શોધખોળ કરો

ચાર દિવસથી ચાલતી સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ સમેટાઈ, રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય

સસ્તા અનાજની દુકાનોના વિતરકોની હડતાળ સમેટાઈ ગઈ છે.  મંત્રી રમણ સોલંકી સાથેની આગેવાનોની બેઠકમાં સરકારે માંગણી સ્વીકારતા આગેવાનોએ હડતાળ સમેટી છે.

ગાંધીનગર: સસ્તા અનાજની દુકાનોના વિતરકોની હડતાળ સમેટાઈ ગઈ છે.  મંત્રી રમણ સોલંકી સાથેની આગેવાનોની બેઠકમાં સરકારે માંગણી સ્વીકારતા આગેવાનોએ હડતાળ સમેટી છે.  કમિશનમાં પ્રતિ કિલો રૂ. 3 આપવાની માંગણી સ્વિકારી છે. મીનીમમ કમિશન મહિને રૂ. 30 હજાર કરવાની માંગ  સ્વિકારવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં અનાજની દુકાનોના વિતરકો હડતાળ પર હતા. 
 
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે માંગણીઓ સ્વીકારી

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે માંગણીઓ સ્વીકારી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નાણાં વિભાગને દરખાસ્ત મોકલશે. 15 દિવસમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નાણાં વિભાગને દરખાસ્ત કરશે. 97 ટકાથી ઘટાડી 94 ટકા વિતરણ કરવાની માગણી સ્વીકારી છે. દુકાનદારો ચલણ જનરેટ કરવા માટે સૂચના આપવામાં આવી છે. 

ગાંધીનગરમાં આજે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી

રાજ્યભરના રેશનિંગ દુકાનધારકોની હડતાળનો આજે અંત આવ્યો.  અનાજ વિતરકોની છેલ્લા 4 દિવસથી હડતાલ પર હતા. આ કારણે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પરિસ્થિતિના તાત્કાલિક ઉકેલ માટે રાજ્ય સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ એક્ટિવ થયું હતું. આજે ગાંધીનગર ખાતે સસ્તા અનાજની દુકાનોના આગેવાનો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ અનાજ વિતરકોએ હડતાલ સમેટવાનો નિર્ણય લીધો હતો.

અહેવાલ અનુસાર, સરકાર તરફથી  કુલ 20 પૈકી 11 માંગણીઓ સંતોષવામાં આવી છે.    આજની બેઠક બાદ મુખ્ય 5 માંગણીઓ સ્વીકારવામાં આવી છે. ઉપરાંત રેગ્યુલર કમિશન 3 રૂપિયા કરવા માટે સરકાર સહમત થઈ છે. આ સિવાય મીનીમમ કમિશન પણ 30 હજાર કરવા સરકાર સહમતી થઈ છે. બાયોમેટ્રિક પદ્ધતિમાં જૂની પદ્ધતિ લાગુ કરવા બાબતે સહમતિ દર્શાવવામાં આવી છે. જેમાં તકેદારી સમિતિના 2 સભ્યોના બાયોમેટ્રિક પર સરકાર સહમત થઈ છે.

સસ્તા અનાજના દુકાનદારોની હડતાલના કારણે રાજ્યની 17 હજાર દુકાનો બંધ રખાઈ હતી. હડતાળના 4  દિવસમાં જ વિભાગ દ્વારા આ ત્રીજી વાર બેઠક બોલાવવામાં આવી હતી. આ અગાઉ મંત્રી સ્તરે પણ વિતરકો સાથે બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ ન આવતા હવે ઉચ્ચ અધિકારીઓએ અનાજ વિતરકો સાથે બેઠક યોજી હતી.           

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Advertisement

વિડિઓઝ

Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Ahmedabad news: અમદાવાદમાં 2024માં સૌથી વધુ દૂષિત પાણી, છેલ્લા ત્રણ વર્ષના સેમ્પલના પરિણામ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : સામે આવ્યા 'વતનના રતન'
Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે ખોલશો તાળા ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
Embed widget