શોધખોળ કરો

Morbi Bridge collapse: મોરબી ઝુલતા પુલ મામલે હાઇકોર્ટમાં સુનાવણી, અનાથ થયેલા બાળકો પુખ્ત વય સુધી આ સુવિધા આપવા આદેશ

મોરબી બ્રિજ દૂર્ઘટનાના કેસની આઝે હાઈકોર્ટમાં સુનાવણી હતી, કોર્ટે આ મામલે કેટલાક સવાલો સરકારને કર્યાં હતા. એગ્રીમેન્ટ સહિતને કેટલાક મુદ્દે કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કેટલા સવાલો કર્યાં છે.

Morabi Bridge collapse:મોરબી બ્રિજ દૂર્ઘટનાના કેસની આઝે  હાઈકોર્ટમાં સુનાવણી હતી, કોર્ટે આ મામલે કેટલાક સવાલો સરકારને કર્યાં હતા. એગ્રીમેન્ટ સહિતને કેટલાક મુદ્દે કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કેટલા સવાલો કર્યાં છે.મોરબીનો ઝુલતો પુલ 30 ઓક્ટોમ્બરે સાંજના સમયે તૂટી પડ્યો હતો અને ત્યારે ઝૂલતા પુલ ઉપર  ફરવા ગયેલા લોકોમાંથી  135 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

 મોરબી નગરપાલિકાને સુપરસીડ શા માટે નથી કરી તેનો હાઈકોર્ટે ખુલાસો  માગ્યો હતો. ઝુલતો પુલ તુટવાની દૂર્ઘટનામાં જવાબદાર કોણ તેનો સરકાર સ્પષ્ટ જવાબ આપે તેવો હાઈકોર્ટ હુકમ કરાયો હતો. આ ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ ભારતમાં ખળભળાટ મચી ગયો હતો.  આ પુલનું રિનોવેશનનું કામ ઓરેવા કંપનીએ સંભાળ્યું હતું. પુલ તૂટતા તેની મજબૂતાઇ, અને કામનાં થયેલા ભ્રષ્ટાચાર સહિતના મુદ્ અનેક સવાલ ઉઠી રહ્યાં છે. આ મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી. કોર્ટે આ ઘટના મામલે સરકારની ઝાટકણી કાઢતાં કેટલાક સવાલોના જવાબ માગ્યાં છે.


મોરબી બ્રિજ તૂટવાના મામલે કોર્ટ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, કોઈ પણ જવાબદારી નક્કી ન થાય એવુ એગ્રીમેન્ટ  તૈયાર શા માટે કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોર્ટે કહ્યુંહતું કે, અજંતા ગ્રુપ ઉપર આટલી બધી ઉદારતા શા માટે દાખવાઈ તેનો પણ સરકાર જવાબ આપે,

કોર્ટે સરકાર પાસે શું માગ્યા જવાબ

  • મોરબી બ્રિજ દૂર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી
  • મોરબી નગરપાલિકાને સુપરસીડ શા માટે નથી કરી ?
  • ઝુલતો પુલ તુટવાની દૂર્ઘટનામાં જવાબદાર કોણ તેનો સરકાર સષ્પટ જવાબ આપે?
  • ચીફ ઓફીસર સામે શું પગલા લીધા ?
  • કોઈપણ જવાબદારી નક્કી ન થાય એવુ એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરાયું ?
  • અજંતા ગ્રુપ ઉપર આટલી બધી ઉદારતા શા માટે દાખવાઈ?
  • દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર તેમજ પરીજનોને રહેમ રાહે નોકરી માટે સરકાર શું કરી રહી છે?
  • સ્ટ્રકચરલ્સ સ્ટેબિલિટી સર્ટિફાઇડ કરવાની જવાબદારી કોની?

શા માટે કોઈપણ જાતના MOU  વગર પણ અજંતા ગ્રુપને બે વર્ષ માટે પુલનું સંચાલન કરવા આપવામાં આવ્યું ?
હાઇકોર્ટમાં સુનાવણી સમયે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે, જે સમયે પુલ તૂટી પડ્યો એ દિવસે 3,000 થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું. હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોને તેઓ પુખ્ત થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દર મહિને 3000 રૂપિયા આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો
Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો
Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું
Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Embed widget