શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

ભાદરવી પૂનમના અવસરે 1000 એકસ્ટ્રા બસો દોડાવશે એસટી વિભાગ, અંબાજીથી ગબ્બર જવા મુકાશે મીની બસ

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. ત્યારે  ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (જીએસઆરટીસી) દ્ધારા અંબાજી સુધી 1000 એકસ્ટ્રા બસો દોડાવાશે. તે સિવાય અંબાજીથી ગબ્બર સુધી જવા માટે 20 મીની બસો પણ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દર વર્ષ નિમિતે ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મોટો મેળો ભરાય છે અને સમગ્ર ગુજરાતમાંથી લાખો માઈભક્તો અંબાજી દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે દર વર્ષની જેમ એસટી નિગમ આ વર્ષે પણ એકસ્ટ્રા બસો દોડાવશે. એસટી નિગમ 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન 1 હજાર એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે.  આ સિવાય 20 મીની બસ અંબાજીથી ગબ્બર સુધી જવા માટે મુકવામા આવશે. તે સિવાય દાંતાથી અંબાજી જવા પણ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ગયા વર્ષે ભાદરવી પૂનમના પર્વ પર જીએસઆરટીસીએ 600 એકસ્ટ્રા બસો દોડાવી હતી. જેનો 11 લાખ મુસાફરોએ લાભ લીધો હતો.

ઉપરાંત આ વખતે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા QR કોડ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. આ QR કોડ થકી યાત્રિકોને જમવા રહેવા સહીતની જગ્યાઓના ચોક્કસ લોકેશન મળી રહેશે. ગબ્બર પર્વત પરના પગથિયાં પર પણ સફેદ કલર કરવામાં આવ્યો છે. આ કલરને લીધે યાત્રિકો પગરખાં પહેર્યા વગર પણ આ પગથિયાં પર ચાલી શકશે.

આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.પ્રવાસન સચિવ હારિત શુક્લાએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, પાર્કિંગ, કાયદો- વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, અંબાજી નગરમાં લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા- સલામતીનું આયોજન કરવામાં આવશે. યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું હતું કે આ વર્ષે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ અગવડ ન પડે તે માટે ગત વર્ષે 4000 ચો.મી વિસ્તારમાં વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી હતી કે જેમાં વધારો કરી આ વર્ષે 9000 ચો.મી વિસ્તાર સાંકળી આયોજન કરવામાં આવેલ છે. તેના કારણે વધુ યાત્રાળુઓ આરામ કરી શકશે. વાહનો લઈને આવનાર યાત્રાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
અમેરિકાના વિઝા મેળવવા થયા મુશ્કેલ, ટ્રમ્પ સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
અમેરિકાના વિઝા મેળવવા થયા મુશ્કેલ, ટ્રમ્પ સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
અમેરિકાના વિઝા મેળવવા થયા મુશ્કેલ, ટ્રમ્પ સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
અમેરિકાના વિઝા મેળવવા થયા મુશ્કેલ, ટ્રમ્પ સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
જો ખરાબ ઈંડા ખાશો તો અંદરથી સડવા લાગશે તમારુ પેટ, જાણો કેટલું થઈ શકે છે નુકસાન?
જો ખરાબ ઈંડા ખાશો તો અંદરથી સડવા લાગશે તમારુ પેટ, જાણો કેટલું થઈ શકે છે નુકસાન?
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
જય શાહની અધ્યક્ષતામાં ICCનો મોટો નિર્ણય: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નવું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું, જાણો શું થયો ફેરફાર
જય શાહની અધ્યક્ષતામાં ICCનો મોટો નિર્ણય: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નવું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું, જાણો શું થયો ફેરફાર
Embed widget