શોધખોળ કરો

ખંભાતમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું,  હિંમતનગરમાં પણ થશે કાર્યવાહી

ગુજરાતમાં રામનવમીના દિવસે શોભાયાત્રા નિકળી હતી ત્યારે હિંમતનગર અને ખંભાતમાં પથ્થર મારો કરવામાં આવ્યો હતો. હવે આ  હુમલા બાદ ગુજરાતના ખંભાત વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં રામનવમીના દિવસે શોભાયાત્રા નિકળી હતી ત્યારે હિંમતનગર અને ખંભાતમાં પથ્થર મારો કરવામાં આવ્યો હતો. હવે આ  હુમલા બાદ ગુજરાતના ખંભાત વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ દરમિયાન ગેરકાયદેસર બનેલી અનેક દુકાનો તોડવામાં આવી છે. ખંભાતના સંવેદનશીલ શક્કરપુરમાં રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ખંભાતમાં રામનવમી હિંસા મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે.  પોલીસે  આ ગુનામાં 57 લોકો સામે ફરિયાદ નોંધી છે, 11 આરોપીની  ધરપકડ થઈ છે.  46 આરોપીની ધરપકડ બાકી છે.  શકરપુરાની ઘટનામાં 2 મોલવીની સંડોવણી સામે આવી છે.  

રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા હુમલા બાદ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ દરમિયાન ગેરકાયદેસર રીતે બનેલી દુકાનો પર અતિક્રમણ હટાવવામાં આવ્યું છે.  ગેરકાયદેસર સંપત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.  હિંસાના આરોપીઓની પ્રૉપર્ટી પણ ગેરકાયદેસર હોવાની માહિતી પ્રશાસનને મળી છે. જો આ ગેરકાયદેસર છે તો તેને પણ તોડવામાં આવશે. 

રામનવમી પર ગુજરાતના આણંદ જિલ્લામાં હિંસા ભડકી હતી. ખંભાત વિસ્તારમાં ભડકેલી હિંસા પર એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે કે રામનવમીની શોભાયાત્રા પર હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.  પોલીસે કહ્યું કે જુલૂસ પર પથ્થરમાર માટે બહારથી છોકરાઓને ખંભાતમાં લાવવામાં આવ્યા હતા. તે છોકરાઓને વિશ્વાસ અપાવવમાં આવ્યો હતો કે જો તે પકડાઈ જાય છે તો તેને દરેક પ્રકારની કાયદાકીય અને આર્થિક મદદ આપવામાં આવશે. પોલીસે કહ્યું કે ષડયંત્ર રચનારાઓએ કબ્રિસ્તાન પાસે ઊભા રહીને જુલૂસ પર પત્થરમારાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો હતો. આનું કારણ એ હતું કે કબ્રિસ્તાનમાં પત્થર સરળતાથી મળી શકે છે.

ખંભાતના શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યા બાદ ધરપકડનો દોર શરૂ કર્યો છે. હાલ મૌલવી સહિત પકડાયેલા શખસોના રિમાન્ડ લેવામાં આવ્યા છે. બીજી તરફ, જે સ્થળે પથ્થરમારો થયો હતો, છેલ્લાં ઘણાં વર્ષોથી અવારનવાર અને વાર-તહેવારે વિસ્તારમાં કોમી તંગદિલી સર્જાય છે, જેને લઇ હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એના કાયમી નિરાકરણ માટે કવાયત હાથ ધરી છે. આ અંગે જિલ્લા વહીવટી અને પોલીસતંત્ર દ્વારા તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટની ઓળખ કરવામાં આવી છે અને આ સ્થળોની આસપાસ ઝાડીઝાંખરા કે ગેરકાયદે કાચાં કે પાકાં દબાણો સહિતની અડચણ દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
Advertisement

વિડિઓઝ

Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વહાલું, કોણ દવલું?
Hun To Bolish : હું તો બોલીશ : ''લોક ભવન''
Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
SIR Voter List 2003: શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
Embed widget