શોધખોળ કરો

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAPમાં ધડાધડ રાજીનામા: 7 ધારાસભ્યોએ પાર્ટી છોડી

મતદાનના માત્ર 5 દિવસ પહેલા આમ આદમી પાર્ટીને મોટો આંચકો, ધારાસભ્યોના રાજીનામાથી પાર્ટીમાં ઉથલપાથલ.

AAP MLAs resign: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 નજીક આવતાં આમ આદમી પાર્ટી (AAP) માટે રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. મતદાનના માત્ર 5 દિવસ પહેલા, AAPના 7 ધારાસભ્યોએ રાજીનામું આપતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમાર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદન લાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, બિજવાસનના ધારાસભ્ય બીએસ જૂન અને આદર્શ નગરના ધારાસભ્ય પવન શર્માએ એક પછી એક રાજીનામું આપ્યું છે. 

આ ધારાસભ્યોએ રાજીનામા સાથે પાર્ટી પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમના મતે, ટીકિટ રદ કરવાના નિર્ણય અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વ પ્રત્યે નિરાશા એ મુખ્ય કારણ છે. 

રોહિત કુમારના આક્ષેપો

ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમારે પોતાના રાજીનામા પત્રમાં કેજરીવાલ પર આક્ષેપ કરતા કહ્યું, "મારા સમાજે તમારું સમર્થન કર્યું અને ત્રણ વખત દિલ્હીમાં AAPની સરકાર બની. છતાં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ થઈ નથી અને કાચા કામદારોને કાયમી નોકરી મળી નથી. અમારા સમાજનો રાજકીય ફાયદા માટે માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે." 

ભાવના ગૌર અને મદન લાલના નિવેદનો

પાલમના ધારાસભ્ય ભાવના ગૌરે જણાવ્યું કે, "હવે મારે ન તો તમારી પર વિશ્વાસ રહ્યો છે અને ન તો પાર્ટી પર."

મદન લાલે એસેમ્બલી સ્પીકરને પત્ર લખીને તેમના કાર્યકાળ દરમિયાન મળેલા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને રાજીનામું આપ્યું. 

રાજેશ ઋષિ અને નરેશ યાદવના ગંભીર આક્ષેપો

જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિએ કહ્યું, "અન્ના આંદોલનથી જન્મેલી આ પાર્ટી હવે ભ્રષ્ટાચારથી ભરેલી છે. આ મને ખૂબ દુઃખ આપે છે, અને હું પાર્ટી છોડવા મજબૂર છું."

મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવે જણાવ્યું કે, "હું ઈમાનદારીની રાજનીતિ માટે પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ આજે એ ઈમાનદારી ક્યાંય દેખાતી નથી." 

AAPના આ મોટા રાજીનામાઓને કારણે પાર્ટી માટે ચૂંટણી પહેલાં એક મોટી પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. આ રાજીનામાઓ મતદારો પર શું અસર કરશે અને ભાજપ-કોંગ્રેસ માટે આ સ્થિતિ કેવી રીતે ફાયદાકારક સાબિત થશે તે જોવું રહ્યું. 

આ પણ વાંચો....

મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Video: સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોRajkot Samuh Lagna Case: રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીના કેસમાં વધુ એકની ધરપકડShaktisinh Gohil: 64 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશેGujarat Assembly Session 2025: વિધાનસભામાં ગુંજ્યો હોસ્પિટલકાંડ, આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, CM યોગીને લઈ કહી આ મોટી વાત 
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, CM યોગીને લઈ કહી આ મોટી વાત 
ન્યૂ ઈન્ડિયા કૉ-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને RBI એ આપી મોટી રાહત, હવે આટલી રકમ ઉપાડી શકશે 
ન્યૂ ઈન્ડિયા કૉ-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને RBI એ આપી મોટી રાહત, હવે આટલી રકમ ઉપાડી શકશે 
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
Embed widget