શોધખોળ કરો

Jammu Kashmir: કાશ્મીરમાં આ વર્ષે 93 એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ 172 આતંકીઓને માર્યા ઠાર, 29 નાગરિકોના મોત

કાશ્મીરના એડીજીપીએ કહ્યું કે વર્ષ 2022 દરમિયાન એકલા કાશ્મીર ઝોનમાં કુલ 93 સફળ એન્કાઉન્ટર થયા છે

Terrorists Killed In Kashmir:  સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ વિશેષ અભિયાન શરૂ કર્યું છે. કાશ્મીરના એડીજીપીએ કહ્યું કે વર્ષ 2022 દરમિયાન એકલા કાશ્મીર ઝોનમાં કુલ 93 સફળ એન્કાઉન્ટર થયા છે. આ આતંકવાદી એન્કાઉન્ટરમાં કુલ 172 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં 42 વિદેશી આતંકવાદીઓ પણ સામેલ હતા.

કાશ્મીરના ADGPએ ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે લશ્કર-એ-તૌયબા અને TRFના સૌથી વધુ 108 આતંકવાદીઓ માર્યા ગયા છે. જે બાદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 35, એસએમના 22, અબ-બદરના 4 અને AGuH સંગઠનના 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આતંકવાદી સંગઠનોની નવી ભરતીમાં 37 ટકાનો ઘટાડો નોંધાયો છે.

છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો ઘાટીમાં આતંક ફેલાવવા માટે સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. સુરક્ષા દળોએ તેમના અભિયાનનો જડબાતોડ જવાબ આપ્યો છે. કાશ્મીર ઝોનના એડીજીપીએ કહ્યું કે, સુરક્ષા દળોની કાર્યવાહીને કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આતંકવાદી સંગઠનોમાં નવી ભરતીમાં 37 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે 74 આતંકવાદીઓ લશ્કરમાં જોડાયા છે, જેમાંથી 65 માર્યા ગયા છે. જેમાંથી 17 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 18 આતંકવાદીઓ હજુ પણ સક્રિય છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોમાં ભરતી થયેલા આતંકવાદીઓના આયુષ્યમાં મોટો ઘટાડો થયો છે. આ વર્ષે કાશ્મીરમાં માર્યા ગયેલા કુલ 65 નવા ભરતી થયેલા આતંકવાદીઓમાંથી 58 (89 ટકા) જોડાયાના પહેલા મહિનામાં જ ઠાર કરવામાં આવ્યા હતા.

મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા

આ વર્ષે કાશ્મીર ઝોનમાં વિવિધ આતંકવાદી એન્કાઉન્ટર અને મોડ્યુલ પર્દાફાશ દરમિયાન કુલ 360 હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી 121 એકે શ્રેણીની રાઈફલ, 8 એમ4 કાર્બાઈન અને 231 પિસ્તોલનો સમાવેશ થાય છે. આ સિવાય આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન મોટી માત્રામાં IED, સ્ટીકી બોમ્બ અને ગ્રેનેડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેના કારણે ઘણી આતંકી ઘટનાઓ ટળી હતી.

કાશ્મીરમાં 29 નાગરિકોના મોત

આ વર્ષે કાશ્મીરમાં વિવિધ આતંકવાદી ઘટનાઓમાં સામાન્ય નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ADGP દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષ દરમિયાન આતંકવાદીઓએ 29 નાગરિકોને નિશાન બનાવ્યા છે. તેમાંથી 21 સ્થાનિક અને 8 અન્ય રાજ્યોના નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સ્થાનિક નાગરિકોમાં 3 કાશ્મીરી પંડિત અને 6 હિંદુઓ સહિત 15 મુસ્લિમોનો સમાવેશ થાય છે. સુરક્ષા દળોએ બાસિત દાર અને આદિલ વાની સિવાય આ આતંકવાદી ઘટનાઓમાં સામેલ તમામ આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં બાકીના બે આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ

વિડિઓઝ

Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!
Hun To Bolish : હું તો બોલીશ : લોહીની અછત
Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
Embed widget