ગુજરાતમાં ગમે તે ઘડીએ થશે લોકડાઉન લાદવાની જાહેરાત ? હાઈકોર્ટ આપી શકે છે આદેશ, જાણો આજે કેટલા વાગ્યે છે સુનાવણી
કોરોના કારણે રાજ્યમાં ઉભી થયેલી પરિસ્થિતિના મુદ્દાને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી ગણી છે અને કેંદ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા કોર્ટે આદેશ કર્યો છે.
રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યૂ સહિતના અનેક પ્રયત્ન કર્યા છતાં સંક્રમણ કાબૂમાં નથી. રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 5 હજાર 469 કેસ અને 54 લોકોના મોત થયા છે. એવામાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ જોતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ હોવાનું અવલોકન કર્યું છે.
કોરોના કારણે રાજ્યમાં ઉભી થયેલી પરિસ્થિતિના મુદ્દાને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી ગણી છે અને કેંદ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા કોર્ટે આદેશ કર્યો છે. એટલું જ નહીં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનું હાઈકોર્ટનું તારણ છે.
અગાઉ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની સ્થિતિને જોતાં રાજ્યમાં લોકડાઉન કે કર્ફ્યૂ જાહેર કરવા માટે નિર્દેશ કર્યો હતો. જે બાદ ગુજરાતની રૂપાણી સરકારે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યના 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે લોકડાઉન લાગુ કર્યું ન હતું અને નાઈટ કરફ્યૂ રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કરી દીધું હતું.
કોરોનાની નિરંકુશ નવી લહેર અને વ્યવસ્થાપનના ગંભીર મુદ્દાઓને ટાંકી સુઓમોટોની સુનાવણી કરવામાં આવે તે જરૂરી છે. કોરોના વ્યવસ્થાપન સાથે જોડાયેલા ટોંચના અધિકારીઓને સુનાવણીનું પ્રસારણ જોવા માટે હાઈકોર્ટે સૂચન કર્યુ છે.
નોંધનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 16, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1ન અને જામનગરમાં 1 મોત સાથે કુલ 54 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4800 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 1504, સુરત કોર્પોરેશનમાં 1087, રાજકોટ કોર્પોરેશનમાં 405, સુરત 361, વડોદરા કોર્પોરેશનમાં 277, જામનગર 189, વડોદરા 139, મહેસાણા 127, પાટણ 124, જામનગર 123, રાજકોટ 70, ભાવનગર કોર્પોરેશન 68, ગાંધીનગર-56, મોરબી 54, કચ્છ 53, નર્મદા 50, બનાસકાંઠા 49, નવસારી 47, દાહોદ 46, ગાંધીનગર કોર્પોરેશન-45, અમરેલી-42, જૂનાગઢ કોર્પોરેશન 42, ભરુચ 41, જૂનાગઢ 41, પંચમહાલ 40, ખેડા 39, સાબરકાંઠા 37, આણંદ 31, વલસાડ 31, ભાવનગર 29, અમદાવાદ 28, અરવલ્લી 28, સુરેન્દ્રનગર 28, બોટાદ 27, મહીસાગર 26 અને દેવભૂમિ દ્વારકા 21 કેસ નોંધાયા હતા.