શોધખોળ કરો

Solar Eclipse: આવતીકાલે કલાકો સુધી બંધ રહેશે ગુજરાતના પ્રખ્યાત મંદિરો, જાણો વિગતે

મંગળવારે સૂર્ય ગ્રહણ હોવાના કારણે રાજ્યના અનેક મંદિરો ભક્તો માટે બંધ રહેશે. આવતીકાલે અંબાજી મંદિર બંધ રહેશે. સૂર્ય ગ્રહણ હોવાના કારણે વહેલી સવાર સાડા ચાર કલાકથી રાત્રિના નવ કલાક સુધી અંબાજી મંદિર બંધ રહેશે.

સૂર્ય ગ્રહણ: મંગળવારે સૂર્ય ગ્રહણ હોવાના કારણે રાજ્યના અનેક મંદિરો ભક્તો માટે બંધ રહેશે. આવતીકાલે યાત્રાધામ અંબાજી મંદિર બંધ રહેશે. સૂર્ય ગ્રહણ હોવાના કારણે વહેલી સવાર સાડા ચાર કલાકથી રાત્રિના નવ કલાક સુધી અંબાજી મંદિર બંધ રહેશે. કાલે વહેલી સવારે 4 કલાકે માતાજીની આરતી કરવામાં આવશે તો સાંજની આરતી રાત્રે આશરે 9:30 કલાકે કરવામાં આવશે. આવતીકાલે અંબાજી મંદિર બંધ હોવાના કારણે માઈ ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે.

આ  ઉપરાંત આવતીકાલે સૂર્ય ગ્રહણ હોય દ્વારકાના જગત મંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ રહેશે. સાંજે ૭/૩૦ કલાકે જગત મંદિરનાં દ્વાર ભક્તો માટે ખુલી રાત્રે ૧૧ વાગ્યે થશે બંધ થશે. જ્યારે બુધવારે નૂતન વર્ષના રોજ દર્શન રાબેતા મુજબ રહેશે.

 તો બીજી તરફ મહેસાણા બહુચરાજીમાં આવેલ બહુચર માતાજીનું મંદિર આવતીકાલે 11.30થી 7.30 સુઘી બંધ રહેશે. સુર્ય ગ્રહણને લઈ દર્શન માટે બંધ રહેશે. સુર્ય ગ્રહણને લઈ સાંજની આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાંજની આરતી  8 વાગે કરવામા આવશે.

આગામી 25 તારીખે પાવાગઢ માતાજીનું મંદિર બંધ રહેશે. મંગળવારે સૂર્યગ્રહણ હોવાના કારણે મંદિર સમગ્ર દિવસ દરમ્યાન બંધ રહેશે. તા.24 ઓકટોબરની મધ્યરાત્રીથી તા. 25 ના સાંજના 6.45 સુધી સંપૂર્ણપણે મંદિર બંધ રહેશે. સાંજે સાત કલાકે નિત્ય આરતી બાદ રાતના નવ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. 26 ઓક્ટોબરથી નિત્યક્રમ મુજબ મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે.

ભારતમાં ક્યાં અને ક્યારે જોવા મળશે સૂર્ય ગ્રહણ ?

સૂર્યગ્રહણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું છેલ્લું સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, જે આંશિક સૂર્ય ગ્રહણ હશે. પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલના રોજ થયું હતું. છેલ્લું સૂર્ય ગ્રહણ દિવાળીના બીજા દિવસે થઈ રહ્યું છે. સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં અને ક્યારે જોવા મળશે, ચાલો જાણીએ?

સૂર્ય ગ્રહણ ક્યારે થાય છે?

જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં હોય છે અને ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે.

સૂર્ય ગ્રહણ 2022 તારીખ અને સમય

 

વર્ષ 2022નું બીજું સૂર્ય ગ્રહણ ભારતીય સમય મુજબ 25 ઓક્ટોબરના રોજ બપોરે 02.29 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 06.32 સુધી ચાલશે. આ સૂર્ય ગ્રહણ 04 કલાક 3 મિનિટનું છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં લગભગ 4 વાગ્યે દેખાશે.

ભારતમાં છેલ્લું સૂર્યગ્ર હણ ક્યાં દેખાશે?

આ સૂર્ય ગ્રહણ ભારતના પશ્ચિમ અને ઉત્તરીય ભાગોમાં વધુ સારી રીતે જોવા મળશે એટલે કે તે નવી દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, ઉજ્જૈન, વારાણસી અને મથુરામાંથી જોઈ શકાશે. આ સૂર્યગ્રહણ પૂર્વોત્તર ભારતમાં એટલે કે મેઘાલયના જમણા અને આસામ રાજ્યના ડાબા ભાગોમાં ગુવાહાટીની આસપાસ દેખાશે નહીં કારણ કે આ સૂર્ય ગ્રહણ આ ક્ષેત્રમાં સૂર્યાસ્ત પછી થશે. ભારત ઉપરાંત છેલ્લું સૂર્ય ગ્રહણ 2022 યુરોપ, ઉત્તરપૂર્વ આફ્રિકા, દક્ષિણ પશ્ચિમ એશિયા અને એટલાન્ટિકમાં દેખાશે.

સૂર્ય ગ્રહણનો સુતક સમયગાળો

સૂર્ય ગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણ સાથે સમાપ્ત થાય છે. તેથી, આ સૂર્ય ગ્રહણનું સુતક 25 ઓક્ટોબરે લગભગ 4.29 વાગ્યાથી શરૂ થશે.

સૂર્યગ્રહણ દરમિયાન ન કરો આ કામ

  • સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે. આવી સ્થિતિમાં શુભ કાર્યનું પરિણામ શુભ નથી મળતું.
  • સૂર્યગ્રહણ દરમિયાન સોયમાં દોરો ન પરોવવો જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન વ્યક્તિએ ન તો રાંધવું જોઈએ અને ન ખાવું જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન કોઈપણ વસ્તુ કાપવી અને છોલવી ન જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ, છરી, કાતર અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને આ વસ્તુઓ હાથમાં પણ ન લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે નહીંતર બાળકમાં શારીરિક ખામીઓ ઊભી થઈ શકે છે.
  • ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget