શોધખોળ કરો

આ જિલ્લામાં હવે શાળાઓમાં પ્રાર્થના, સ્તુતિ અને ઉપદેશ પર રોક: કલેક્ટરે પરિપત્ર બહાર પાડ્યો

ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ-ગીત અને ધાર્મિક ઉપદેશ આપવા પર રોક, ધર્માંતરણના વિવાદ બાદ વહીવટી તંત્ર આવ્યું એક્શનમાં.

Tapi collector school circular: તાપી જિલ્લામાં તાજેતરમાં ધર્માંતરણની ઘટનાઓ અને ખાસ કરીને શાળા કક્ષાએ ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના મુદ્દાએ ભારે ચર્ચા જગાવી છે. આ વિવાદ બાદ તાપી જિલ્લા વહીવટી પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટરે શાળાઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકતો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે.

જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO)ને મોકલેલા આ પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના કે સ્તૃતિ-ગીત ગાવા પર પ્રતિબંધ રહેશે. આ સાથે જ વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન કે ઉપદેશ આપવા પર પણ રોક લગાવવામાં આવી છે. શાળાઓમાં ધર્મપ્રચારના ઉદ્દેશ્યથી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાવવા જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. અધિક કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રની અમલવારી સુનિશ્ચિત કરવાની જવાબદારી શિક્ષણાધિકારીઓને સોંપવામાં આવી છે.

આ પરિપત્ર એવા સમયે આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા કથાકાર મોરારી બાપુએ તાપીના સોનગઢમાં રામકથા દરમિયાન એક શિક્ષક દ્વારા આપવામાં આવેલો પત્ર શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને સુપરત કર્યો હતો. મોરારી બાપુએ જણાવ્યું હતું કે તાપીની ૭૫ ટકા શાળાઓમાં ઇસાઈ ધર્મના શિક્ષકો છે, જેઓ સરકારનો પગાર મેળવીને ધર્મ પરિવર્તન કરાવે છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભોળા આદિવાસીઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં આવશે નહીં અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટરે જાહેર કરેલા પરિપત્ર અંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના તાપી જિલ્લા મંત્રી રાકેશ ગામીતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ધર્મ પરિવર્તનને લઈને તેઓએ અગાઉ પણ અનેક વખત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે તમામ શિક્ષકો આવા નથી, પરંતુ હિન્દુ ધર્મ છોડીને વિદેશી ધર્મ અંગીકાર કરનારા કેટલાક લોકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરે છે. તેમણે ધર્માંતરણની પ્રવૃત્તિ કરતા શિક્ષકોની યાદી આપવાની પણ તૈયારી દર્શાવી હતી. બીજી તરફ, સીએનઆઈ ચર્ચ વ્યારાના રૅવ તુષાર પટેલ દ્વારા પણ આ પરિપત્ર અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

જોકે, કલેક્ટરના પરિપત્રમાં એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પરિપત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા ધર્મ પ્રચાર અર્થે પ્રવૃત્તિઓ ન કરવા અંગે સૂચના અપાઈ છે, પરંતુ શિક્ષકો દ્વારા આ પ્રકારનું કાર્ય ન કરવા અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી પરિપત્રની અમલવારી અને અસરકારકતા મામલે સવાલો ઊભા થયા છે.

આમ, તાપી જિલ્લા વહીવટી તંત્રએ શાળાઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આ પગલું ભર્યું છે, જે ધર્માંતરણના વિવાદના સંદર્ભમાં મહત્વનું માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
Embed widget