શોધખોળ કરો

Morbi Cable Bridge Collapses: મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો નદીમાં ખાબક્યા, 80ના મોત

BIG BREAKING: મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુર પર સવાર હતા.

BIG BREAKING: મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુર પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા છે. તમને જણાવી દઈએ કે,નવા વર્ષના દિવસે પુલ શરૂ થયો હતો. હાલમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક ભાજપ નેતા કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે, આ અકસ્માતમાં 80 લોકોના મોત થયા છે.

 

દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતી. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હાલમાં એક બાદ એક એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી રહી છે. હજૂ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા. 

 

સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું

મોરબીની આ દૂર્ઘટના પર સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

 

 

 

 

પીએમ મોદીએ સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરી

તો બીજી તરફ પીએમ મોદીએ આ દૂર્ઘટના અંગે ગુજરાતના સીએમ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની પહોંચવા કહ્યું છે. તેમણે પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.

જગદીશ ઠાકોરે કાર્યકરોને મદદ માટે જવા અપીલ કરી

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ટ્વીટ કરતા લખ્યું કે, મોરબીમાં ખુલ્લા મુકાયેલા ઝૂલતા પુલના તૂટી પડવાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો. 400થી વધુ લોકો ઘટનાનો ભોગ બન્યા મોરબી અને આજુબાજુના વિસ્તારના સૌ કોંગ્રેસના કાર્યકર અને આગેવાનોને નમ્ર વિનંતી કે તેઓ જલ્દીથી રાહત કાર્યમાં જોડાય લોકોની મદદ કરે. ઘટનામાં મૃતકોના પરિવારો માટે મારી સંવેદનાઓ.

એરક્રાફટ મામલે આપણે દુનિયાના ટોપ 3 દેશોમાં શામિલ થઈશું- પીએમ મોદી

ઇસ ઓફ ડુંઇંગ માં ભારત આગળ વધી રહ્યું છે. આ વિમાનો સેનાને તાકાત આપશે જ સાથે એર ક્રાફટને પણ વહન કરશે. શિક્ષા અને સંસ્કૃતિ માટે જાણીતું વડોદરા એવિએશન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઓળખાણ બનાવશે. ભારત પહેલા વિમાનના નાના મોટા પાર્ટ્સ મંગાવતું હતું. આ પ્રોજેકટ સાથે ભારતના 100થી વધુ એમ.એસ.એમ.ઇ કંપનીઓ જોડાઈ છે. આ ધરતી થી મેડ ઇન ઇન્ડિયા,મેક ધ ગ્લોબ બનશે. એર ક્રાફટ મામલે આપણે દુનિયાના ટોપ 3 દેશોમાં શામિલ થઈશું. આવનાર 10-15 વર્ષોમાં ભારતને 2000 થી વધુ એર કાર્ગો અને પેસેન્જર બસની જરૂર પડશે. જેની ભારત હમણાંથી જ તૈયારીઓ કરી રહ્યું છે. આજના આયોજનમાં વિશ્વ માટે પણ સંદેશ છે. આજે ભારત દુનિયા માટે સુવર્ણ તક લઈને આવ્યું છે. ભારત સપ્લાય ચેનમાં વિઘ્ન હોવા છતાં સફળ રહ્યું. ભારત પાસે ટેલેન્ટેડ મેન પાવર મોટી સંખ્યામાં છે. આ વિમાનો સેનાને તાકાત આપશે જ સાથે એરક્રાફ ને પણ વહન કરશે. શિક્ષા અને સંસ્કૃતિ માટે જાણીતું વડોદરા એવિએશન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઓળખાણ બનાવશે.

વડોદરા એવિએશન ક્ષેત્રમાં પોતાની પહેચાન બનાવશે

પીએમ મોદીએ કહ્યું કે, દિવાળી દેવ દિવાળી સુધી ચાલે છે. ત્યારે વડોદરાને અનોખી ભેટ મળી છે. હું દિવાળી પછી પહેલીવાર આવ્યો છું. ભારત ટ્રાન્સપોર્ટ હબનું પણ સૌથી મોટું હબ બનશે. દેશના ડિફેન્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સેનાની તાકાત વધારશે. વડોદરા એવિએશન ક્ષેત્રમાં પોતાની પહેચાન બનાવશે. પહેલીવાર મિલેટરી ટ્રાન્સપોર્ટમાં આગળ વધશે. 100થી વધુ એમ.એસ.એમ.ઇનો ધંધો વધશે. આગામી 10, 15 વર્ષ માં 2000 થી વધુ પેસેન્જર અને ટ્રાન્સપોર્ટ કાર્ગોની જરૂર પડશે. આજનું આયોજન પણ મહત્વ પૂર્ણ આયોજન ની રીતે જોડાયું છે.

આજનું આયોજન વિશ્વ માટે સંદેશ- પીએમ મોદી

આ પ્રોજેક્ટથી ભારતની 100 એમએસએમઈ પણ જોડાશે. આગામી 4-5 વર્ષમાં નવા હવાઈ સફરના યાત્રીઓ આવશે. આજનું આયોજન આ દિશામાં મહત્વનું પગલું અને વિશ્વ માટે સંદેશ છે. પીએમ મોદીએ કહ્યું, ભારત ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે પણ દુનિયામાં અવ્વલ છે. તમામ ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત અગ્રેસર છે. પીએમ મોદીએ કહ્યું, ભારત ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે પણ દુનિયામાં અવ્વલ છે. તમામ ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત અગ્રેસર છે. પ્રધાનમંત્રીએ નવા વર્ષની શુભકામના પાઠવી. જે બાદ કહ્યું ભારતને દુનિયામાં મોટુ મેન્યુફેક્ચરિંગ ગબ બનાવવા આજે મોટું પગલું ભરાયું છે. આજે ભારત સુરક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Masan Holi: આવી રહી છે 'મસાન હોળી', જાણો ક્યાં રમાય છે ને શું છે તેનો પારંપરિક ઇતિહાસ ?
Masan Holi: આવી રહી છે 'મસાન હોળી', જાણો ક્યાં રમાય છે ને શું છે તેનો પારંપરિક ઇતિહાસ ?
Embed widget