શોધખોળ કરો

Gujarat Election: નરેશ પટેલે ખોલ્યા પત્તા, જાણો કઈ રાજકીય પાર્ટીનો કરશે પ્રચાર

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  ત્રણેય પક્ષ અને ઉમેદવારો મારા માટે સરખા છે.

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  ત્રણેય પક્ષ અને ઉમેદવારો મારા માટે સરખા છે. હું દરેક પાર્ટીના રાષ્ટ્રીય નેતાને મળતો હોઉં છું. કોઈપણ વ્યક્તિના પ્રચાર માટે જઇશ નહીં. રાજકોટની દક્ષિણ બેઠકમાં ત્રણે ત્રણ ઉમેદવારો લેઉવા પાટીદાર સમાજના છે. જે સારા ઉમેદવારો છે તેને લોકો મત આપશે. રમેશ ટિલાળા પ્રચારમાં નરેશ પટેલે કહ્યું હું કોઈના પ્રચારમાં આ વખતે નહીં જાવ.

તો બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાએ મોટું નિવેદન આપ્યું છે. આગામી દિવસોમાં ખોડલધામમાંથી રાજીનામું આપીશ તેમ તેમણે જણાવ્યું. ચૂંટણી પ્રચારની વ્યસ્તતાના કારણે રાજીનામું નથી આપી શકાયું. ટ્રસ્ટના નિયમ મુજબ ચૂંટણી લડનાર ટ્રસ્ટીએ રાજીનામું આપવાનું હોય છે. દક્ષિણ વિધાનસભા બેઠકના આપ પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયા ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, રમેશ ટીલાળા ભાજપના ઉમેદવાર છે. ભાજપ દ્વારા તેમને રાજકોટ દક્ષિણની બેઠક પરથી ટિકિટ. આપી છે.

આખરે અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

આમ આદમી પાર્ટીએ આજે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ઈસુદાન ગઢવી ક્યાથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. ઈસુદાન ગઢવી જામ ખંભાળીયાથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે જામ ખંભાળીયાથી વિક્રમ માડમને ટિકિટ આપી છે તો બીજેપીએ મુળુ બેરાને ટિકિટ આપી છે.આમ આદમી પાર્ટીનું 16મું લીસ્ટ જાહેર થયું છે. દ્વારકાથી નકુમ લખમણભાઈ બોઘાભા અને  ઈસુદાન ગઢવી જામ ખંભાળીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે.

શું કહ્યું અરવિંદ કેજરીવાલે?

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું કે,  ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી જામ ખંભાળિયામાંથી ચૂંટણી લડશે! ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ પરથી ગુજરાતને નવા અને સારા મુખ્યમંત્રી મળશે.

સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો સૌથી મોટો ઝટકો

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. આ પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિજયભાઈ માંગુકિયા સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ભાવનગર પાસ કન્વીનર નીતિન ઘેલાણી સહિતના લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. પાસના મુખ્ય કન્વીનાર અલ્પેશ કથીરિયા આપમાંથી લડી રહ્યા હોવાથી તેમના માટે આ મોટો ફટકો છે.

નણંદ કરી રહી છે ભાભીની હારનો પ્રચાર ! રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા અને બહેન નયના વચ્ચે રાજકીય લડાઈ

ગુજરાતમાં રાજકીય લડાઈ ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપના બે નેતાઓએ તેને વધુ રસપ્રદ બનાવ્યું છે. આ નેતા ખાસ છે કારણ કે તે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે સીધો સંબંધ ધરાવે છે. એક બાજુ તેની પત્ની રિવાબા જાડેજા અને બીજી બાજુ બહેન નયના જાડેજા છે. જામનગરની ઉત્તર બેઠક એ રાજકારણની પીચ છે. આ બેઠક પરથી ભાજપે જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપી છે. બીજી તરફ હવે કોંગ્રેસની નયના એટલે કે તેની ભાભી ખુલ્લેઆમ તેનો વિરોધ કરી રહી છે. રાજનીતિની આ રમતમાં ભાભી અને ભાભી આમને-સામને છે તે તેમના તાજા નિવેદનો પરથી સ્પષ્ટ થઈ ગયું છે.

આ બેઠક પરથી કોંગ્રેસ નયનાને મેદાનમાં ઉતારશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જો કે, હરીફાઈ હજુ પણ રસપ્રદ છે કારણ કે નણંદ અહીં તેની ભાભીનો સખત વિરોધ કરી રહી છે અને તેની હાર માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. નયના જાડેજા કહે છે કે ભાજપે તેમની ભાભી રિવાબાને ટિકિટ આપીને ભૂલ કરી છે, રિવાબા ભલે સેલિબ્રિટી હોય, પણ તેમને અનુભવ નથી તેથી ભાજપ હારી જશે. ચાલો તમને જણાવીએ કે રાજનીતિમાં કોણ આગળ છે.

ટોપ સ્ટોરી

Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget