શોધખોળ કરો

Solar Eclipse: આવતીકાલે કલાકો સુધી બંધ રહેશે ગુજરાતના પ્રખ્યાત મંદિરો, જાણો વિગતે

મંગળવારે સૂર્ય ગ્રહણ હોવાના કારણે રાજ્યના અનેક મંદિરો ભક્તો માટે બંધ રહેશે. આવતીકાલે અંબાજી મંદિર બંધ રહેશે. સૂર્ય ગ્રહણ હોવાના કારણે વહેલી સવાર સાડા ચાર કલાકથી રાત્રિના નવ કલાક સુધી અંબાજી મંદિર બંધ રહેશે.

સૂર્ય ગ્રહણ: મંગળવારે સૂર્ય ગ્રહણ હોવાના કારણે રાજ્યના અનેક મંદિરો ભક્તો માટે બંધ રહેશે. આવતીકાલે યાત્રાધામ અંબાજી મંદિર બંધ રહેશે. સૂર્ય ગ્રહણ હોવાના કારણે વહેલી સવાર સાડા ચાર કલાકથી રાત્રિના નવ કલાક સુધી અંબાજી મંદિર બંધ રહેશે. કાલે વહેલી સવારે 4 કલાકે માતાજીની આરતી કરવામાં આવશે તો સાંજની આરતી રાત્રે આશરે 9:30 કલાકે કરવામાં આવશે. આવતીકાલે અંબાજી મંદિર બંધ હોવાના કારણે માઈ ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે.

આ  ઉપરાંત આવતીકાલે સૂર્ય ગ્રહણ હોય દ્વારકાના જગત મંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ રહેશે. સાંજે ૭/૩૦ કલાકે જગત મંદિરનાં દ્વાર ભક્તો માટે ખુલી રાત્રે ૧૧ વાગ્યે થશે બંધ થશે. જ્યારે બુધવારે નૂતન વર્ષના રોજ દર્શન રાબેતા મુજબ રહેશે.

 તો બીજી તરફ મહેસાણા બહુચરાજીમાં આવેલ બહુચર માતાજીનું મંદિર આવતીકાલે 11.30થી 7.30 સુઘી બંધ રહેશે. સુર્ય ગ્રહણને લઈ દર્શન માટે બંધ રહેશે. સુર્ય ગ્રહણને લઈ સાંજની આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાંજની આરતી  8 વાગે કરવામા આવશે.

આગામી 25 તારીખે પાવાગઢ માતાજીનું મંદિર બંધ રહેશે. મંગળવારે સૂર્યગ્રહણ હોવાના કારણે મંદિર સમગ્ર દિવસ દરમ્યાન બંધ રહેશે. તા.24 ઓકટોબરની મધ્યરાત્રીથી તા. 25 ના સાંજના 6.45 સુધી સંપૂર્ણપણે મંદિર બંધ રહેશે. સાંજે સાત કલાકે નિત્ય આરતી બાદ રાતના નવ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. 26 ઓક્ટોબરથી નિત્યક્રમ મુજબ મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે.

ભારતમાં ક્યાં અને ક્યારે જોવા મળશે સૂર્ય ગ્રહણ ?

સૂર્યગ્રહણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું છેલ્લું સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, જે આંશિક સૂર્ય ગ્રહણ હશે. પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલના રોજ થયું હતું. છેલ્લું સૂર્ય ગ્રહણ દિવાળીના બીજા દિવસે થઈ રહ્યું છે. સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં અને ક્યારે જોવા મળશે, ચાલો જાણીએ?

સૂર્ય ગ્રહણ ક્યારે થાય છે?

જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં હોય છે અને ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે.

સૂર્ય ગ્રહણ 2022 તારીખ અને સમય

 

વર્ષ 2022નું બીજું સૂર્ય ગ્રહણ ભારતીય સમય મુજબ 25 ઓક્ટોબરના રોજ બપોરે 02.29 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 06.32 સુધી ચાલશે. આ સૂર્ય ગ્રહણ 04 કલાક 3 મિનિટનું છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં લગભગ 4 વાગ્યે દેખાશે.

ભારતમાં છેલ્લું સૂર્યગ્ર હણ ક્યાં દેખાશે?

આ સૂર્ય ગ્રહણ ભારતના પશ્ચિમ અને ઉત્તરીય ભાગોમાં વધુ સારી રીતે જોવા મળશે એટલે કે તે નવી દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, ઉજ્જૈન, વારાણસી અને મથુરામાંથી જોઈ શકાશે. આ સૂર્યગ્રહણ પૂર્વોત્તર ભારતમાં એટલે કે મેઘાલયના જમણા અને આસામ રાજ્યના ડાબા ભાગોમાં ગુવાહાટીની આસપાસ દેખાશે નહીં કારણ કે આ સૂર્ય ગ્રહણ આ ક્ષેત્રમાં સૂર્યાસ્ત પછી થશે. ભારત ઉપરાંત છેલ્લું સૂર્ય ગ્રહણ 2022 યુરોપ, ઉત્તરપૂર્વ આફ્રિકા, દક્ષિણ પશ્ચિમ એશિયા અને એટલાન્ટિકમાં દેખાશે.

સૂર્ય ગ્રહણનો સુતક સમયગાળો

સૂર્ય ગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણ સાથે સમાપ્ત થાય છે. તેથી, આ સૂર્ય ગ્રહણનું સુતક 25 ઓક્ટોબરે લગભગ 4.29 વાગ્યાથી શરૂ થશે.

સૂર્યગ્રહણ દરમિયાન ન કરો આ કામ

  • સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે. આવી સ્થિતિમાં શુભ કાર્યનું પરિણામ શુભ નથી મળતું.
  • સૂર્યગ્રહણ દરમિયાન સોયમાં દોરો ન પરોવવો જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન વ્યક્તિએ ન તો રાંધવું જોઈએ અને ન ખાવું જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન કોઈપણ વસ્તુ કાપવી અને છોલવી ન જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ, છરી, કાતર અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને આ વસ્તુઓ હાથમાં પણ ન લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે નહીંતર બાળકમાં શારીરિક ખામીઓ ઊભી થઈ શકે છે.
  • ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી
Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી
Gujarat Rain Updates: રાજ્યમાં 24 કલાકમાં 107 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સુરત જિલ્લામાં નોંધાયો
Gujarat Rain Updates: રાજ્યમાં 24 કલાકમાં 107 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સુરત જિલ્લામાં નોંધાયો
ખેડૂત આંદોલનને BJP ધારાસભ્યનું સમર્થન, યોગ્ય નિરાકરણ લાવવા સરકારને કરી અપીલ
ખેડૂત આંદોલનને BJP ધારાસભ્યનું સમર્થન, યોગ્ય નિરાકરણ લાવવા સરકારને કરી અપીલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
Sierra EV કે Mahindra XEV 9e, કિંમત, ફીચર્સ અને રેન્જની બાબતમાં કઈ ગાડી આગળ? જાણો વિગતો
Sierra EV કે Mahindra XEV 9e, કિંમત, ફીચર્સ અને રેન્જની બાબતમાં કઈ ગાડી આગળ? જાણો વિગતો
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
Embed widget