઈનો હતો. કેશુભાઈ જીવિત ઘરે પહોચતા આ બાબત સામે આવી હતી.  બંને  પરિવારો પોલીસ મથકે પહોચ્યા અને બાદમાં સ્મશાન ખાતે પહોચીને અસ્થીકુંભમાંથી નામો બદલવાની કાર્યવાહી અને પોલીસ પાસેથી જરૂરી દાખલા લેવાની વિધિ શરુ કરી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી
અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી
Weather Forecast: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, રાજકોટ, અમદાવાદ હોટેસ્ટ સિટી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather Forecast: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, રાજકોટ, અમદાવાદ હોટેસ્ટ સિટી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

વિડિઓઝ

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
જો પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં આવે તો કેટલા સસ્તા થશે? સમજો ગણતરી અને તમને થતો ફાયદો
જો પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં આવે તો કેટલા સસ્તા થશે? સમજો ગણતરી અને તમને થતો ફાયદો
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Embed widget