શોધખોળ કરો

Gujarat Election: શું પાલભાઈ આંબલિયા અપક્ષ ઉમેદવારી નોંધાવશે? પોતે જ કર્યો ખુલાસો

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. જો કે, ઉમેદવારોના નામ જાહેર થયાના કલાકોમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. જો કે, ઉમેદવારોના નામ જાહેર થયાના કલાકોમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. ઘણા નેતાઓએ નારાજગી પણ વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા પાલભાઈ આંબલીયાએ પણ આ વખતે ટિકિટ માગી હતી. જો કે તેમને ટિકિટ ન મળતા તેમના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી છે.

 

હવે આ અંગે 82 વિધાનસભાની કોંગ્રેસની ટિકિટ જાહેર થયા પછી ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જે લોકો મીડિયામાં અફવા ચલાવે છે કે, પાલભાઈ આંબલિયા અપક્ષ ચૂંટણી લડશે તે ખોટું છે. સ્વાભાવિક છે કે હું નારાજ હોઉં, થોડો રોષ પણ હોય પણ હૂઁ કોંગ્રેસમાં હતો, છું અને રહીશ , હૂઁ કોઈ અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો નથી.

રાજકોટ પશ્ચિમ બેઠકને લઈને કોંગ્રેસનું કોકડું ગુચવાયું

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારનો નામ જાહેર થયા બાદ કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા રાજકોટ પશ્ચિમ સીટ પરથી ડો. દર્શિતા પારસ શાહને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે આ બેઠકને લઈ કોંગ્રેસનું કોકડું હજુ ગુંચવાયું છે. કોંગ્રેસ લોહાણા સમાજ કે કડવા પાટીદાર સમાજમાંથી કોને ટિકિટ આપશે? તેના પર નજર છે. કડવા પાટીદાર સમાજ માંથી મનસુખ કાલરીયા લોહાણા સમાજમાંથી ગોપાલ ઉનડકટ દાવેદાર છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં બંને સમાજના મતદારોનું પ્રભુત્વ  છે. બંને સમાજે ભાજપમાંથી ટિકિટ  માંગી હતી, આ સીટ ભાજપનો ગઢ હોવાથી ભાજપે આ બેઠક પર જૈન સમાજને ટિકિટ આપી છે.

કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત

કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત  કરી છે. ગેહલોત સાથેની મુલાકાત બાદ મનહર પટેલે નિવેદન  આપતાં જણાવ્યું, 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનીક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. અમે બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યો છે. બોટાદ જઈને ટેકેદારોને મળી સાંજે 7 વાગે મારો આખરી નિર્ણય જાહેર કરીશ. તેમણે કહ્યું, ખેસ વગર પણ આગળ વધી શકાય છે. અશોક ગેહલોતના કહેવાથી પ્રમુખ જગદીશ ઠાકોરને મળવાનો છું.

ચૂંટણીપંચની સુચનાથી છ ડીવાયએસપીની બદલી

ચૂંટણી જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારને ત્રણ વર્ષ કે તેથી વધુ સમય અથવા ચૂંટણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરી શકે તેવા અધિકારીઓની બદલી કરવાની સુચના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવી હતી.  પરંતુ, ગૃહ વિભાગે સંતોષકારક કામગીરી ન કરીને અનેક અધિકારીઓને બદલી કરી નહોતી. જેને લઇને ચૂંટણી પંચ નારાજ હતુ. ત્યારે છ ડીવાયએસપીની બદલી કરવાની સુચના આપતા ગૃહ વિભાગે શનિવારે બદલી કરી હતી. જેમાં  સુરત એલ ડિવિઝનના એસીપી એન પી ગોહિલની બદલી નવસારી ખાતે કરવામાં આવી છે. 

જ્યારે  સુરત સી ડિવિઝનના એસીપી જી એ સરવૈયાની બદલી  રાજપીપળા ડીવાયએસપી તરીકે, રાજપીપળાના ડીવાયએસપી ચિરાગ પટેલની બદલી સુરત સી ડિવિઝન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યોરીટી સુપ્રીટેન્ડન્ટ આર. પી.ઝાલાની બદલી સુરત એલ ડિવિઝનમાં , અમદાવાદ પશ્ચિમ રેલવેના ડીવાયએસપીની બદલી કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર કરાઇ ખાતે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલ કંટ્રોલ વિભાગના  ડીવાયએસપી જયેશ બ્રહ્મભટ્ટની બદલી ગાંધીનગર વીઆઇપી સિક્યોરીટી વિભાગમાં કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ આચારસંહિતનો કડક અમલ થાય તે માટે ડીજીપીએ શનિવારે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. જેમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સુચના આપી હતી કે ગુજરાતના તમામ 100 ટકા બંદોબસ્ત ગોઠવવા અને તેમજ અન્ય જિલ્લાઓમાં પોલીસ કંટેલ રૂમમાં તૈનાત સ્ટાફને વાયરલેસના સેટ સાથે રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સાથે હથિયાર જપ્તી અને વોંરટ બજાવવાની કામગીરી કરવા માટે ડીજીપીએ સુચના આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget