શોધખોળ કરો

Weather Update: કેદારનાથમાં 2 હજાર લોકો ફસાયા,સેનાના હેલિકોપ્ટરો આવ્યા મદદે, 16 લોકોના મોત

Weather Update: ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે. રાજ્યમાં 48 કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ છે.

Weather Update: ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે. રાજ્યમાં 48 કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ છે. આ કારણે NDRFની 12 ટીમો અને SDRFની 60 ટીમો તૈનાત કરવામાં આવી છે. વરસાદના કારણે હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ અને નૈનીતાલમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે 2000થી વધુ લોકો લિંચોલી અને ભીંબલી નજીક પગપાળા માર્ગ પર ફસાયેલા છે. તેમને બચાવવા માટે 5 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.

કેદારનાથ માર્ગ પર ફસાયેલા મુસાફરોને બચાવવા માટે SDRF તૈનાત કરવામાં આવી છે. મુંકટિયાથી સોનપ્રયાગ સુધી 450 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાકીના લોકોને ચિનૂક અને MI-17 હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે શુક્રવારે (2 ઓગસ્ટ) ના રોજ 24 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મધ્યપ્રદેશના 11 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે, જે આગામી 4 દિવસ સુધી રહેશે.

કેદારનાથ માર્ગ પર ફસાયેલા મુસાફરોને બચાવવા માટે SDRF તૈનાત કરવામાં આવી છે. મુનકટિયાથી સોનપ્રયાગ સુધી 450 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાકીના લોકોને ચિનૂક અને MI-17 હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે શુક્રવારે (2 ઓગસ્ટ) ના રોજ 24 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મધ્યપ્રદેશના 11 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે, જે આગામી 4 દિવસ સુધી રહેશે.

ઉત્તરાખંડ: રાહત અને બચાવમાં 72 ટીમો લાગી છે
રુદ્રપ્રયાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર એનકે રાજવારના જણાવ્યા અનુસાર, ગૌરીકુંડથી શરૂ થતા 16 કિલોમીટર લાંબા કેદારનાથ ટ્રેકને ઘોડા પડાવ, લિંચોલી, બડી લિંચોલી અને ભીંબલીમાં નુકસાન થયું છે. રામબાડા પાસેના બે પુલ પણ ગઈરાત્રે ધોવાઈ ગયા હતા. કેદારનાથમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકારે એરફોર્સની મદદ લીધી છે. એનડીઆરએફની 12 ટીમ, આઈએનએસ અને એસડીઆરએફની 60 ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. જિલ્લા વહીવટીતંત્રે બે હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે - 7579257572 અને 01364-233387 અને ઇમરજન્સી નંબર 112.

હિમાચલમાં એક જ દિવસમાં 5 જગ્યાએ વાદળ ફાટ્યું, 48 લોકો ગુમ

1 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશમાં 5 સ્થળોએ વાદળ ફાટવાને કારણે 53 લોકો ગુમ થયા હતા. જેમાંથી 5ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 48 લોકો હજુ પણ ગુમ છે. NDRF, SDRF, પોલીસ અને હોમગાર્ડના જવાનો તેની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. શિમલામાં રેસ્ક્યુ ટીમને હજુ સુધી સફળતા મળી નથી. અહીં ગુમ થયેલા 36 લોકોમાંથી હજુ સુધી એક પણ સુરાગ મળ્યો નથી. વ્યક્તિના શરીરના કેટલાક અંગો ચોક્કસપણે મળી આવ્યા છે.

મંડીના ચૌહારઘાટીના રાજબન ગામમાં પણ 3 પરિવારના 7 લોકો હજુ પણ લાપતા છે. 3 મૃતદેહ મળી આવ્યા છે. કુલ્લુના બાગીપુલમાં પણ એક જ પરિવારના 5 સભ્યો સહિત 7 લોકો ગુમ થયા છે. જેમાંથી એક મહિલા સહિત 2ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 5 હજુ લાપતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
અમેરિકાના ટેરિફ બોમ્બ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: 'પીએમ મોદી જાહેર હિતના ભોગે પોતાની નબળાઈ....', જાણો શું છે અદાણી કનેક્શન?
અમેરિકાના ટેરિફ બોમ્બ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: 'પીએમ મોદી જાહેર હિતના ભોગે પોતાની નબળાઈ....', જાણો શું છે અદાણી કનેક્શન?
અમેરિકાએ ભારત પર ટેરિફ બમણો કર્યો: 50% ટેક્સથી ભારતના આ ઉદ્યોગોને થશે સૌથી મોટું નુકસાન?
અમેરિકાએ ભારત પર ટેરિફ બમણો કર્યો: 50% ટેક્સથી ભારતના આ ઉદ્યોગોને થશે સૌથી મોટું નુકસાન?
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
Advertisement

વિડિઓઝ

Bharuch News: ભરૂચની 35થી વધુ આંગણવાડી બહેનો ન્યુડ વીડિયો કોલથી પરેશાન
Hun To Bolish : હું તો બોલીશ : ડમ્પર પર વાગશે બ્રેક ?
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીની ચોરી કે કૌભાંડ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ફરાળ ઉપવાસ તોડાવશે
LRD Written Exam Result : લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના માર્ક જાહેર, પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે માર્ક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
અમેરિકાના ટેરિફ બોમ્બ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: 'પીએમ મોદી જાહેર હિતના ભોગે પોતાની નબળાઈ....', જાણો શું છે અદાણી કનેક્શન?
અમેરિકાના ટેરિફ બોમ્બ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: 'પીએમ મોદી જાહેર હિતના ભોગે પોતાની નબળાઈ....', જાણો શું છે અદાણી કનેક્શન?
અમેરિકાએ ભારત પર ટેરિફ બમણો કર્યો: 50% ટેક્સથી ભારતના આ ઉદ્યોગોને થશે સૌથી મોટું નુકસાન?
અમેરિકાએ ભારત પર ટેરિફ બમણો કર્યો: 50% ટેક્સથી ભારતના આ ઉદ્યોગોને થશે સૌથી મોટું નુકસાન?
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
'રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એક શબ્દ ન બોલ્યા': ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો
'રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એક શબ્દ ન બોલ્યા': ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો
ટ્રમ્પે ભારત પર લગાવ્યો 25% વધારાનો ટેરિફ તો શશિ થરૂરે આપી પહેલી પ્રતિક્રિય, જાણો તેમણે શું કહ્યું?
ટ્રમ્પે ભારત પર લગાવ્યો 25% વધારાનો ટેરિફ તો શશિ થરૂરે આપી પહેલી પ્રતિક્રિય, જાણો તેમણે શું કહ્યું?
હિમાચલ-ઉત્તરાખંડમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
હિમાચલ-ઉત્તરાખંડમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Embed widget