શોધખોળ કરો

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ત્રાટકશે

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે.

અમદાવાદ : ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે.  રાજ્યમાં 24થી 31 મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.   24 મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ  એક્ટિવ થશે અને 26મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે.  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.       

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડાનું સંકટ  તોળાઇ રહ્યું છે. જેની અસરથી પણ વરસાદનું અનુમાન છે. 23 થી25 મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનુંઅનુમાન છે. ખાસ કરી વલસાડ,ડાંગ,નવસારી,તાપી,સુરત,નર્મદા,ભરૂચ, છોટાઉદેપુર,વડોદરા,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,રાજકોટ,જૂનાગઢ,બોટાદ,સુરેન્દ્રનગર,દ્વારકા,જામનગર,પોરબંદર,મોરબી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.

અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10થી 12 ઈંચ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ વરસી શકે છે. મુંબઈ- સુરત વચ્ચે ગમે ત્યાં દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે.  

અંબાલાલના જણાવ્યા અનુસાર, અરબ સાગરના મધ્યભાગમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં 65થી 75 કિમી ઝડપે પવન ફૂંકાશે. 28 મે આસપાસ વાવાઝોડું ટકરાઇ શકે છે. અરબ સાગરમાં વધેલી હલચલને લઈ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયામાં ચક્રવાત ઉદભવતું હોવાની શક્યતા છે. વાવાઝોડુ સર્જાશે તો 100 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની આશંકા સેવાઇ રહી છે.

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું હોવાથી આ વરસાદને પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ જોઇ શકાય છે. રાજ્યમાં 8 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા છે. જેના પગલે 21 મેથી જ રાજ્યના અનેક વિસ્તારમા વરસાદી માહોલ જામે કેવી શકયકા છે. 21 મેથી 25 મે સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. તો સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget