શોધખોળ કરો

દાહોદ: ડોક્ટરોની હડતાલને પગલે મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે રઝળી પડ્યાં

દાહોદ જિલ્લા સહિત રાજયમા ડોકટરોની હડતાલને લઈને અનેક દર્દઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે દાહોદ સિવિલ ઝાયડસ હોસ્પિટલના પોસ્ટમોટમ રૂમમાં 4 મૃતદેહો રઝળી પડ્યા હતા.

દાહોદ: દાહોદ જિલ્લા સહિત રાજયમા ડોકટરોની હડતાલને લઈને અનેક દર્દઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે દાહોદ સિવિલ ઝાયડસ  હોસ્પિટલના પોસ્ટમોટમ રૂમમાં 4 મૃતદેહો રઝળી પડ્યા હતા. જેના કારણે મૃતકોના પરિજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.  ઝાલોદ તાલુકાના થેરકા ગામના સંગાડા રાહુલનું ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જતાં મોત નીપજ્યું હતું. જેના મૃતદેહ ને દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લવાયો હતો. 

જો કે, અકસ્માતના 24 કલાક વીત્યા બાદ પણ મૃતદેહનું પોસ્ટમોર્ટમ ન થતા પરિજનો પોસ્ટમોર્ટમના રૂમ બહાર ડોક્ટરોની રાહ જોઈ બેઠા છે. ડોક્ટરની હડતાલના કારણે પરિજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ધાનપુર નજીકના 25 વર્ષીય હર્ષિલા સુરશીંગ બારીયા અને  સિંગવડના ધામણબારી ગામના  35 વર્ષીય નયનાબેન રાજુભાઈની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા ત્યાં તેમનું સારવાર દરમિયાન બન્નેનું મોત નીપજ્યું હતું.  

ધાનપુર અને સિંગવડના ડોકટરોની હડતાલ હોઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લવાયો હતો. જોકે 48 કલાકનો સમય વીતી ગયો  છતા પીએમની વ્યવસ્થા થઈ નથી. ગઈકાલે રાત્રે પિપલોદ રેલવે સ્ટેશન નજીક એક નવજાત શિશુનો મૃતદેહ મળતા પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા  હતા પણ ડોક્ટરની હડતાલની અસર પણ જોવા મળી હતી. દાહોદ સહિત રાજ્યભરમાં હાલ સરકારી ઇન સર્વિસ તબીબોની હડતાલને પગલે દર્દીઓ તેમજ પરિજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પોસ્ટમોટમની રાહ જોઈ રહેલા ચાર મૃતદેહ ડોક્ટરની હડતાલની અસર પડી છે. જોકે ઝાયડ્સ હોસ્પિટલના સી. ઇ .ઓ  સંજય કુમાર  મૃતદેહના પોસ્ટમોટમ માટે સીડીએમઓને જાણ કરાઈ છે, જેથી વહેલી તકે પોસ્ટમોટમ થઈ શકે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત

 દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આશરે બે વર્ષ બાદ સતત બે દિવસ સુધી હજારથી ઓછા કેસ નોંધાયા બાદ ફરી એક વખત કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ અને 43 લોકોના મોત થયા છે.

બુધવારે 1086 નવા કેસ અને 71 સંકંમિતોના મોત થયા હતા.. મંગળવારે  795 નવા કેસ અને 58 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 913 નવા કેસ અને  13 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 1096 નવા કેસ નોંધાયા હતા અને 81 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે દેશમાં 1260 નવા કેસ અને 83 સંક્રમિતોના મોત થયા હતા.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

વિડિઓઝ

US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું
Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Iran-US/Israel War: આજે ભારતની 444 ફ્લાઇટ્સ રદ્દ, 11 દેશોના એરસ્પેસ બંધ, લાખો પ્રવાસી અટવાયા
Iran-US/Israel War: આજે ભારતની 444 ફ્લાઇટ્સ રદ્દ, 11 દેશોના એરસ્પેસ બંધ, લાખો પ્રવાસી અટવાયા
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
સુપ્રીમ લીડર ખેમેનેર્ઇના મોત પર ઇરાનમાં હાહાકાર,કર્બલામાં આક્રંદ, લાઇવ ટીવી પર રડી પડ્યાં એન્કર
સુપ્રીમ લીડર ખેમેનેર્ઇના મોત પર ઇરાનમાં હાહાકાર,કર્બલામાં આક્રંદ, લાઇવ ટીવી પર રડી પડ્યાં એન્કર
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
Embed widget