શોધખોળ કરો

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAPમાં ધડાધડ રાજીનામા: 7 ધારાસભ્યોએ પાર્ટી છોડી

મતદાનના માત્ર 5 દિવસ પહેલા આમ આદમી પાર્ટીને મોટો આંચકો, ધારાસભ્યોના રાજીનામાથી પાર્ટીમાં ઉથલપાથલ.

AAP MLAs resign: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 નજીક આવતાં આમ આદમી પાર્ટી (AAP) માટે રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. મતદાનના માત્ર 5 દિવસ પહેલા, AAPના 7 ધારાસભ્યોએ રાજીનામું આપતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમાર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદન લાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, બિજવાસનના ધારાસભ્ય બીએસ જૂન અને આદર્શ નગરના ધારાસભ્ય પવન શર્માએ એક પછી એક રાજીનામું આપ્યું છે. 

આ ધારાસભ્યોએ રાજીનામા સાથે પાર્ટી પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમના મતે, ટીકિટ રદ કરવાના નિર્ણય અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વ પ્રત્યે નિરાશા એ મુખ્ય કારણ છે. 

રોહિત કુમારના આક્ષેપો

ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમારે પોતાના રાજીનામા પત્રમાં કેજરીવાલ પર આક્ષેપ કરતા કહ્યું, "મારા સમાજે તમારું સમર્થન કર્યું અને ત્રણ વખત દિલ્હીમાં AAPની સરકાર બની. છતાં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ થઈ નથી અને કાચા કામદારોને કાયમી નોકરી મળી નથી. અમારા સમાજનો રાજકીય ફાયદા માટે માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે." 

ભાવના ગૌર અને મદન લાલના નિવેદનો

પાલમના ધારાસભ્ય ભાવના ગૌરે જણાવ્યું કે, "હવે મારે ન તો તમારી પર વિશ્વાસ રહ્યો છે અને ન તો પાર્ટી પર."

મદન લાલે એસેમ્બલી સ્પીકરને પત્ર લખીને તેમના કાર્યકાળ દરમિયાન મળેલા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને રાજીનામું આપ્યું. 

રાજેશ ઋષિ અને નરેશ યાદવના ગંભીર આક્ષેપો

જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિએ કહ્યું, "અન્ના આંદોલનથી જન્મેલી આ પાર્ટી હવે ભ્રષ્ટાચારથી ભરેલી છે. આ મને ખૂબ દુઃખ આપે છે, અને હું પાર્ટી છોડવા મજબૂર છું."

મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવે જણાવ્યું કે, "હું ઈમાનદારીની રાજનીતિ માટે પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ આજે એ ઈમાનદારી ક્યાંય દેખાતી નથી." 

AAPના આ મોટા રાજીનામાઓને કારણે પાર્ટી માટે ચૂંટણી પહેલાં એક મોટી પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. આ રાજીનામાઓ મતદારો પર શું અસર કરશે અને ભાજપ-કોંગ્રેસ માટે આ સ્થિતિ કેવી રીતે ફાયદાકારક સાબિત થશે તે જોવું રહ્યું. 

આ પણ વાંચો....

મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Embed widget