શોધખોળ કરો

Gujarat: શિક્ષકો માટે બદલીના  નિયમોમાં કરાયા સુધારા, જાણો મહત્વના સમાચાર

વિધાસહાયકો, પ્રાથમિક શિક્ષકો અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે બદલીના નિયમો જારી કરાયા છે.  વધ ઘટ બદલી માટે નક્કી કરાયેલી જગ્યા પર જે તે વિભાગની સ્પષ્ટ વધ ઘટ નક્કી કરવાની રહેશે.

ગાંધીનગર:  પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બદલી માટે તા.2 જૂનથી લઇને 7મી જૂન સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. શિક્ષકો દ્વારા કરવામાં આવેલી અરજીઓના આધારે આગામી 30મી જૂનના રોજ બદલીના ઓર્ડર ઇસ્યૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  શિક્ષકો માટે બદલીના  નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે.  

વિધાસહાયકો, પ્રાથમિક શિક્ષકો અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે બદલીના નિયમો જારી કરાયા છે.  વધ ઘટ બદલી માટે નક્કી કરાયેલી જગ્યા પર જે તે વિભાગની સ્પષ્ટ વધ ઘટ નક્કી કરવાની રહેશે. જે તે વિભાગની સ્પષ્ટ ખાલી જગ્યા પર જ વધ સરભર કરવાનો રહેશે. 

બદલી કેમ્પના હુકમ પછી વધ ઘટ કેમ્પ તથા જિલ્લા આંતરિક માંગણી બદલી કેમ્પ સહિત પાંચ કેમ્પમાં પ્રથમ ખાલી જગ્યા ઉભી થાય ત્યારે શિક્ષકને પોતાના વિષયની ખાલી જગ્યા પર મૂળ શાળામાં જવા ઈચ્છતા હોય તો પ્રથમ તક આપવાની રહેશે. મૂળ શાળામાં પરત જવાની તકનો અસ્વીકાર કરે તો શાળા પરતનો લાભ મળશે નહિ.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં 40,000થી વધુ શિક્ષકો પોતાની બદલીની માંગ કરી હતી. ત્યારે હવે બદલી માટે શિક્ષકોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો કોઈ શિક્ષકની બદલી ન થાય તો તેના કારણો આપવામાં આવશે. આ ઉપરાંત દંપતી કિસ્સાઓને લઈને પણ સરકાર દ્વારા તૈયારીઓ કરી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જિલ્લામાં વધઘટ કેમ્પ પૂર્ણ થયા બાદ બાકી રહેલ વધ શિક્ષકોની વિગતો દર્શાવતું રજીસ્ટર પણ તૈયાર કરવામાં આવશે, જ્યારે ખાલી પડેલી જગ્યા બાબતનું પણ એક અલગ પ્રકારનું રજીસ્ટર તૈયાર કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી5 અને 6થી 8માં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષકોને ફાળવણી કરવામાં આવતી હોય છે, ત્યારે કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે શિક્ષકોની વધ ઘટ ન થાય તેને ધ્યાનમાં લઈને પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવશે. 

બદલી કરવા માંગતા શિક્ષકે  સેલ્ફ ડિકલેરેશનમાં આપવું પડશે અને જો કોઈપણ વિગતો અથવા તો દસ્તાવેજ ખોટા હશે. તો જે તે શિક્ષકને શિક્ષાપાત્રની જોગવાઈ સાથે ખોટી માહિતી, ખોટા દસ્તાવેજના આધારે લાભ રદ કરવાની પણ જોગવાઈ સેલ્ફ ડેકલેરેશન પત્રકમાં કરવામાં આવી છે. વિદ્યા સહાયક અને શિક્ષકની નોકરી માટે ફરજિયાત 5 વર્ષ નોકરી હોવી જરૂરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
Steve Smith Retirement: લેગ સ્પિનરથી મહાન બેટ્સમેન બનવા સુધીની સફર સમાપ્ત, સ્ટીવ સ્મિથે નિવૃતિ લઇ ચોંકાવ્યા
Steve Smith Retirement: લેગ સ્પિનરથી મહાન બેટ્સમેન બનવા સુધીની સફર સમાપ્ત, સ્ટીવ સ્મિથે નિવૃતિ લઇ ચોંકાવ્યા
Embed widget