શોધખોળ કરો

Solar Eclipse: આવતીકાલે કલાકો સુધી બંધ રહેશે ગુજરાતના પ્રખ્યાત મંદિરો, જાણો વિગતે

મંગળવારે સૂર્ય ગ્રહણ હોવાના કારણે રાજ્યના અનેક મંદિરો ભક્તો માટે બંધ રહેશે. આવતીકાલે અંબાજી મંદિર બંધ રહેશે. સૂર્ય ગ્રહણ હોવાના કારણે વહેલી સવાર સાડા ચાર કલાકથી રાત્રિના નવ કલાક સુધી અંબાજી મંદિર બંધ રહેશે.

સૂર્ય ગ્રહણ: મંગળવારે સૂર્ય ગ્રહણ હોવાના કારણે રાજ્યના અનેક મંદિરો ભક્તો માટે બંધ રહેશે. આવતીકાલે યાત્રાધામ અંબાજી મંદિર બંધ રહેશે. સૂર્ય ગ્રહણ હોવાના કારણે વહેલી સવાર સાડા ચાર કલાકથી રાત્રિના નવ કલાક સુધી અંબાજી મંદિર બંધ રહેશે. કાલે વહેલી સવારે 4 કલાકે માતાજીની આરતી કરવામાં આવશે તો સાંજની આરતી રાત્રે આશરે 9:30 કલાકે કરવામાં આવશે. આવતીકાલે અંબાજી મંદિર બંધ હોવાના કારણે માઈ ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે.

આ  ઉપરાંત આવતીકાલે સૂર્ય ગ્રહણ હોય દ્વારકાના જગત મંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ રહેશે. સાંજે ૭/૩૦ કલાકે જગત મંદિરનાં દ્વાર ભક્તો માટે ખુલી રાત્રે ૧૧ વાગ્યે થશે બંધ થશે. જ્યારે બુધવારે નૂતન વર્ષના રોજ દર્શન રાબેતા મુજબ રહેશે.

 તો બીજી તરફ મહેસાણા બહુચરાજીમાં આવેલ બહુચર માતાજીનું મંદિર આવતીકાલે 11.30થી 7.30 સુઘી બંધ રહેશે. સુર્ય ગ્રહણને લઈ દર્શન માટે બંધ રહેશે. સુર્ય ગ્રહણને લઈ સાંજની આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાંજની આરતી  8 વાગે કરવામા આવશે.

આગામી 25 તારીખે પાવાગઢ માતાજીનું મંદિર બંધ રહેશે. મંગળવારે સૂર્યગ્રહણ હોવાના કારણે મંદિર સમગ્ર દિવસ દરમ્યાન બંધ રહેશે. તા.24 ઓકટોબરની મધ્યરાત્રીથી તા. 25 ના સાંજના 6.45 સુધી સંપૂર્ણપણે મંદિર બંધ રહેશે. સાંજે સાત કલાકે નિત્ય આરતી બાદ રાતના નવ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. 26 ઓક્ટોબરથી નિત્યક્રમ મુજબ મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે.

ભારતમાં ક્યાં અને ક્યારે જોવા મળશે સૂર્ય ગ્રહણ ?

સૂર્યગ્રહણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું છેલ્લું સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, જે આંશિક સૂર્ય ગ્રહણ હશે. પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલના રોજ થયું હતું. છેલ્લું સૂર્ય ગ્રહણ દિવાળીના બીજા દિવસે થઈ રહ્યું છે. સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં અને ક્યારે જોવા મળશે, ચાલો જાણીએ?

સૂર્ય ગ્રહણ ક્યારે થાય છે?

જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં હોય છે અને ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે.

સૂર્ય ગ્રહણ 2022 તારીખ અને સમય

 

વર્ષ 2022નું બીજું સૂર્ય ગ્રહણ ભારતીય સમય મુજબ 25 ઓક્ટોબરના રોજ બપોરે 02.29 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 06.32 સુધી ચાલશે. આ સૂર્ય ગ્રહણ 04 કલાક 3 મિનિટનું છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં લગભગ 4 વાગ્યે દેખાશે.

ભારતમાં છેલ્લું સૂર્યગ્ર હણ ક્યાં દેખાશે?

આ સૂર્ય ગ્રહણ ભારતના પશ્ચિમ અને ઉત્તરીય ભાગોમાં વધુ સારી રીતે જોવા મળશે એટલે કે તે નવી દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, ઉજ્જૈન, વારાણસી અને મથુરામાંથી જોઈ શકાશે. આ સૂર્યગ્રહણ પૂર્વોત્તર ભારતમાં એટલે કે મેઘાલયના જમણા અને આસામ રાજ્યના ડાબા ભાગોમાં ગુવાહાટીની આસપાસ દેખાશે નહીં કારણ કે આ સૂર્ય ગ્રહણ આ ક્ષેત્રમાં સૂર્યાસ્ત પછી થશે. ભારત ઉપરાંત છેલ્લું સૂર્ય ગ્રહણ 2022 યુરોપ, ઉત્તરપૂર્વ આફ્રિકા, દક્ષિણ પશ્ચિમ એશિયા અને એટલાન્ટિકમાં દેખાશે.

સૂર્ય ગ્રહણનો સુતક સમયગાળો

સૂર્ય ગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણ સાથે સમાપ્ત થાય છે. તેથી, આ સૂર્ય ગ્રહણનું સુતક 25 ઓક્ટોબરે લગભગ 4.29 વાગ્યાથી શરૂ થશે.

સૂર્યગ્રહણ દરમિયાન ન કરો આ કામ

  • સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે. આવી સ્થિતિમાં શુભ કાર્યનું પરિણામ શુભ નથી મળતું.
  • સૂર્યગ્રહણ દરમિયાન સોયમાં દોરો ન પરોવવો જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન વ્યક્તિએ ન તો રાંધવું જોઈએ અને ન ખાવું જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન કોઈપણ વસ્તુ કાપવી અને છોલવી ન જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ, છરી, કાતર અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને આ વસ્તુઓ હાથમાં પણ ન લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે નહીંતર બાળકમાં શારીરિક ખામીઓ ઊભી થઈ શકે છે.
  • ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Embed widget