દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAPમાં ધડાધડ રાજીનામા: 7 ધારાસભ્યોએ પાર્ટી છોડી
મતદાનના માત્ર 5 દિવસ પહેલા આમ આદમી પાર્ટીને મોટો આંચકો, ધારાસભ્યોના રાજીનામાથી પાર્ટીમાં ઉથલપાથલ.

AAP MLAs resign: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 નજીક આવતાં આમ આદમી પાર્ટી (AAP) માટે રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. મતદાનના માત્ર 5 દિવસ પહેલા, AAPના 7 ધારાસભ્યોએ રાજીનામું આપતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમાર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદન લાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, બિજવાસનના ધારાસભ્ય બીએસ જૂન અને આદર્શ નગરના ધારાસભ્ય પવન શર્માએ એક પછી એક રાજીનામું આપ્યું છે.
આ ધારાસભ્યોએ રાજીનામા સાથે પાર્ટી પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમના મતે, ટીકિટ રદ કરવાના નિર્ણય અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વ પ્રત્યે નિરાશા એ મુખ્ય કારણ છે.
आम आदमी पार्टी की प्राथमिक सदस्यता से मैंने दिया इस्तीफ़ा। @AAPDelhi @AamAadmiParty @ANI @PTI_News @NishuPriyank @aajtak pic.twitter.com/8RFMAIXxVS
— Bhavna Gaur - MLA Delhi (@Palamvidhansabh) January 31, 2025
રોહિત કુમારના આક્ષેપો
ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમારે પોતાના રાજીનામા પત્રમાં કેજરીવાલ પર આક્ષેપ કરતા કહ્યું, "મારા સમાજે તમારું સમર્થન કર્યું અને ત્રણ વખત દિલ્હીમાં AAPની સરકાર બની. છતાં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ થઈ નથી અને કાચા કામદારોને કાયમી નોકરી મળી નથી. અમારા સમાજનો રાજકીય ફાયદા માટે માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે."
अन्ना आंदोलन से जन्मी, भ्रष्टाचार मुक्त दिल्ली बनाने के लिए @ArvindKejriwal द्वारा बनाई गई @AamAadmiParty जो अब भ्रष्टाचार युक्त पार्टी बन गई है जिसे में बड़े दुखी मन के साथ पार्टी की प्राथमिक सदस्यता और पार्टी के सभी पदों से इस्तीफा दे रहा हुई। @ANI @PTI_News pic.twitter.com/KjRZ0adwOb
— Rajesh Rishi MLA Janakpuri (@rajeshrishi_) January 31, 2025
ભાવના ગૌર અને મદન લાલના નિવેદનો
પાલમના ધારાસભ્ય ભાવના ગૌરે જણાવ્યું કે, "હવે મારે ન તો તમારી પર વિશ્વાસ રહ્યો છે અને ન તો પાર્ટી પર."
મદન લાલે એસેમ્બલી સ્પીકરને પત્ર લખીને તેમના કાર્યકાળ દરમિયાન મળેલા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને રાજીનામું આપ્યું.
રાજેશ ઋષિ અને નરેશ યાદવના ગંભીર આક્ષેપો
જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિએ કહ્યું, "અન્ના આંદોલનથી જન્મેલી આ પાર્ટી હવે ભ્રષ્ટાચારથી ભરેલી છે. આ મને ખૂબ દુઃખ આપે છે, અને હું પાર્ટી છોડવા મજબૂર છું."
મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવે જણાવ્યું કે, "હું ઈમાનદારીની રાજનીતિ માટે પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ આજે એ ઈમાનદારી ક્યાંય દેખાતી નથી."
AAPના આ મોટા રાજીનામાઓને કારણે પાર્ટી માટે ચૂંટણી પહેલાં એક મોટી પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. આ રાજીનામાઓ મતદારો પર શું અસર કરશે અને ભાજપ-કોંગ્રેસ માટે આ સ્થિતિ કેવી રીતે ફાયદાકારક સાબિત થશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો....
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
