શોધખોળ કરો

Dahod: દાહોદમાં 7-8 વર્ષના બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત, પરિવારમાં માતમ છવાયો

દાહોદ: વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નદીમાં ડૂબી જતાં બે બાળકોના મોત થયા છે. ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે તળાવમાંથી નીકળતી નદીમાં ન્હાવા ગયેલા બાળકો ડૂબી ગયા હતા.

દાહોદ: વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નદીમાં ડૂબી જતાં બે બાળકોના મોત થયા છે. ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે તળાવમાંથી નીકળતી નદીમાં ન્હાવા ગયેલા બાળકો ડૂબી ગયા હતા. બાળકો નદીમાં ડૂબતા હતા ત્યારે નજીકમાં કામ કરતી બાળકીની નજર પડતાં તેમણે પરિજનોને જાણ કરી હતી.

જે બાદ પરિજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બન્ને બાળકોને બહાર કાઢ્યા હતા. બાળકોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા. 7 વર્ષના મહાવીર અને 8 વર્ષીય ધવલના મોત અરેરાટી મચી ગઈ છે. તો બીજી તરફ બે બાળકોના મોતથી પરિજનોમાં ગમગમીનો માહોલ છે. હાલમાં બન્ને મુતદેહોને પીએમ માટે લઈ જવામાં આવ્યા છે.

ગીર સોમનાથ: જિલ્લાના ચોરવાડમા યુવકના આપઘાતની રહસ્યમય ઘટના સામે આવતા ચકચાર મચી છે. યુવકની ગળેફાસો ખાઈને આત્મહત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરતા યુવકનું નામ નીતિન પરમાર હોવાનું સામે આવ્યું છે, જયારે પોલીસની વિશેષ તપાસમાં પોલીસને હાથ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કથિત રીતે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કથિત વિમલ ચુડાસમા સહિત ત્રણ શખ્સો સામે સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ હોવાની વાતથી આ મામલાએ રાજકીય આલમમાં પણ ભારે ચકચાર મચી છે.
 
બનાવથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મેડીકલ કોલેજ ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેનું આજે બપોરે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જેના પર કથિત આક્ષેપ છે તે ધારાસભ્ય વિમલ ચુડાસમાં પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ પણ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાચી હકીકતો પોલીસ તપાસ અને મૃતદેહના પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ જ સામે આવશે.

સુરત શહેરના પાલનપુર જકાતનાકા ખાતે આજે શનિવારે સવારે એપાર્ટમેન્ટમાં માતા-પિતા તથા પત્ની અને તેમના ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવીને હત્યા કર્યા બાદ ફર્નીચરના ધંધો કરતા યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. બે પાનાની સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં આપેલા પૈસા પરત નહી આવ્યાનો ઉલ્લેખ કરાયો છે પણ કોઇના નામો લખવામાં આવ્યા નથી. પોલીસે તપાસ માટે એસઆઇટીની રચના કરી છે.

આ મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાની આશંકા છે. મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પણ ફેસબૂક પર મૂક્યો હતો. સોલંકી પરિવારના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં પરિવારની હત્યા કરીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરનાર ઘરના મોભી મનીષભાઈ સોલંકી ધાર્મિક જીવનને વધુ મહત્વ આપતા હતા. તેઓ રોજ વહેલી સવારે ભગવાનનું ધ્યાન પણ ઘરતા હતા. ઉપરાંત તમામ ધર્મને માનતા હતા. તેઓ કોઈ તાંત્રિક વિધિ કરતા હોય એવા આશ્રમમાં પણ જતા હતા.  ઘટના પહેલાં જ મનીષભાઈએ શુક્રવાર રાત્રિના નવ વાગ્યાના અરસામાં માતાની છબી આગળ દિવો મૂક્યો હોવાનો ફોટો વ્હોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો, બાદમાં મનીષભાઇએ ઘરના સભ્યોની હત્યા કરીને પોતે જીવન ટુંકાવ્યું હતું.

મનીષભાઇએ સુસાઈડ નોટમાં પણ તાંત્રિક શબ્દોનો ‘ભગવાન પરચો બતાવશે’’ તેવો ઉલ્લેખ પણ કર્યો છે. મનીષ ઘણા સમયથી તેના અંગત મિત્ર બ્રાહ્મણ વિપુલ નામના વ્યકતિ સાથે સંપર્કમાં આવ્યો હતો. મનીષે અગાઉ પોતાના સોશિયલ મીડિયામાં અઘોરી બાવાના આશીર્વાદ લેતો હોવાનો વીડિયો પણ અપલોડ કર્યો હતો. તેઓ તાંત્રિક વિદ્યામાં પણ વધુ માનતા હતા. બ્રાહ્મણ વિપુલ આવી પ્રવૃત્તિઓ કરાવતો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.  ભૂતકાળમાં પણ તાંત્રિક વિધિઓના ચક્કરમાં ઘણા લોકોના જીવ ગયા છે. પોલીસ દ્રારા આ બાબતે તપાસ કરવામાં આવે તો તાંત્રિક વિધિઓને લઈને ફરતી વાતોમાં સચોટ તારણ બહાર આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં વિદ્યાર્થીઓ નવા સત્રના 1 મહિના બાદ પણ પાઠ્યપુસ્તકોથી વંચિત, શિક્ષણમંત્રીનો દાવો પોકળ
ગુજરાતમાં વિદ્યાર્થીઓ નવા સત્રના 1 મહિના બાદ પણ પાઠ્યપુસ્તકોથી વંચિત, શિક્ષણમંત્રીનો દાવો પોકળ
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
Embed widget