શોધખોળ કરો

Jammu Kashmir: કાશ્મીરમાં આ વર્ષે 93 એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ 172 આતંકીઓને માર્યા ઠાર, 29 નાગરિકોના મોત

કાશ્મીરના એડીજીપીએ કહ્યું કે વર્ષ 2022 દરમિયાન એકલા કાશ્મીર ઝોનમાં કુલ 93 સફળ એન્કાઉન્ટર થયા છે

Terrorists Killed In Kashmir:  સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ વિશેષ અભિયાન શરૂ કર્યું છે. કાશ્મીરના એડીજીપીએ કહ્યું કે વર્ષ 2022 દરમિયાન એકલા કાશ્મીર ઝોનમાં કુલ 93 સફળ એન્કાઉન્ટર થયા છે. આ આતંકવાદી એન્કાઉન્ટરમાં કુલ 172 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં 42 વિદેશી આતંકવાદીઓ પણ સામેલ હતા.

કાશ્મીરના ADGPએ ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે લશ્કર-એ-તૌયબા અને TRFના સૌથી વધુ 108 આતંકવાદીઓ માર્યા ગયા છે. જે બાદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 35, એસએમના 22, અબ-બદરના 4 અને AGuH સંગઠનના 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આતંકવાદી સંગઠનોની નવી ભરતીમાં 37 ટકાનો ઘટાડો નોંધાયો છે.

છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો ઘાટીમાં આતંક ફેલાવવા માટે સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. સુરક્ષા દળોએ તેમના અભિયાનનો જડબાતોડ જવાબ આપ્યો છે. કાશ્મીર ઝોનના એડીજીપીએ કહ્યું કે, સુરક્ષા દળોની કાર્યવાહીને કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આતંકવાદી સંગઠનોમાં નવી ભરતીમાં 37 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે 74 આતંકવાદીઓ લશ્કરમાં જોડાયા છે, જેમાંથી 65 માર્યા ગયા છે. જેમાંથી 17 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 18 આતંકવાદીઓ હજુ પણ સક્રિય છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોમાં ભરતી થયેલા આતંકવાદીઓના આયુષ્યમાં મોટો ઘટાડો થયો છે. આ વર્ષે કાશ્મીરમાં માર્યા ગયેલા કુલ 65 નવા ભરતી થયેલા આતંકવાદીઓમાંથી 58 (89 ટકા) જોડાયાના પહેલા મહિનામાં જ ઠાર કરવામાં આવ્યા હતા.

મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા

આ વર્ષે કાશ્મીર ઝોનમાં વિવિધ આતંકવાદી એન્કાઉન્ટર અને મોડ્યુલ પર્દાફાશ દરમિયાન કુલ 360 હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી 121 એકે શ્રેણીની રાઈફલ, 8 એમ4 કાર્બાઈન અને 231 પિસ્તોલનો સમાવેશ થાય છે. આ સિવાય આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન મોટી માત્રામાં IED, સ્ટીકી બોમ્બ અને ગ્રેનેડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેના કારણે ઘણી આતંકી ઘટનાઓ ટળી હતી.

કાશ્મીરમાં 29 નાગરિકોના મોત

આ વર્ષે કાશ્મીરમાં વિવિધ આતંકવાદી ઘટનાઓમાં સામાન્ય નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ADGP દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષ દરમિયાન આતંકવાદીઓએ 29 નાગરિકોને નિશાન બનાવ્યા છે. તેમાંથી 21 સ્થાનિક અને 8 અન્ય રાજ્યોના નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સ્થાનિક નાગરિકોમાં 3 કાશ્મીરી પંડિત અને 6 હિંદુઓ સહિત 15 મુસ્લિમોનો સમાવેશ થાય છે. સુરક્ષા દળોએ બાસિત દાર અને આદિલ વાની સિવાય આ આતંકવાદી ઘટનાઓમાં સામેલ તમામ આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં બાકીના બે આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026 PM Modi Plan: એક કરોડ યુવાનોને કેવી રીતે મળશે AI ટ્રેનિંગ, શું છે PM મોદીનો પ્લાન?
Independence Day 2026 PM Modi Plan: એક કરોડ યુવાનોને કેવી રીતે મળશે AI ટ્રેનિંગ, શું છે PM મોદીનો પ્લાન?
છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget