શોધખોળ કરો

Gujarat Election: નરેશ પટેલે ખોલ્યા પત્તા, જાણો કઈ રાજકીય પાર્ટીનો કરશે પ્રચાર

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  ત્રણેય પક્ષ અને ઉમેદવારો મારા માટે સરખા છે.

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  ત્રણેય પક્ષ અને ઉમેદવારો મારા માટે સરખા છે. હું દરેક પાર્ટીના રાષ્ટ્રીય નેતાને મળતો હોઉં છું. કોઈપણ વ્યક્તિના પ્રચાર માટે જઇશ નહીં. રાજકોટની દક્ષિણ બેઠકમાં ત્રણે ત્રણ ઉમેદવારો લેઉવા પાટીદાર સમાજના છે. જે સારા ઉમેદવારો છે તેને લોકો મત આપશે. રમેશ ટિલાળા પ્રચારમાં નરેશ પટેલે કહ્યું હું કોઈના પ્રચારમાં આ વખતે નહીં જાવ.

તો બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાએ મોટું નિવેદન આપ્યું છે. આગામી દિવસોમાં ખોડલધામમાંથી રાજીનામું આપીશ તેમ તેમણે જણાવ્યું. ચૂંટણી પ્રચારની વ્યસ્તતાના કારણે રાજીનામું નથી આપી શકાયું. ટ્રસ્ટના નિયમ મુજબ ચૂંટણી લડનાર ટ્રસ્ટીએ રાજીનામું આપવાનું હોય છે. દક્ષિણ વિધાનસભા બેઠકના આપ પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયા ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, રમેશ ટીલાળા ભાજપના ઉમેદવાર છે. ભાજપ દ્વારા તેમને રાજકોટ દક્ષિણની બેઠક પરથી ટિકિટ. આપી છે.

આખરે અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

આમ આદમી પાર્ટીએ આજે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ઈસુદાન ગઢવી ક્યાથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. ઈસુદાન ગઢવી જામ ખંભાળીયાથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે જામ ખંભાળીયાથી વિક્રમ માડમને ટિકિટ આપી છે તો બીજેપીએ મુળુ બેરાને ટિકિટ આપી છે.આમ આદમી પાર્ટીનું 16મું લીસ્ટ જાહેર થયું છે. દ્વારકાથી નકુમ લખમણભાઈ બોઘાભા અને  ઈસુદાન ગઢવી જામ ખંભાળીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે.

શું કહ્યું અરવિંદ કેજરીવાલે?

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું કે,  ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી જામ ખંભાળિયામાંથી ચૂંટણી લડશે! ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ પરથી ગુજરાતને નવા અને સારા મુખ્યમંત્રી મળશે.

સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો સૌથી મોટો ઝટકો

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. આ પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિજયભાઈ માંગુકિયા સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ભાવનગર પાસ કન્વીનર નીતિન ઘેલાણી સહિતના લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. પાસના મુખ્ય કન્વીનાર અલ્પેશ કથીરિયા આપમાંથી લડી રહ્યા હોવાથી તેમના માટે આ મોટો ફટકો છે.

નણંદ કરી રહી છે ભાભીની હારનો પ્રચાર ! રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા અને બહેન નયના વચ્ચે રાજકીય લડાઈ

ગુજરાતમાં રાજકીય લડાઈ ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપના બે નેતાઓએ તેને વધુ રસપ્રદ બનાવ્યું છે. આ નેતા ખાસ છે કારણ કે તે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે સીધો સંબંધ ધરાવે છે. એક બાજુ તેની પત્ની રિવાબા જાડેજા અને બીજી બાજુ બહેન નયના જાડેજા છે. જામનગરની ઉત્તર બેઠક એ રાજકારણની પીચ છે. આ બેઠક પરથી ભાજપે જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપી છે. બીજી તરફ હવે કોંગ્રેસની નયના એટલે કે તેની ભાભી ખુલ્લેઆમ તેનો વિરોધ કરી રહી છે. રાજનીતિની આ રમતમાં ભાભી અને ભાભી આમને-સામને છે તે તેમના તાજા નિવેદનો પરથી સ્પષ્ટ થઈ ગયું છે.

આ બેઠક પરથી કોંગ્રેસ નયનાને મેદાનમાં ઉતારશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જો કે, હરીફાઈ હજુ પણ રસપ્રદ છે કારણ કે નણંદ અહીં તેની ભાભીનો સખત વિરોધ કરી રહી છે અને તેની હાર માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. નયના જાડેજા કહે છે કે ભાજપે તેમની ભાભી રિવાબાને ટિકિટ આપીને ભૂલ કરી છે, રિવાબા ભલે સેલિબ્રિટી હોય, પણ તેમને અનુભવ નથી તેથી ભાજપ હારી જશે. ચાલો તમને જણાવીએ કે રાજનીતિમાં કોણ આગળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Rule Change: LPGથી લઈને PAN કાર્ડ સુધી, કાલથી દેશમાં 10 મોટા ફેરફારો, તમામ ઘરને કરશે અસર
Rule Change: LPGથી લઈને PAN કાર્ડ સુધી, કાલથી દેશમાં 10 મોટા ફેરફારો, તમામ ઘરને કરશે અસર
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Rule Change: LPGથી લઈને PAN કાર્ડ સુધી, કાલથી દેશમાં 10 મોટા ફેરફારો, તમામ ઘરને કરશે અસર
Rule Change: LPGથી લઈને PAN કાર્ડ સુધી, કાલથી દેશમાં 10 મોટા ફેરફારો, તમામ ઘરને કરશે અસર
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Embed widget