શોધખોળ કરો
Advertisement
આસામના 26 જિલ્લામાં પુરના પાણી ફરી વળતા 92 લોકોના મોત-36 લાખ લોકો અસરગ્રસ્ત, જાણો વિગતે
આસામમાં પુર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી 92 લોકોના મોત થઇ ચૂક્યા છે. પુરથી 66 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકોના મોત ભૂસ્ખલનના કારણે થયુ છે
ગુવાહાટીઃ દેશના ઉત્તર અને પૂર્વ પટ્ટીમાં પડેલા ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. આસામમાં બુધવારે ભારે પુરથી સાત લોકોના મોત થયાના સમાચાર છે, અને 26 જિલ્લામાં લગભગ 36 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થઇ ગયા છે. આસામ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણે કહ્યું કે, મોરિગાંવ જિલ્લામાં ત્રણ લોકોના મોત થઇ ગયા છે જ્યારે બારપેટામાં બે, સોનિતપુર અને ગોલાઘાટ જિલ્લામાં એક-એક વ્યક્તિનુ મોત થઇ ગયુ છે.
આસામમાં પુર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી 92 લોકોના મોત થઇ ચૂક્યા છે. પુરથી 66 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકોના મોત ભૂસ્ખલનના કારણે થયુ છે.
ધેમાજી, લખીમપુર, બિશ્વનાથ, સોનિતપુર, દરાંગ, બક્સા, નલબાડી, બારપેટા, ચિરાંગ, બોંગાઇગાવ, કોકરાઝાર, ધુબરી, શિવસાગર, ડિબ્રુગઢ સહિતના કેટલાય અન્ય જિલ્લાઓ પુરથી પ્રભાવિત છે.
મુખ્યમંત્રી સર્વાનંદ સોનીવાલે જોરહાટ જિલ્લાની એક સ્કૂલમાં લગાવવામાં આવેલી રાહત કેમ્પની મુલાકાત લીધી અને લોકો સાથે વાત કરી હતી. એએસડીએમએ એ જણાવ્યુ કે 3376 ગામ પાણીમાં ડુબેલા છે, અને 1,27,647.25 હેક્ટર કૃષિ જમીન પર ઉભો પાક બરબાદ થઇ ગયો છે.
પુરના કારણે કાજીરંગા નેસનલ પાર્ક ખરાબ રીતે અસગ્રસ્ત થયુ છે. રાજ્યના વન અધિકારીઓ પ્રમાણે, પુરના કારણે આ જંગલમાં 66 જાનવરોના મોત થઇ ગયા છે, જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસોથી 117 જાનવરોને બચાવી લેવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion